SearchBrowseAboutContactDonate
Page Preview
Page 964
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪૪ શ્રાવિકા રત્નકુક્ષિણી જીવીબહેન હાલારના દરિયાના બરાબર કિનારે, ખંભાલિયા તાલુકાના આંબલા ગામમાં દાનશૂરા ધરમશીભાઈ કારાના ઘરેમાતા ગંગાબહેનની કુક્ષિએ એક પુત્રીનો જન્મ થયો. નામ પડ્યું ‘જીવી'. એકદમ શરમાળ, પવિત્ર, વિનયી, કહ્યાગરી કામગરી પુત્રી–માતાપિતા માટે આ એક જ પુત્ર કહો કે પુત્રી તે જ મૂડી હતી. મોટી થતાં માતા-પિતાએ મોટા માંઢાના રહીશ પૂંજાભાઈ નોંધાભાઈ ખીમસિયાના સુપુત્ર માણેકભાઈ સાથે લગ્ન કરાવ્યાં. પૂર્વના સંબંધોનો જાણે સાથ હશે! તેમ આ કુળવાન છોકરી જીવીબહેનનું જીવન ખરેખર પ્રશંસનીય બન્યું. માતાપિતાની એકની એક પુત્રી, લાડ-કોડમાં ઊછરેલી, પણ સંસ્કારોની ખાણ સમાન વહુ બનીને સાસરે આવીને બીજા દિવસથી જ બધાંને પોતાના ગુણોથી આકર્ષી લીધાં. કામ કરવાની છટા, બોલવાનું તો ન છૂટકે અને વડીલોની આમન્યા પૂરેપૂરી સાચવે તથા માણેકભાઈનો સ્વભાવ થોડો મર્યાદાના પાલન માટે ચુસ્ત-કડક પણ કહેવાય તો પણ ક્યારેય સામે બોલવાનો પ્રસંગ ઊભો નહોતો થયો. પતિ માણેકભાઈની પ્રસન્નતા એ જ જીવન. ઉપકારી વડીલોની સેવા એ જ મંત્રનું આરાધન કરતાં સમય-કાળ પસાર થઈ રહ્યો હતો. પોતાના દિયર કેશુભાઈએ હાલારના તપગચ્છના ઇતિહાસમાં સર્વપ્રથમ દીક્ષા લઈ–મુનિ કુંદકુંદવિજયજી' બન્યા ત્યારે તેમની દીક્ષામાં પ્રેરક તરીકે માણેકભાઈ હતા. વૈરાગી એવા માણેકભાઈએ ત્યાં જ વિચાર કર્યો કે-“ભાઈએ આખા સંસારનો ત્યાગ કર્યો, તો મારે પણ એવું કંઈક કરવું કે જેથી આખી જિંદગી યાદ રહે. ” એક અત્યંત પ્રશંસનીય નિર્ણય લીધો, પણ એ નિર્ણય પોતે એકલા જ પાળી શકાય તેવો ન હતો. તે માટે ધર્મપત્ની જીવીબહેનને જણાવવાનું હતું. બીજા દિવસે તે જણાવ્યું. હજુ તો પત્નીના ગર્ભમાં બાળક છે. સંસાર સુખના દિવસો છે. ભરયુવાનીના ઉંબરેથી પસાર થવાનાં વર્ષો છે. તેવા સમયે બ્રહ્મચર્ય વ્રત સ્વીકારવાના કોડ સેવાઈ રહ્યા છે. માણેકભાઈની ૨૬ વર્ષની ઉંમર અને જીવીબહેનની ૧૮ વર્ષની ઉંમર છે. આ ઉંમરે જગતમાં દીપક સમા બ્રહ્મચર્ય વ્રત’ સ્વીકારવા બન્ને તૈયાર થયાં. પૂજ્ય ગુરુ મહારાજને વાત કરી. હજું તો કિશોર અવસ્થા છે, પણ પૂર્વભવની Jain Education International ધન્ય ધરાઃ અનાસક્તિનો યોગ-આ ભવમાં ઉદયમાં આવ્યો. માણેકભાઈ પવિત્ર હતા, જીવીબહેન પણ પવિત્ર હતાં. બન્ને બ્રહ્મચર્ય વ્રતનાં ધારક બની ચૂક્યા. બન્નેના વિચારો પવિત્ર હતા. તેની અસર ગર્ભમાં રહેલા સંતાન પર પડતી હતી. ૧૯૯૮ના જેઠ સુદ-૨ ના શુભ દિવસે કોઈપણ પીડા વિના માતાએ સુંદર સ્વરૂપવાન અનેક લક્ષણોથી યુક્ત પુત્રરત્નને જન્મ આપ્યો. નામ આપ્યુંવર્ધમાનકુમાર, હુલામણું નામ રાખ્યું કેશવજી (કેશુ). પૂ. ગુરુદેવ પંન્યાસપ્રવર શ્રી ભદ્રંકર વિજયજી ગણિવર્યશ્રી આદિ સં. ૨૦૦૪માં પાલિતાણામાં ચોમાસું હતા. એમની નિશ્રામાં પૂરતો લાભ લેવા માણેકભાઈ, જીવીબહેને ત્યાં રસોડું ખોલીને સાધર્મિકોની સાથે સાધુ-સાધ્વીજી ભગવંતોની ખૂબ ભક્તિ કરીને અનેરું પુણ્યોપાર્જન કર્યું. સવારથી સાંજ સુધી જે કોઈ આરાધક આવે, તેને રસોડે તેડી જાય. સાધુ-સાધ્વીજી ભ.ની પણ ઉદારતાપૂર્વક ભક્તિ કરે. એમના ઉદારતાના સંસ્કારો પુત્ર કેશવજીના જીવનમાં એવા સરસ ઊતર્યા કે ૬ વર્ષની વયે પાટલે બેસીને અનેક ચીજો વહોરાવે, પણ જરાય ઢોળાય નહીં. પૂજા, વંદન કરી આવે અને પહેલેથી જ પાટલે બેસી જાય. દરરોજ ૨૦ કિલો પપૈયા, ૪૦ લિટર દૂધ, મીઠાઈ આદિથી દરરોજ સળંગ ૧૨ મહિના સુધી ભક્તિ કરેલી. માણેકભાઈ જેમ ઉદાર હતા, તેમ જીવીબહેન પણ એટલાં જ ઉદાર, લાગણીશીલ હતાં. બન્નેનો યોગ એવો થયેલો કે આ રીતે ભક્તિ કરતાં આનંદઆનંદ જ થયા કરે. હાલારના ૪૦૦ વર્ષના ઇતિહાસમાં એક નવો વિક્રમ સ્થપાઈ રહ્યો હતો. તે એ જ કે સૌથી નાની-૧૩ વર્ષની ઉંમરે બાલદીક્ષિત તરીકે આ કેશુનો નંબર આવી રહ્યો હતો. વૈશાખ સુદ-૭ ના દીક્ષા થઈ. વર્ધમાનનું નામ-‘વજ્રસેન વિજયજી' પડ્યું. દીક્ષા પછી બધાં હાલાર આવ્યાં. ઘરમાં એકદમ શૂન્યતા લાગતી પણ સાથે આનંદ પણ થતો. જીવીબહેન હવે વિશેષે માણેકભાઈની સેવા તથા સામાયિક--ધર્મ ધ્યાનમાં જોડાઈ ગયાં. વ્યવહારની ચોક્સાઈ, બુદ્ધિની તીક્ષ્ણતા અનેરી હતી. એમણે ઘરમાં લોટ દળતાં દળતાંજ ૧૨ ભાવનાની સજ્ઝાય મોઢે કરેલી. એ બોલે ત્યારે સાંભળનારને ભાવનાઓના ભાવોથી ભાવિત કરી દે, એવો કંઠ હતો. જીવન પણ કેવું પવિત્ર-શુદ્ધ, કે એમના મસ્તકમાંથી વાસક્ષેપ ઝરતો અને કંકુનાં પગલાં પડતાં. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy