SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૨ ગુજરાતના શ્રી અરવિંદસાધકો શ્રી અરવિંદ ઘોષ માત્ર અવટંકે અને જન્મે જ બંગાળી છે, બાકી એમનું સમસ્ત જીવન ગુજરાતમય રહ્યું છે. ભૌતિક જીવનની ઉત્ક્રાંતિ અને આધિભૌતિક જીવનની સંક્રાંતિમાં ગુજરાતની ભૂમિ એમની માતા સમાન રહી છે, કારણ કે વિદેશ અભ્યાસ પૂરો કરીને ઈ.સ. ૧૮૯૩માં સીધા વડોદરા આવ્યા અને ૧૯૦૬ સુધી, પૂરાં ૧૩ વર્ષ એમણે વડોદરા રાજ્યની વિવિધ સેવામાં વિતાવ્યાં. એમાં વડોદરા રાજ્યના મહેસૂલ વિભાગમાં, મહારાજા સયાજીરાવના અંગત દફ્તર વિભાગમાં અને કોલેજમાં અંગ્રેજી અને ફ્રેન્ચ ભાષા-સાહિત્યના અધ્યાપક તરીકેની એમની કામગીરી અતિ સરાહનીય હતી. વડોદરા–નિવાસ દરમિયાન ઊંડો અભ્યાસ કર્યો. સંસ્કૃત વાલ્મીકિ, કાલિદાસ આદિનું ગુજરાતી, મરાઠી, હિન્દી આદિ આમ, ચિંતક અને સર્જક તરીકે શ્રી જ એમણે ભારતીય સંસ્કૃતિનો ભાષા, વેદ-ઉપનિષદ, વ્યાસ અધ્યયન કર્યું. અહીં જ બંગાળી, ભાષા-સાહિત્યનો અભ્યાસ કર્યો અરવિંદ ગુજરાતની ભૂમિ ૫૨ તેમને અધ્યાત્મમાર્ગ તરફ દોર્યા. અહીં જ યોગગુરુ શ્રી લેલેના માર્ગદર્શન સાથે પાંગર્યા. આ ભૂમિના હવા પાણીએ જ એમણે યોગની દિશામાં પ્રથમ ચરણ માંડ્યાં. યોગસાધનાનો આરંભ કર્યો અને અત્યંત ટૂંકા ગાળામાં એમને ‘નીરવ બ્રહ્મ' (નિર્વાણ)ની ભૂમિકા સિદ્ધ કરી. તેમની જીવનયાત્રાનો વધુ ઉઘાડ અત્રે જ ઝિલાયો. અહીં જ સ્વાતંત્ર્ય-ચળવળમાં એક ક્રાંતિકારીની ભૂમિકા અદા કરી. રાષ્ટ્રભાવનાના પાઠ ભણ્યા અને રાષ્ટ્રીય જુવાળમાં યુવાનોના પ્રેરણાદાતા અહીંથી જ બની રહ્યા. વડોદરા કાળ દરમિયાન કરનાલીમાં કાલીની મૂર્તિમાં એમને જીવંત ચૈતન્યનો સાક્ષાત્કાર થયો તેઓ રાજકીય કારકિર્દીની ટોચ પર હતા. એ પછી અંતરના આદેશને અનુસરીને એમણે પૂર્ણપણે જીવન યોગને સમર્પિત કરવા પોંડીચેરી વાસ કર્યો, પણ પછી એમની મહાયોગી તરીકેની ભૂમિકાએ સ્થળ-કાળના સીમાડા ઉલ્લંઘ્યા, તે વિશ્વવ્યાપી બની રહ્યા. દિવ્ય--ભવ્ય મહામાનવ, રાષ્ટ્રપ્રેમ, સંસ્કાર–ભાવના, સંસ્કૃતિ-સંવર્ધન આદિ મહાન વિભાવનાઓના પ્રસાર– પ્રચારનું કેન્દ્ર બની રહ્યા. ગાંધીજી અને રવીન્દ્રનાથ સાથે પૂરા આદરથી શ્રી અરવિંદ ભારતના એક અવતાર-પુરુષ ગણાયા. અંબુભાઈ પુરાણીથી સુંદરમ્ સુધી અસંખ્ય ગુજરાતીઓએ એમના આ વૈશ્વિક કાર્યમાં સહયોગ આપ્યો. ગુજરાતના શ્રી અરવિંદસાધકો ઉપરથી લેખમાળા રજૂ કરે છે શ્રી પરમ રમણલાલ પાઠક (જન્મ તા. ૯ જુલાઈ, ૧૯૬૨), જેઓ છેલ્લા સોળ વર્ષથી સરદાર પટેલ યુનિવર્સિટીઆણંદમાં અનુસ્નાતક ગુજરાતી વિભાગમાં કાર્યરત છે. Jain Education International ૧૬૫ પરમ આર. પાઠક For Private & Personal Use Only પરમ રમણલાલ પાઠક www.jainelibrary.org
SR No.005127
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages970
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size45 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy