SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ પણ રામ ચઢાવે તે તે સીતાને સુખે પરણે, એ પ્રમાણે જનક પાસે કબૂલ કરાવી પોતે પુત્રને લઈ બન્ને ધનુષ્ય જનકના દરબારમાં મૂકી નગર બહાર ઉતર્યાં. વિદેહાને ખબર પડતાં તે રૂદન કરવા લાગી. પુત્ર ગયા અને પુત્રી પણ જશે. તે મારે જીવીને શું કામ છે.. આ સાંભળી જનકરાજાએ કહ્યું કે મે રામનું બળ જોઇને કાર્ય કર્યું છે. રામને ધનુષ ચઢાવવું બહુ સહેલ છે. એમ સમજાવી સીતાના સ્વયંવર રચી સરાજા આને અને રામલક્ષ્મણને તેડાવ્યા, સીતા સ્વયં વર્ષે મ`ડપમાં આવી, દ્વારપાળે ઉચ્ચ સ્વરે કયું કે જે કાઈ આ એ ધનુષમાંથી એકપણુ ચઢાવશે તેને જનકરાજા પોતાની પુત્રી પરણાવશે” આ સાંભળી વારાફરતી બધા રાજા ધનુષ ચઢાવવા આવ્યા. પણ તેને સ્પર્શી કરવા પણ ઈ તૈયાર થઈ શકયુ નહિ. છેવટે શમે આવી વાવ ધનુષને પણ ચઢાવ્યુ'. એટલે સીતાએ રામનાં કઠમાં વરમાળ આરોપી. પછી લક્ષ્મણે રામની આજ્ઞાથી અણુ વાવ ધનુષ્ય ચઢાવ્યું તેથી વિસ્મિીત થએલા વિદ્યાધરીએ પાતાની અઢાર કન્યાએ લક્ષ્મણને આપી, ચ’દ્રુગાંત વગેરે વિદ્યાધરા પોતાના સ્થાને ગયા. જનકરાજાએ તેડાવેલ દશરથરાજા તત્કાળ ત્યાં આવ્યા. અને રામને સીતાને વિવાહ : એચ્છવપૂર્વક કર્યાં, જનક ના ભાઈ કનકે પોતાની ભદ્દા નામે પુત્રી ભરતને આપી પછી દશરથ રાજા પિરવાર સાથે અયેાધ્યા આવ્યા. એક વખત દશરથ રાજાએ શાંતિસ્નાત્ર ભણાવી સ્નાત્ર જળ દરેક રાણીઓને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005130
Book TitleSachitra Jain Ramayan
Original Sutra AuthorN/A
AuthorChidanandsuri, Dharmghoshvijay
PublisherKirti Prakashan
Publication Year
Total Pages130
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy