SearchBrowseAboutContactDonate
Page Preview
Page 858
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રજાની લડતના રાહબર બનવાને તેની આગેવાની લેવામાં રહેલ હતા. કેટલાક વર્ષો સુધી શ્રી બળવંતભાઈ અખીલ ભારત રાજસ્થાની પ્રજાકીય પરિષદના મંત્રીપદે રહયા હતા. શ્રી બળ- વંતભાઈ પાછળથી આ પરિષદના ઉપ-પ્રમુખ પણ બન્યા હતા. 'ભાવનગર પ્રા પરિષદના આગેવાન તરીકે તેમણે જવાબદાર રાજતંત્ર માટે ભાવનગર રાજ્યના દિવાન સાથે વાટાઘાટ કરી હતી. તેઓએ ભાવનગરની ધારાસભામાં ચૂંટાયા હતા, અને ભાવનગરના પ્રથમ મુખ્ય પ્રધાન બન્યા હતા. શ્રી બળવંતભાઈ કોંગ્રેસમાં વર્ષો સુધી સક્રિય રહયા હતા ૧૯૪૮માં જયારે સૌરાષ્ટ્રના એકમની રચના થઈ ત્યારે તેઓ તેના પ્રથમ નાયબ મુખ્ય પ્રધાન બન્યા હતા. ૧૯૪૭માં તે ભારતની બંધારણ સભાના સભ્ય ચુંટાયેલા. ૧૯૫૨ અને ૧૯૫૭માં એમ બબેવાર તેઓ ભાવનગરમાંથી લોકસભાના સભ્ય તરીકે ચૂંટાયા હતા તેઆ કેસ સંસદીય પક્ષના મંત્રપદે હતા અને લેકસભાની અંદાજ સમિતિના અધ્યક્ષ પદે પણ રહ્યા હતા. ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન પણ બન્યા હતા. તે પછી વિધિની વિચિત્રતા એ છે કે બરાબર બે વર્ષે તેમની આ ઉજ્જવળ કારકીદી એ સુથરીના દરિયા કિનારે સેડ તાણી તેઓ ગુજરાતનું ગૌરવ હતા. શ્રી ઉછરંગરાય ન, ટેબર સૌરાષ્ટ્રના ઘડતરમાં જેમનું આગળ સ્થાન છે. તે શ્રી ઢેબરભાઈ રાજકોટમાં છે. ઈ રહે. એજન્સીની કોર્ટમાં વકીલાત કરતા હતા દેશમાં રાષ્ટ્રિય આંદોલનના નગારા વાગ્યા અને વકીલાતને તીલાંજલી આપી ૧૯૨૯માં કાંગ્રેસના નિક બન્યા તે પછી કાઠીયાવાડ પોલીટીકલ કોન્ફરન્સના સેક્રેટરીપદે પણુ રહ્યા ૧૯૪૭માં ગુજરાત પ્રદેશ કેગ્રેસના મંત્રી તરીકે કામ કર્યું રાજકેટ સત્યાચક વખતે ત્રણ વખત જેલમાં ગયા. ૧૯૪૧માં છ માસની જેલયાત્રા ભગવી હતી ૯૪૨-૪૫માં પણ જેલમાં ગયા ૧૯૪૮ થી સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્ય પ્રધાન બન્યા ત્યાર પછી અખિલ હિદ કંગ્રેસનું પ્રમુખપદ સાંભળ્યું ગુજરાત અને ભારતની જુદી જુદી સામાજીક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.હાલમાં ખાદી બોર્ડનું સંચાલન કરી રહ્યા છે. છે. જીવરાજ નારાયણ મહેતા તેઓએ પોતાના અભ્યાસકાળ દરમ્યાન દર વર્ષે કલેજ સ્કોલરશીખે અને સુવર્ણચંદ્રક મેળવીને તેજસ્વી વિદ્યાર્થી તરીકે નામના કાઠેલી. સમાજસેવાની પ્રવૃત્તિ પણ અભ્યાસકાળથી જ અપનાવેલી. લંડનમાં ઇન્ડીયન એ.ની સ્થાપના કરી ઇગ્લેડમાં હિંદી વિદ્યાર્થીઓને નડતી મુશ્કેલીઓ અંગે લંડનમાં ઝુંબેશ ઉઠાવી હતી, ૧૯૫૧માં મુંબઈ આવી કન્સલ્ડીંગ ડીસ શરૂ કરી. ૧૯૨૧માં વડોદરા રાજ્યના ચીફ મેડીકલ ઓફિસર તરીકે જોડાયા. ૧૯૩૨ માં ભારતના મુક્તિજગમાં ઝંપલાવ્યું બે વર્ષ જેલવાસ ભોગવ્યો. ૧૯૪૨માં ભારત છેડોની લડતમાં ભાગ લીધે અને ફરી બે વર્ષ જેલવાસ બેગ, ૧૯૪૬માં વિધાનસભામાં ચુંટાયા. ૧૯૪૮માં વડોદરા રાજ્યના દિવાન [[ બૃહદ ગુજરાતની અસ્મિતા નિમાયા. ૧૯૪૯માં મુંબઈના પ્રધાનમંડળમાં જાહેર બાંધકામના પ્રધાન થયાં. ૧૯પર થી ૧૯૫૬ સુધી મુંબઈ સરકારના નાણાંખાતા ઉપરાંત દારૂબંધી અને ઉદ્યોગ ખાતાના પ્રધાન તરીકે ફરજો સંભાળેલ. તે પછી ગુજરાત રાજ્યના મુખ્ય પ્રધાન બન્યા. સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં તેમની સેવાઓ ઘણી છે. શ્રી રસીકલાલ ઉમેદચંદ પરીખ જેમના પાસેથી સૌરાષ્ટ્રના સ્વાતંત્ર્ય સંગ્રામની કડીબદ્ધ વિગતે મળી શકે છે. જેઓએ લીંબડી સત્યાયના પ્રણેતા અને સૌરાષ્ટ્રના એક અડીખમ રાજકીય કાર્યકર તરીકેનું સ્થાન પ્રથમ હરોળમાં મેળવ્યું છે, તેવા શ્રી રસિકબાઈ ૧૯૩૩, ૧૯૭૯ અને ૧૯૪૨ ની રાષ્ટ્રીય ચળવળોમાં અગ્ર ભાગ ભજવ્યો હતો અને ત્રણ વખત જેલવાસ ભોગવ્યો હતે. ૧૯૪૮ માં સૌરાષ્ટ્ર રાજ્યસભામાં પ્રધાન તરીકે લેવાયા. ૧૯૫૨ માં ઝાલાવાડમાંથી લોકસભામાં ચૂંટાયા. રાષ્ટ્ર રાજ્યના ગૃહપ્રધાન તરીકે પણ કામ કર્યું. ૧૯૫૪ માં સૌરાષ્ટ્ર રાજ્યના મુખ્યપ્રધાન થયાં. ૧૯૫૬ થી મુંબઈ રાજ્યના મહેસુલ પ્રધાન તરીકે પણ સેવા આપી. ગુજરાતનું અલગ રાજ્ય થતાં ગુજરાત રાજ્યના ગૃહપ્રધાન તરીકે પણ સેવા આપી હતી. શ્રી મનુભાઈ શાહ સૌરાષ્ટ્રનું રાજ્ય રચાયું ત્યારે નાનામાં નાના પ્રધાન તરીકે જે ગણુતા હતા તે શ્રી મનુભાઈ શાહે દિલ્હીમાં શરૂઆતમાં દિલ્હી કલોથ અને જનરલ મીન્સ કાંડ માં ઉંચા દરજ્જાની જગ્યા ઉપર બાર વર્ષ કામ કર્યું. સૌરાષ્ટ્રમાં નાણુપ્રધાન થયાં. રાષ્ટ્રિય લડતમાં તેમણે ઘણી સેવાઓ આપી છે. ભારત સરકારના ઉદ્યોગવિકાસ ખાતા પ્રધાન પછી ભારે ઉદ્યોગ ખાતાના પ્રધાન થયાં. ૧૯૫૭ થી ભારત સરકારના ઉદ્યોગ ખાતાના પ્રધાન તરીકે પણ સેવા આપી છે. ભારે ઉદ્યોગમાં તેમણે નહેરૂને સ્વતાઓ સાર્થક કર્યા, કાપડ ઉદ્યોગને દુનિયામાં બીજી રથાન અપાવ્યું. નિકાસ વ્યાપારમાં નવા શિખરો સર કરી બતાવ્યા. ઔદ્યોગિક ક્રાંતિના મશાલચી તરીક અને આધુનિક સોરાષ્ટ્રના શિલ્પીઓમાં તેમનું નામ મોખરે રહેશે, ગુજરાત ડેવલોપમેન્ટ કેરેશનના સુકાની તરીકે ઘણી યશસ્વી સેવા આપી રહ્યાં છે. શ્રી રતુભાઈ અદાણી ગાંધીયુગની ખડતલ વ્યકિતઓમાં શ્રી રતુભાઈનું નામ મેખરે છે ૧૯૩૦ માં અભ્યાસ છોડ અને સત્યાગ્રહની ચળવળમાં ભાગ લીધે અને જેલમાં ગયા. જેલમાંથી બહાર આવી રાજકીય અને સામાજિક પ્રત્તિઓ શરૂ કરી, ૧૯૪ર માં ભૂગર્ભકાર્યકર તરીકે કામ કર્યું સૌરાષ્ટ્રનું રાજ્ય રચાયા પછી વિકાસ અને પ્લાનીંગ ખાતાના પ્રધાન તરીકે સેવાઓ આપી. મુંબઈ રાજાના વીલેજ પંચાયત અને કોટેજ ઇન્ડસ્ટ્રીઝના પ્રધાન તરીકે પણ કામ કર્યું. છેલ્લે ગુજરાત રાજ્યના પ્રધાન મંડળમાં પણ જોડાયા. આજે જૂનાગઢમાં રહીને સૌરાષ્ટ્રની રચનાત્મક પ્રવૃત્તિઓને વેગ આપી રહ્યાં છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy