________________
૮૨૨
1
વિનમ્રતા, પ્રામાણિકતા અને આત્મવિશ્વાસ એમનામાં ભારોભાર હતા. ધર્મપ્રત્યે અગાધ અનુરાગ હતો. એમણે સ્વબળે એમનો પોતાનો વ્યવસાય શરૂ કર્યો. એમના પુણ્યકર્મના પરિણામે વ્યવસાય સારો ચાલવા લાગ્યો. આવકમાં વધારો થવા લાગ્યો. એમને ફક્ત આવકથી સંતોષ ન હતો. તેઓ એક બહુઆયામી વ્યક્તિત્વના સ્વામી હતા. ધર્મ પ્રત્યે એમનું હૃદય હિલોળા લઈ રહ્યું હતું. એમણે વિચાર્યું કે અહીંયા શ્વેતામ્બર મૂર્તિપૂજક આરાધકો વિશાળ સંખ્યામાં હોવા છતાં એક પણ જિનમંદિર નથી. નથી તો કેમ નથી ? જિનમંદિરના નિર્માણ માટે સમાજ તન, મન, ધનથી લાગી જાય. કાર્ય બહુ ઉમદા હતું અને દેવદર્શન તેમજ અન્ય ધર્મક્રિયાઓ માટે મંદિરનું નિર્માણ અતિ આવશ્યક હતું. સમાજના આગેવાનોને બોલાવી વિચારવિમર્શ કર્યો અને ઇ.સ. ૧૯૧૮માં જિનમંદિરજીનું નિર્માણ એમની દેખરેખમાં શરૂ થયું. એ વખતે દૂરના પ્રદેશમાં જિનમંદિરનું નિર્માણ લોઢાના ચણા ચાવવા જેવું હતું. પટેગારો (મરાઠીઓ)ની અધિકતા હતા. નિર્માણકાર્યમાં મુશ્કેલીઓ પેદા થઈ. એ તો એમની હિંમત અને ઉદારતા હતી કે આવનારી તમામ મુશ્કેલીઓ દૂર થવા લાગી અને બેંગ્લોરના હૃદયસ્થળે મંદિરજીનું નિર્માણ થવા લાગ્યું. આ દક્ષિણ ભારતનું પ્રથમ શ્વેતામ્બર જૈનમંદિર હતું. મંદિરજીના મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનની પ્રતિમા એમના પરિવાર દ્વારા બિરાજિત કરવામાં આવી. મંદિરજીની પ્રતિષ્ઠા પછી આજ દિવસ સુધી ૮૮ વર્ષ પછી પણ સમાજ ઉત્તરોત્તર પ્રગતિના પંથ પર આગળ ધપી રહ્યો છે. તેઓ જીવનપર્યંત શ્રી આદિનાથ જૈન શ્વેતામ્બર સંઘના અધ્યક્ષસ્થાને રહ્યા. ૧૯૩૫માં એમનો સ્વર્ગવાસ થયો.
૧૯૨૮-૨૯માં તેમણે સ્વદ્રવ્યથી બેંગ્લોરના ઉપનગર વિશ્વેશ્વરપુરમાં દાદાવાડી જૈન શ્વેતામ્બર મંદિરનું નિર્માણ કરાવ્યું અને શ્રી સંઘને સોંપ્યું. આજે બેંગ્લોરના ભવ્યતમ જિનમંદિરોમાં દાદાવાડી મોખરે છે. દેવકૃપાથી વિશ્વેશ્વરપુરમાં રહેનાર જૈન સમાજ અત્યંત સમૃદ્ધ છે.
તત્કાલીન અધ્યાત્મયોગી પ્રાતઃ સ્મરણીય વિશ્વપ્રભુ શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજીનો એમના પર વિશેષ હાથ હતો. ગુરુદેવના આશીર્વાદ અને અસીમ કૃપાથી એમનાં મુશ્કેલ કાર્યો પણ ક્ષણમાત્રમાં પૂર્ણ થઈ જતાં હતાં. જ્યાં ક્યારેય ધાર્મિક કાર્ય થતું હોય તેઓ લાભ લેવા અને પોતાની લક્ષ્મીનો સુકૃત વ્યય કરવા માટે હંમેશા તત્પર રહેતાં. તેમણે પોતાની જન્મભૂમિ આહોર (રાજ.)માં સો વર્ષ પહેલાં નિર્મિત શ્રી ગોડી પાર્શ્વનાથ
Jain Education International
ધન્ય ધરાઃ
મંદિરજીની પ્રતિષ્ઠા વખતે પોતાની લક્ષ્મીનો સુંદર ઉપયોગ કર્યો. પાલિતાણામાં બાલુ મંદિરજીમાં એમણે સ્વદ્રવ્યથી દેરીનું નિર્માણ કરાવ્યું અને બીજાં મોટાં તીર્થોમાં પણ એમણે શક્ય એટલી લક્ષ્મીનો સુંદર વ્યય કર્યો.
તત્કાલીન મૈસૂર રાજ્ય (વર્તમાનમાં કર્ણાટક રાજ્ય)ના મહારાજા શ્રી કૃષ્ણ દેવરાયા વાડિયાર, એમના દીવાન સર મિર્ઝા ઇસ્માઈલ અને સર પુટ્ટણાચેટ્ટી સાથે એમને ઘણો નજીકનો ધનિષ્ઠ સંબંધ હતો. દીવાનજીના આસન પાસે એમનું આસન હતું. અને મૈસૂર મહારાજાએ એમને નગરશેઠની પદવીથી વિભૂષિત કર્યા હતા.
તેઓ શિક્ષણપ્રેમી પણ હતા. સને ૧૯૨૫થી મૈસૂર વિશ્વ વિદ્યાલયના વાણિજ્ય વિભાગમાં સૌથી વધુ ગુણ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીને એમના તરફથી સુવર્ણચંદ્રક આપવામાં આવતો હતો.
તેઓ દિલેર અને હિંમતવાન હતા. સમાજ કે સધર્મબંધુ પર આવેલી કોઈ પણ આપત્તિ વખતે સામનો કરવા માટે અને તેના નિરાકરણ માટે હંમેશા તત્પર રહેતા.
તેઓ જૈન હોવાથી પોતે તો અહિંસામાં પ્રગાઢ વિશ્વાસ રાખતા હતા પરંતુ અહીંના અન્ય સમાજ દ્વારા કરવામાં આવતી જીવહિંસાનો પણ તે દિલેરીપૂર્વક તીવ્ર વિરોધ કરતા. દશેરા અને અન્ય પ્રસિદ્ધ તહેવારોના સમયે ઘણાં મંદિરોમાં પશુબલિ આપવામાં આવતો હતો. એમણે અથાક પ્રયત્નો અને મૈસૂર મહારાજાના સહયોગથી પશુબિલ બંધ કરાવવામાં આવ્યો.
એમને વ્યવસાય સિવાય અન્ય ક્ષેત્રોમાં પણ લગાવ હતો. ૧૯૩૪માં પ્રથમ કન્નડ બોલપટ ‘સતી સુલોચના’નું નિર્માણ કર્યું હતું. રાજસ્થાનના મારવાડી પરિવાર દ્વારા કન્નડ ફિલ્મ બનાવવી એ એક આશ્ચર્યજનક ઘટના હતી. એમના મતે આ એક ક્રાંતિકારી હિંમતભર્યું કદમ હતું. ૧૯૩૪માં કન્નડ ફિલ્મોની સુવર્ણજયંતીના અવસરે દેશવિદેશની કેટલીય પત્રિકાઓએ ઘણા અગ્રલેખ અને સંપાદકીય લખ્યા જેમાં પ્રથમ કન્નડ બોલપટ ‘સતી સુલોચના’ને વિશેષ મહત્ત્વ આપી હાઇલાઈટ (ઉજાગર) કરવામાં આવ્યું અને ઘણાં પત્ર-પત્રિકાઓમાં એમની અને એમના પુત્ર શ્રી ભૂરમલજીની તસ્વીરો પ્રથમ કન્નડ બોલપટના નિર્માતા તરીકે છપાઈ. આમ એમનાં સુકૃત્યોએ મારવાડી સમાજને કર્ણાટકમાં વિશેષ વિશિષ્ટ સ્થાન અપાવ્યું.
જીવનપર્યંત એમનો ઇતિહાસ એટલો અલૌકિક રહ્યો કે એમને યુગપુરુષ શ્રેષ્ઠીવર્યની સંજ્ઞા આપી શકાય છે. ગર્વની વાત
For Private & Personal Use Only
www.jainelibrary.org