SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૨ દેહ છે એટલે દેહભાવમાં લીનતા સહજ છે. ઢાળ છે. આત્મભાવની સતત સ્મૃતિ એ ચઢાણ છે. તારો જન્મ એ માટે જ થયો છે. એ સ્થાને તારે પહોંચવાનું છે. આ કાળમાં ઘણા સાધક એ જગ્યાએ પહોંચ્યા છે. તારે માટે પણ એ અશક્ય નથી. મનમાં એ વૃત્તિને સતત જાગૃત રાખીને જીવતો જા, એનું રટણ કરતો જા ! જો આ લક્ષ્ય ન પકડાયું તો ગોળ ગોળ ફરવાનું જ થાય છે. એમ ન થાય તે માટે તને હું કહું છું. હવે એ ભૂલનું પુનરાવર્તન અટકાવી દેજે. આ તપ છે. પરિણામ ઉત્કૃષ્ટ છે. સંસારમાં ઉપાધિ તો પારાવાર છે. ડગલે ને પગલે આવવાની છે, પરંતુ એકવાર પણ દેહ અને આત્માના ભેદની પ્રતીતિ થઈ તો લાભ જ લાભ છે. સંસારની ઉપાધિ તને સ્પર્શશે નહીં. એનું સુફળ એ મળશે કે તને સમાધિ અંકે થઈ જશે ! અંત સમય એ તો જીવનનો સરવાળો છે. સમગ્ર જીવન કેવું વીત્યું છે તેની પ્રતીતિ અંતકાળે થશે. લક્ષ્ય પ્રાપ્ત કરવા માટેતપ અને સ્વાધ્યાય જ માર્ગ છે એવું નથી. બીજા રસ્તે પણ સમાધિ હાંસલ થઈ શકેછે. ભક્તિની તીવ્રતા, શરણગમનની તાલાવેલી, અહંની શૂન્યતા –આ બધાથી પણ ધ્યેય સિદ્ધિ થાય છે. તું કોઈ પણ એક રસ્તો પસંદ કર અને એ રસ્તે ધીરાં ડગ ભરવા માંડ. તને સહાયક પણ જરૂર મળી રહેશે. ગન્તવ્યને યાદ રાખીને કોણ ?’નો સાચો જવાબ મેળવી લે. તારું સદ્ભાગ્ય છે કે તને આવી વિચારણા કરવાનું ગમ્યું. તને પ્રાપ્તિ થશે જ એવી આશા રાખવી ગમે છે. દેહથી વસ્ત્ર જુદું છે એ તો તું અનુભવે છે. દેહથી આત્મા પણ જુદો છે એવું અનુભવવા જેવું છે. એ જ કરવા જેવું છે. આજ સુધી તે અનુભવ થયો નથી કેમકે તેના તરફ તારું લક્ષ્ય ગયું નથી, એ દિશામાં પ્રવાસ અને પ્રયાસ આદર્યો નથી. એકવાર સમજાઈ જાય કે દેહથી આત્મા જુદો છે પછી દેહ જર્જરિત થાય, રોગોથી ઘેરાઈજાય, પારાવાર પીડા થાય, પુદ્ગલના સ્વભાવ મુજબ કરમાઈ કાળો પડે તો પણ આત્મા તેનાથી જુદો છે Jain Education International ધન્ય ધરા એ અનુભવાશે, પિડાશે નહીં, રિબાશે નહીં. આત્મા સ્ફટિક જેવો નિર્મળ, સત્ એટલે કે સતત વિદ્યમાન, ચિત્ એટલે જ્ઞાનમય અને આનંદમય ! જ્ઞાનમય એટલે તે જડ નથી. આનંદમય એટલે વિષાદ નથી. ક્યારે પણ ઓલવાય કે આથમે નહીં તેવું તેજ તારું સ્વરૂપ છે તે અનુભવાય તો આધિ-વ્યાધિઉપાધિની પીડા રહે જ ક્યાંથી ? નિરંતર સુખમાં આકાશ જેવા અસીમ ચિદાકાશમાં જ વિહરવાનું જો તને ગમતું હોય તો આત્માની બહારના પ્રદેશમાં ભટકવાનું બંધ કર અંદર ઝાંખ. બહિર્મુખતા ત્યજીને અન્તર્મુખ બની જા. અંદર તેં ક્યારે પણ જોયું નથી, બહાર છે તેનાથી કંઈ ગણું સુંદર અંદર છે તે જોતાં આવડી જાય તો બહારનું વરવું લાગે, ફિક્કું લાગે. વાણી વિરમે તો અનાહત નાદ સંભળાય - વિચાર વિરમે તો અનંતસમૃદ્ધિનાં દર્શન થાય. ઉધામા છોડીને પલાંઠી વાળીને ક્યાંક નિરાંતે એકાન્તને શણગારવાનું શરૂ કરી દે! તને હજી બહારના ટેકાથી જીવવાની આદત છૂટી નથી, આ તારી પરાધીનતા છે. અંદરનો કો’ક ટેકો શોધી કાઢી તેના સહારે જીવવાનું શરૂ કર તો સ્વાધીનતા શું ચીજ છે તેની તને ભાળ મળે. સતત ને સતત તું બહારની પરિસ્થિતિનો આશ્રય લે છે ત્યાં સુધી તું પરાશ્રિત છે, ત્યાં સુધી તું સ્વાધીન નથી. આ જૂની આદતની નાગચૂડમાંથી નીકળવુંતારા માટે કપરું છે પણ, કોઈકના અનુભવને જાણી તેને ખપમાં લઈને તું તારી પાંખો ફફડાવ, ઊંચે ઊડવા તૈયાર થા. થોડો વખત અણગમો લાગે તો સહી લે. સંકલ્પ કર, દેહની પેલે પારના પ્રદેશમાં એકવાર તો લટારે નીકળવું જ છે. જરૂર ભગવાનની સહાય મળશે. બસ, આજે આટલી વાત તારી સાથે કરીને હળવો થાઉં છું. For Private & Personal Use Only આટલી વાત તેં ધ્યાનપૂર્વક સાંભળી તેથી ધન્યતા અનુભવું છું. ફરી ક્યારેક આ બાબતમાં તે જે પ્રગતિ સાધી હોય તેના સુખદ સમાચાર આપજે. એ જ www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy