SearchBrowseAboutContactDonate
Page Preview
Page 929
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ પોરબંદરમાં બિરલા શેઠ અને નાનજી કાલીદાસ મહેતા બંને મહાનુભાવોનાં નામ ચેમ્બર્સમાં જોડવાનો સમારોહ યોજાયો હતો. ઘનશ્યામદાસ બીરલા પધારેલા હતા, ત્યારે મારી ઉંમર છવ્વીસ વર્ષની હતી.” “હું જે કંપનીનું કામ કરતો હતો તે કંપનીના માલિકના નાનાભાઈ સાથે મને સમારોહમાં જવાનો મોકો મળ્યો હતો. બિરલાહોલમાં છેલ્લે ઊભા રહીને અમે બધા મહાનુભાવોનાં ભાષણ સાંભળતાં હતાં. અંતમાં જ્યારે બિરલા શેઠ પોતાનું વક્તવ્ય આપવા ઊભા થયા. મને તેમનું ભાષણ સાંભળવાની તીવ્ર ઇચ્છા હતી. પરંતુ હું જેમની સાથે આવ્યો હતો. તે ભાઈ કંટાળ્યા હતા. મને કહે, “ચાલો જતા રહીએ.” ત્યારે મેં કહ્યું : “મારે એક વખત બિરલા શેઠ શું બોલે છે તે સાંભળવું છે. આપણે સાંભળીએ અને પછી જઈએ.” “બીરલા શેઠનું ભાષણ શરૂ થયું. એકદમ સાદાઈથી ધીમા અવાજે હિન્દી ભાષામાં નમ્રતાપૂર્વક બોલવાનું શરૂ કર્યું. જેમ જેમ બોલતા ગયા. તેમ તેમ મને તેમનું બોલવું મીઠું લાગ્યું. ભાષણમાં કોઈ જાતનો અહમ નહોતો. તેમના શબ્દો મારા મગજમાં ઘર કરી ગયા. ભાષણના મુખ્ય અંશ નીચે મુજબ છેઃ તમે પણ કાંઈક બની શકો છો. હું કોઈ મોટો ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ નથી. દાખલા તરીકે તમારે ફેક્ટરી કરવી છે, મોટા વેપારી બનવું છે, તમે કોમર્સ લાઇનમાં હોંશિયાર છો. તમારે એન્જિનિયરની જરૂર છે, તો તમને સારા પગારથી એન્જિનિયર મળી શકે છે. અગર તમે એક સારા એન્જિનિયર છો તો તમને સારા કોમર્શિયલ માણસ જોઈએ છે, તો તે તમને મળી શકે છે. માની લ્યો કે બંનેમાંથી કાંઈ નથી. તમારી પાસે માત્ર હિંમત હોય તો, તમે બંનેને ખરીદી શકો છો, પરંતુ એક વાત ચોક્કસ છે કે દુનિયામાં હિંમત ક્યાંય વેચાતી મળતી નથી. તમે સમયસર હિંમત દાખવો. યોગ્ય નિર્ણય શક્તિ રાખો તો દુનિયામાં કોઈ તાકાત નથી કે તમારા વિકાસને કોઈ રૂંધી શકે.” આ વાત મારા મગજમાં દઢ થઈ ગઈ. મેં ૧૯૭૯માં નોકરી છોડી, પોરબંદરમાં મારા સ્વતંત્ર ધંધાની શરૂઆત કરી. શૂન્યમાંથી સર્જન આજે અમારા ઉદ્યોગ સંકુલ સૌરાષ્ટ્ર આયર્ન ફોર્જિગ પ્રા.લિ., ફોર્જિગ ઇન્ડસ્ટ્રીઝમાં (વેરાવળ, શાપર) જિ. રાજકોટ) ભાઈઓના ગ્રુપ સાથે ત્રણસો માણસોને કામ મળે છે. આ પ્રેરક દાખલો યુવાનોએ હૈયામાં આત્મસાત્ કરવો જ જોઈએ. ૯૧૯ * રાજકોટમાં બાર એકર જમીનમાં વિશાળ પ્રોજેક્ટ સાથે શ્રી અમૃતભાઈ ભારદિયાના આગમનની તૈયારી થઈ રહી છે. રાજકોટની બે સહિત કુલ ત્રણ ખાનગી કંપનીઓ આગામી બે વર્ષમાં રાજકોટમાં રૂા. ૮00 કરોડના રોકાણ માટે આગળ વધી રહી છે, જેમાં રાજકોટ સ્થિત રોલેક્સ રીંગ અને સૌરાષ્ટ્ર આયર્ન એન્ડ ફોર્જિગ લિ. અનુક્રમે રૂા. ૪૦૦ કરોડ અને રૂા. ૧૫૦ કરોડનું રોકાણ કરવા આગળ વધશે. આ રોકાણ માટે જમીન ઉપલબ્ધ કરવા જિલ્લા વિકાસ અધિકારીઓ સાથે તેમની વાતચીત અંતિમ તબક્કામાં છે. આ કંપનીઓનાં રોકાણથી સીધી અને આડકતરી રીતે ૮૦૦૦ લોકોને રોજગારી મળશે. રાજકોટના જિલ્લા કલેક્ટરશ્રીએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, “રાજકોટ જિલ્લામાં રોકાણ માટેનું આકર્ષણ વધ્યું છે. આ પ્રોજેક્ટ ૨૦૦૮ સુધીમાં કાર્યરત થશે. સૌરાષ્ટ્ર આયર્ન એન્ડ ફોર્જિગ લિમિટેડના ચેરમેન શ્રી અમૃતભાઈ ભારદિયા ગોંડલ રોડ પર રૂા. ૧૫૦ કરોડના પ્રોજેક્ટ બાર એકર જમીનમાં સ્થાપી રહ્યા છે. શ્રી અમૃતભાઈને હાર્દિક શુભેચ્છા. ઉતાર– ચઢાવ વચ્ચેય ઊભરેલા સૌમ્ય ઉદ્યોગકાર શ્રી રૂડાભાઈ પટેલ (રૂડા ભગત) મનુષ્ય દેહ મળ્યો એ પરમપિતા શિવજીની કૃપા સમજી માનવદેહ થકી સંસારચક્રમાં રહીને એક ઉમદા માનવ તરીકે જીવવું એવા ધ્યેયને વરેલા શ્રી રૂડાભાઈ ભવાનભાઈ પટેલ સાંપ્રત સમયના આજની ભૌતિકવાદી પેઢીને પ્રેરણા સ્વરૂપ વ્યક્તિત્વના માલિક છે. પુરુષાર્થ, નીડરતા અને આત્મસૂઝ વડે સફળ ઉદ્યોગકાર ઉપરાંત સામાજિક ક્ષેત્રે યથાયોગ્ય પ્રદાન કરવામાં સદાય તત્પર એવા રૂડાભાઈનું મિલન એમનાં કાર્યોની સુવાસ થકી પ્રાપ્ત થયું. તેમનો જન્મ તા. ૪-૫-૧૯૫૯ના રોજ રાજકોટના જસદણ તાલુકાના જસાપરની ધન્ય ધરતી પર થયો. પિતા ભવાનભાઈ, માતા ડાહીબહેન એટલે વાત્સલ્યની મૂર્તિ. મૂળ વતન જસદણ ને કર્મભૂમિ પણ જસદણને જ બનાવી છે. શ્રી રૂડાભાઈનો શૈક્ષણિક અભ્યાસ ફક્ત ૭ ધોરણ. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy