SearchBrowseAboutContactDonate
Page Preview
Page 116
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ ] [ શાસનનાં શ્રમણીરત્ન ૨૪. પદ્માવતી : વીસમા તીર્થકર શ્રી મુનિસુવ્રતસ્વામીની માતા અને રાજગૃહી નગરીના સુમિત્ર રાજાની રાણી. પૂર્વ ભવમાં સુર રાજા તરીકે ઘોર તપશ્ચર્યા કરીને તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું હતું. દેવલોકમાંથી ચ્યવને ભગવાનનો આત્મા પદ્માવતી માતાના ગર્ભમાં ઉત્પન્ન થયે. ગર્ભકાળ દરમિયાન માતાને મુનિ સમાન વ્રત પાલન કરવાની તીવ્ર ઈચ્છા ઉદ્ભવી હતી અને મુનિ માફક જીવનમાં વ્રત પાલન કરવા લાગ્યાં હતાં. ગર્ભકાળ પૂર્ણ થતાં માતાએ પુત્રરત્નને જન્મ આપે અને મુનિવ્રત પાલનની ભાવનાને કારણે મુનિસુવ્રત નામ પાડવામાં આવ્યું. મુનિસુવ્રતકુમારે રાજ્ય ભોગવીને દીક્ષા લીધી, પછી કેવળજ્ઞાન ઉત્પન્ન થયું; અને અંતે ક્ષે સિધાવ્યા. પદ્માવતી માતાએ ધર્મધ્યાન દ્વારા જીવન પૂર્ણ કરીને ચેથા મહેન્દ્ર દેવલેકમાં સ્થાન પ્રાપ્ત કર્યું. ૨૫. વપ્રાદેવી : એકવીસમા તીર્થકર શ્રી નેમિનાથની માતા અને મિથિલાનગરીના રાજા વિજયની મહારાણી. ભગવાન માતાના ગર્ભમાં હતા ત્યારે શત્રુઓની સેનાએ મિથિલાનગરીને ઘેરો ઘાલ્યું હતું. પ્રાદેવીએ શત્રુના સૈન્ય તરફ સૌમ્ય દષ્ટિથી નજર કરી, જેથી શત્રુ રાજાનું હૃદય પરિવર્તન થયું અને શત્રુ ર 1 મિથિલાનગરીના વિજ્ય રજાના ચરણે પડ્યો. આ પ્રસંગ ઉપરથી “નમિનાથ નામાભિધાન કરવામાં આવ્યું.'' नगरे रोहिजति, देवी अहे, संकिता दिद्धा, पच्छा पणता रायाणो अष्टेय पच्चंतिया रायाणो, पण ता तेह नी । – વરચકચૂર્ણિ, ૩૦ p. ૨૨ નમિનાથકુમારે રાજ્ય ભેગવીને દીક્ષા લીધી. પછી સંયમની આરાધનાપૂર્વક કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષે સિધાવ્યા. માતા વપ્રાદેવી સુશ્રાવિકા બનીને આરાધના કરી, જીવન પૂર્ણ થતાં દેવગતિને પામ્યાં. ૬. શિવાદેવી : બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાનની માતા અને સમુદ્રવિજય રાજાની રાણી. શંખ રાજાના ભવમાં નેમનાથે તીર્થંકર નામકર્મ ઉપાર્જન કર્યું હતું. ભગવાનને આત્મા શિવાદેવી માતાના ગર્ભમાં ઉત્પન્ન થયો ત્યારથી રાજાનાં ઘણા અનિષ્ટો દૂર થઈ ગયાં અને માતાએ સ્વપ્નમાં ચકરત્ન જોયું હતું. તદુપરાંત, આવા મહાન પુત્રને જન્મ આપવા માટે દેએ પણ માતાને ભાવપૂર્વક પ્રણામ કર્યા હતાં. આ કારણથી “અરિષ્ટનેમિ” નામ રાખવામાં આવ્યું હતું. - રાજા સમુદ્રવિજય, માતા શિવાદેવી અને શ્રીકૃષ્ણની ઇચ્છાથી નેમકુમારની અનિચ્છા હોવા છતાં રાજમતી સાથે નેમકુમારનાં લગ્ન કરવામાં આવ્યાં. અહિંસાના પૂજારી નેમનાથે લગ્નમંડપના પ્રવેશ સમયે જ રાજીમતીને ત્યાગ કરીને ગિરનારમાં સાધના કરી કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું અને તે મોક્ષે સિધાવ્યા. શિવાદેવી માતા દીક્ષા અંગીકાર કરીને સંયમની સાધના કરતાં કરતાં આયુષ્ય પૂર્ણ કરીને ચોથા મહેન્દ્ર દેવલોકમાં ઉત્પન્ન થયાં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005131
Book TitleJin Shasanna Shramani Ratno
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1994
Total Pages958
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy