________________
૮૨૪
જિનશાસન માટે આવાં ઐતિહાસિક કાર્યોનું સૃજન કરે, જેથી તેઓ આહોરના ઝળહળ તારા બની આહોરના ઇતિહાસને દેદીપ્યમાન સૂરજ બનાવી સુવર્ણમય ઇતિહાસ બનાવી દે એ જ મંગલકામના સાથે.....
વ્યક્તિત્વ, શાલીનતા અને સહજતાના સ્વામી દેવકુમાર કે. જૈન
પણ વ્યક્તિના
કોઈ ઘડતરમાં જે ત્રણ બાબતો વિશેષ મહત્ત્વની રહી છે તે છે સંસ્કાર, વિચાર અને વ્યવહાર. સંસ્કારોમાંથી વ્યક્તિના વિચાર બને છે અને વિચારો દ્વારા જ વ્યક્તિનો વ્યવહાર નિયંત્રિત થાય છે. એમ કહેવામાં જરાય ખોટું નથી કે દેવકુમારજી કુંદનમલજી જૈનન આ ધાર્મિક અને સામાજિક સંસ્કાર વારસામાં મળ્યા છે. આ સંસ્કારોના જ કારણે એમને ધર્મ અને જીવદયા પ્રત્યે એટલો લગાવ છે કે આના માટે તેઓ પોતાનું કામકાજ છોડીને પણ આમાં તત્પર જોવા મળશે. વ્યવહાર બાબતમાં તેઓ એટલા શિષ્ટ, સહજ અને શાલીન છે કે ક્યારેક ક્યારેક તો લોકોને વિશ્વાસ પણ નથી બેસતો કે એમની જેવો માણસ આટલો સહજ પણ હોઈ શકે. એ સાચું છે કે વ્યવહારની આ સહજતા ક્યારેક ક્યારેક વ્યક્તિની ખામી પણ બની જાય છે. કેટલાંક લોકો આને બનાવટીપણું (દંભ) પણ કહે છે, પરંતુ મારો પોતાનો અનુભવ તો એવો છે કે એકવાર જેની સાથે એમના પોતાના મનમિજાજનો મેળ જામી જાય તો એના માટે દેવકુમારજીનું તમામ ખુલ્લું ખાતું છે જે કોઈપણ ગમે ત્યારે વાંચી શકે છે.
પ્રતિભાઓ કદી પ્રેરણાઓ પર આધારિત નથી હોતી. એ તો પોતે પોતાનો દીપક લઈને ચાલે છે અને અંધકારમાં પ્રકાશનું આહ્વાન કરે છે. જીવનના અનેક પડાવો પર પથરાયેલા અંધકારનો પડકાર સ્વીકાર કરવો અને ખૂબ જ શાનથી અંધારાઓને નેસ્તનાબૂદ કરી જીવનમાં ઉજાસ ભરી લેવો. કાર્યસિદ્ધિ માટે અવિરત ઝૂઝવું અને સાર્થકતાના મોતી શોધી લાવવા. આ સંપૂર્ણ ચિત્રાવલી જ્યાં એક સૂત્રમાં બંધાય છે અને એનાથી જે પડછાયા એક નવા ઓજસ્વી વ્યક્તિને નકશીદાર બનાવે છે એજ વ્યક્તિત્વ મેળવ્યું છે શ્રી દેવકુમારજી કુન્દનમલજી જૈને. જેમનો જન્મ શૂરવીરોની ધરતી રાજસ્થાનના
Jain Education International
ધન્ય ધરા
ન
જાલોર જિલ્લાના આહોરમાં સને ૧૯૫૪માં થયો. આહોરનો ધાર્મિક પરિવેશ તો માત્ર રાજસ્થાનમાં નહીં, આખા હિન્દુસ્તાનમાં મશહૂર છે. ૫૪ વર્ષના નવયુવાન છે. ઉંમરના ઢળવા છતાં એમના ચહેરા પર સ્મિત ફરકતું રહે છે ન જોશમાં કમી જણાય છે ન ચહેરા પર થાક જોવા મળે છે. દેવકુમારજીમાં ગજબનું જોશ, તત્પરતા અને સમાજસેવાનાં કાર્યો માટે અથાગ લગન છે. હું એમ નથી કહેતો કે દેવકુમારજી કોઈ સંત કે ફકીર છે, કોઈ મોટા કલાકાર છે. કોઈ જ્ઞાની-ધ્યાની પણ નથી તેઓ. તેઓ એક સુસંસ્કૃત અને વ્યવહારુ વ્યક્તિ છે. જાતીય સ્વાભિમાનની પક્ષધરતા એમનામાં ભારોભાર ભરેલી છે, પરંતુ તેઓ બીજાના સ્વાભિમાનને વિના કારણે પડકારતા ફરતાય નથી. આયુષ્યથી જ વિચારો માટે સારાં અને અનુભવી લોકોનું સાહચર્ય હોવું જોઈએ. એ મૂડી દેવકુમારજી પાસે સારા પ્રમાણમાં છે. સુસંસ્કૃત, શાલીન અને શિષ્ટ તો એમના પરિવારના દરેક જણ છે. સાંસ્કૃતિક, સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ પ્રત્યે એમનો સહજ લગાવ રહ્યો છે. તેઓ હંમેશાં ટ્રસ્ટોના ટ્રસ્ટી અને સક્રિય કાર્યકર્તાના પદ પર બિરાજી જિનશાસનની સેવા કરતા રહ્યા છે, જેમાં શ્રી આદિનાથ જૈન શ્વેતાંબર મંદિર-ચિકપેટ બેંગ્લોરનાં ત્રણ વર્ષ ટ્રસ્ટી રહી ચૂક્યા છે. શ્રી સીમંધર સ્વામી-રાજેન્દ્રસૂરિ જૈન શ્વેતાંબર મંદિર મામુલપેટ–બેંગ્લોરના ટ્રસ્ટી છે. શ્રી અખિલ ભારતીય જૈન મૂર્તિપૂજક યુવક મહાસંઘ-બેંગ્લોર શાખાના ઉપાધ્યક્ષ છે. શ્રી આદિનાથ જૈન સેવા મંડળ-ચિપેટ બેંગ્લોરના ઉપાધ્યક્ષ છે. શ્રી લબ્ધિસૂરિ જૈન શિક્ષણક્રશિક્ષક ઉત્કર્ષ ટ્રસ્ટ-બેંગ્લોરના પ્રચારમંત્રી અને અનેક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. સાચું તો એ છે કે આ બધાં કામોમાં એમનું તન-મન બહુ પ્રસન્ન રહે છે. એમના કેટલાક સાથીઓ આના માટે ઘણીવાર ગાઢી ટીકા પણ કરે છે, પરંતુ આ ટીકાઓથી એમના કામમાં કોઈ ફરક પડતો નથી. તે બરાબર ચાલ્યા કરે છે. સામાજિક કાર્યોમાં એમની સક્રિયતા વધતી ગઈ. અહિંસા અને જીવદયા પ્રત્યે એમના મનમાં ઘણી શ્રદ્ધા છે. સન ૧૯૮૨માં તેઓ શ્રી અરિહંત જૈન પ્રાણીકલ્યાણ સંસ્થા સાથે જોડાયા. આ સંસ્થા તરફથી ગૌવધ, યાંત્રિક કતલખાનાંઓના વિરોધની શ્રૃંખલામાં રાજ્ય અને દેશના મોટા મોટા નેતાઓને તેઓ મળ્યા. કેટલાંય પ્રતિનિધિ મંડળોનું નેતૃત્વ પણ કર્યું, પછી તે દૂધની થેલી સાથે માંસનું વેચાણ હોય કે શાળાઓમાં બપોરના ભોજનમાં ઇંડાનું પીરસાવું હોય ! સમ્મેત શિખરજી તીર્થના અધિગ્રહણની વાત હોય કે પાલિતાણા તીર્થ પર તોડફોડ હોય કે માંસના ખુલ્લા વેચાણનો
For Private & Personal Use Only
www.jainelibrary.org