SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ સાંસ્કૃતિક સંદ` ગ્રન્થ ] મે'રડા ગામમાં છે. ત્યાંના માવણી અટકના જૈન ભાઈએ માતાજીને પૂજે છે.. સંવન ૧૬૫૧ના ચૈત્રમાં માતાજીની સ્થાપના ત્યાં થઈ હતી એવા ત્યાં લેખ છે. મૂર્તિ ગીરમાં છે તેવી જ છે. એ મંદિર શાબરી નદીને કાંઠે છે. વાંજા ભાઈએ તથા જૈન ભાઇએ વરઘાડિયાંની છેડાછેડી અહીયા છેડે છે. સ્થળ ઘણુંજ રમણીય છે. પ. માતાજીનું પાંચમું મંદિર હડમતિયા પાસે આવેલ આલીદરમાં સાંગાવાડી (સી'ગવાડા) નદીને કાંઠે આવેલુ છે. કહેવાય છે કે એક વિણક ગૃહસ્થને દર મહીને પગે ચાલીને મધ્યગીરમાં બિરાજતા કનકાઈના દર્શને જવાના નિયમ હતા. એ નિયમ મુજબ એ કુટુ ́ખ સહિત એક વખત ચાત્રા કરવા નીકળ્યેા. સાંગાવાડી પાસેના જંગલમાંથી પસાર થતાં તેઓને ડાકુઓએ લુંટવાના પ્રયત્ન ર્યાં. વણિક ગૃહસ્થે માતાજીનું સ્મરણ કરી બચાવે, બચાવે, એમ બુમ પાડી. એજ વખતે ચાત્કાર થયા. લુંટારાઓ આંધળા થઈ ભાગવા લાગ્યા. માલાજીએ સાક્ષાત દન દઈ ભકતને કહ્યું કે ‘ગભરાઇશ નહી, ભય ટાળી દીધા છે. આથી આ સ્થળે માતાજી ‘ભેટાળી’ તરીકે પણ એળખાય છે. માતાજીની મૂતિ ગીરની સ્મૃતિ જેવી છે. માતાજીના કહેવાથી આ મ ંદિર એ વખતે એ વિણક ગૃહસ્થે અંધાવ્યુ છે. ૬. માતાજીનું છઠ્ઠું મંદિર કાડીનારમાં કનકાઈ શેરીમાં છે, વર્ષો પહેલાં પઢિયાર અટકના સુથારે એ મંદિર ખંધાવ્યું છે, કહેવાય છે કે આ સુથાર દર ચૌદશે ચાલીને ગીરમાં દન કરવા જતા, પૂનમે દન કરીને પાછા આવતા કાયા ચાલી ત્યાં સુધી આ નિયમ પાળ્યા પછી એ દિવસ ખાધાપીધા વિના રહી માતાજીને પ્રસન્ન કરી કહ્યું કે હવે આવવુ આકરૂ' પડે છે. માતાજીએ કહ્યું કે, ‘હું તારી સાથે આવું છું.' તુ પાજી વાળી ન જોતા ચાલ્યા જજે. સુતાર આગળ અને માતાજી પાછળ, રૂમઝુમ ઝાંઝર થાય છે. શીંગવડા નદી આવતા પાણીમાં અવાજ બધ થતાં સુતારે પાછુ જોયુ અને માતાજી ત્યાં જ રોકાઇ ગયાં. ફરી સુતાર અન્નત્યાગ કરી કરગર્યા ત્યારે માતાજીએ કહ્યું કે, “ કોડીનાર જઇ પૂનમે બધાને ભેગાં કરી નદીએ આવજે. ઉનાળા છે છતાં પૂર આવશે. તેમાં છાખડી તણાતી આવશે તે તુ' લઈ લેજે. છાખડીમાં શ્રીફળ -ચુંદડી હશે જેની પધરામણી કરજે. ત્યાં પણ રહીશ” હાલ સુથારી ત્યાં માનતા ઘેાડે છે. જે સુથારો છાબડી લેવાં નહેાતા ગયા તેમને હજુ માનતા છેાડવા ગીરમાં જવુ' પડે છે. બીજા મંદિરા ઉના દેલવાડા, ચારવાડ, માંગરાળ, દીવ વગેરે સ્થળેાએ છે. ગુજરાતમાં સુરત, શુકલતી સિદ્ધપુર, ભુવેલ, ગાંગડ વગેરે સ્થળેાએ છે. Jain Education International ૧૬૯ (૭) સૌરાષ્ટ્રમાંથી આવીને છેલ્લા ૫૦૦ વર્ષોથી રહેતા ઉનેવાળાએ અને મૂળીના પરમારએ તેમ જ શાંડિલ્ય ગૌત્રના બ્રાહ્મણેાએ અને કાનમ સમાજના ચાર ચારાના ભાઈઓએ મળીને મંદિર ખ'ધાવી શુકલતીર્થ માં પણ માતાજીની પ્રતિષ્ઠા કરી. સ'. ૧૯૨૨માં આ મંદિરના પાા જીર્ણોદ્ધાર કરવામાં આવ્યેા. (૮) સિદ્ધપુરમાં આવેલ મ`દિરના ઇતિહાસ છે કે સિદ્ધરાજ જ્યસિંહે રૂદ્રમાળ બંધાવ્યા ત્યારે ઉનાથી વિદ્વાન બ્રાહ્મણેાને મેલાવ્યા. એ બ્રાહ્મણ્ણાના નિત્ય નિયમ માટે માતાજીનું મદિર ખ'ધાવી આપી કનકાઈની પ્રતિષ્ઠા ધામધૂમથી કરવામાં આવી. રાજાએ મંદિરની બાજુમાં એક કૂવા પણ ખંધાવી આપ્યા. આ વાત ૮૦૦ વર્ષ પહેલાં બની. કાળમળે મ'દિર જીણુ થઈ જતાં ત્યાં વસતા ઉનેવાળ બ્રાહ્મણેાએ સંવત ૧૯૬૪ માં એ જ સ્થળે નવુ મંદિર બાંધાવ્યું. મૂળ પાદુકા રહેવા દઈ નવી મૂર્તિની સ્થાપના કરવામાં આવી. આ સ્થળે કનકાઇમાતા કલેશહર (કલેશને હરનારા) અને જ્યોતિના અવતાર તરીકે ઓળખાય છે. ખલેાચ જાતીના મુસલમાનેને માતાજીએ પરચા બતાવ્યાથી સિદ્ધપુરમાં રહેતાં આ મુસલામાને આજે પણ નવરાત્રીમાં ઉત્સવ કરે છે. ૯. મૂળ સૌરાષ્ટ્રમાંથી માતાજી ગુજરાતમાં કેમ અને કયારે ગયા તે અંગે ઇતિહાસ એમ કહે છે કે ઇ. સ. ૧૦૨૪માં મહમદ ગીઝનીએ સે।મનાથ પાટણ લૂટ્યુ અને સૌરાષ્ટ્રના હિંદુએ ઉપર કેર વર્તાવ્યેા ત્યારે પારખ દર શ્રી વેરાવળ સુધીના દરિયા કિનારે વસતા ઉનેવાળ જ્ઞાતિના ઠાકર, શુકલ, મહેતા અવ્યુ, પાઠક, ભટ્ટ, જોષી, વૈધ વગેરે અટકના આશરે ૩૦૦ કુટુબેએ હિજરત કરી સુરત અને તેની આસપાસના કતારગામ, નવસારી વગેરે સ્થળેએ વસવાટ કર્યાં. આ વખતે શુકલ કે મહેતા કુટુંબે કુળદેવી કનકાઈની સ્મ્રુતિ સાથે લાવ્યા હતા. સુરતમાં રૂગનાથ પુરા વરાછા શેરીમાં જ્ઞાતિની જુની વાડીમાં એ મૂર્તિની સ્થાપના કરવામાં આવી ઇ. સ. ૧૮૯૦માં જૂનુ` મ ંદિર જીણુ થતાં જૂની મૂર્તિ ત્યાંથી ખસેડી, સુરતના મહિધર પુરામાં રાખી. ઈ. સ. ૧૯૧૯માં ત્યાં વસતા ઉનેવાળાએ મ'દિર ફરી બાંધ્યુ અને નવી મૂર્તિની પ્રતિષ્ઠા કરી. જૂની મૂતિ પણ ત્યાં પધરાવવામાં આવી. માતાજી કનકેશ્વરી જગતજનની તરીકે સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં બિરાજે છે, એના હજારો ભકતા આખા ભારતમાં પથરાયેલ છે. For Private & Personal Use Only આદ્યશકિત આરાધતાં, સફળ થાય અભિલાષ, ટળે તિમિર અંતર તણું, પ્રગટે પૂર્ણ પ્રકાશ www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy