SearchBrowseAboutContactDonate
Page Preview
Page 836
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૧૬ ધન્ય ધરા: કરનારા પદાર્થો કઈ રીતે માનવ જાતનો સામૂહિક વિનાશ નોતરે છે તેની વાત કરવામાં આવે છે. ગાંધીજીના રામરાજ્યને સાકાર કરવા શાળાઓમાં શ્રી મહાવીરના સત્ય અને અહિંસાના આદર્શો શીખવાડવામાં આવે 9. Holy Flower, Mat. Hr. Sec. School, salem 636 016 સેવાભાવી કર્મનિષ્ઠ શ્રીમતી મંજુલાબહેન હીરાલાલ મહેતા તા. ૧૫-૪-૦૭ના સાંજના એ.ડી.એ. રંગભવનમાં ગુજરાત કેન્દ્ર દ્વારા “કસુંબીનો રંગ' કાર્યક્રમ પ્રસ્તુત થયો હતો. તે કાર્યક્રમમાં બેંગ્લોરની ૧૦ અગ્રણી મહિલાઓનું બહુમાન કરવામાં આવ્યું હતું. તેઓને મહિલા મંચ એવોર્ડનો ખિતાબ આપવામાં આવ્યો હતો, જેમાંનાં એક છે શાહ પરિવારની દીકરી, મહેતા પરિવારના વહુ તથા કચ્છી ગુર્જર સમાજના ગૌરવસમાં શ્રીમતી મંજુલાબહેન હીરાલાલ મહેતા. તેઓને ખૂબ ખૂબ અભિનંદન. મંજુલાબહેન મહેતા જેઓ ૩૦ વર્ષોથી અનેક સંસ્થાઓ અને મંડળો સાથે સંકળાયેલાં છે અને તન, મન અને ધનથી ગુજરાતી સમાજનાં લોકોની સેવા કરી રહ્યા છે અને માનવતાની જ્યોતને ઝગમગાવી રહ્યા છે. શ્રી કચ્છી ગુર્જર જૈન મહિલા મંડળના ગૌરવરૂપ મંજુલાબહેન આ મંડળના ગુપ્તદાન ખાતાનાં ઉપરી છે અને જરૂરતમંદ મધ્યમવર્ગ પરિવારોને ગુપ્ત રીતે મદદરૂપ થઈ રહ્યા છે. મંડળના નેજા હેઠળ નિઃશુલ્ક સિલાઈ મશીનોનું વિતરણ કર્યું છે. એક્યુપ્રેશર અને ફિઝિઓથેરાપીના વિશેષજ્ઞો સાથે મળીને ફ્રી ટ્રીટમેન્ટ શિબિર તથા ટ્રેઇનિંગ શિબિરનું આયોજન પણ કર્યું છે. મંડળના દરેક સાંસ્કૃતિક કાર્યક્રમો તથા રાસ-ગરબા હરીફાઈમાં નેતૃત્વ લીધું છે, સાથે આર્થિક ભંડોળ ભેગું કરવા માટે અભિયાન ચલાવ્યું હતું. વૃદ્ધાશ્રમ, અનાથાશ્રમ, ગવર્નમેન્ટ હોસ્પિટલો, લેપ્રસી હોમ વગેરેમાં ફળ, મેવા તથા જરૂરી દૈનિક વસ્તુઓનું વિતરણ કર્યું છે. શ્રી પાર્શ્વ લબ્ધિ સેવા મંડળ ગાંધીનગરના નેજા હેઠળ દર વર્ષે દિવાળી દરમ્યાન પોતાના નેતૃત્વ હેઠળ ચોખ્ખા ઘીની મીઠાઈઓ અને સારા તેલનાં ફરસાણો તૈયાર કરાવી વ્યાજબી ભાવે વેચાણ કરી નફો મંડળના હસ્તક અર્પણ કર્યો છે. ૨૨ સાધારણ કુટુંબોને દર મહિને રૂ. ૩00નું ગુપ્તદાન કર્યું છે. આયંબિલની ઓળીને ચોમાસા દરમ્યાન રસોડાનું સંચાલન, જૈન ભુવનમાં વ્યાજબી દરે પાઠ્ય-પુસ્તકોનું વિતરણ, વિલ્સન ગાર્ડન સ્થિત ગવર્નમેન્ટ સ્કૂલમાં જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને યુનિફોર્મ પ્રદાન કર્યા. એક સાધારણ પરિવારના જીવન-નિર્વાહ માટે રૂા. ૪૦ હજારની સ્ટેશનરી અપાવી ધંધો ચાલુ કરાવી દીધો, જેને કારણે આજે આર્થિક સ્થિતિ તેમની સારી છે. મંડળને સારી રકમ પણ આવી છે. ડો. નરપત સોલંકીના ફ્રી આઇ કેમ્પમાં નિજી ખર્ચે અને ડોનેશન ભેગું કરી ગામડેથી આવતા દર્દીઓને ખાવાપીવાની, જમણની પૂરી વ્યવસ્થા કરી આપતા રહ્યા છે. ગરીબ બાળકોને અન્નદાન પણ કરે છે. પોતાનાં ખર્ચે ઘણાં બાળકોની સ્કૂલ ફીઝ પણ ભરે છે. ગુજરાત સેવા મંડળના નેજા હેઠળ ઘણાં વર્ષો સુધી ૨૦ કુટુંબોને આખા વરસનું અનાજ ભરાવી દેતા હતા જેના કારણે તે કુટુંબો પોતાનાં બાળકોને સારું શિક્ષણ અપાવી શક્યાં. Jaipur Artificial legના કેમ્પમાં આર્થિક તથા અન્ય રીતે પણ સહકાર આપ્યો છે. Free neuro therapy camp કરાવ્યો, જેનાથી ૪00 વ્યક્તિઓને મફત ટ્રીટમેન્ટ મળી હતી. આવી રીતે અનેક સંસ્થાના નેજા હેઠળ અને પોતે સ્વતંત્ર રીતે પોતાના ખર્ચે ઘણી ઘણી સેવાઓ કરી છે. પોતાનો અમૂલ્ય સમય ફાળવીને જ્યાં જરૂર હોય ત્યાં હાજર રહેવાની કોશિશ કરી છે. આવા માનવતાના પ્રતિક સમાન મંજુલાબહેન કચ્છી ગુર્જર જૈન મહિલામંડળ, શ્રી પાર્થલબ્ધિ સેવા મંડળ, ગાંધીનગર અંતર્ગત શ્રી ગુજરાત સેવા મંડળ, પ્રેમલ જ્યોત સંસ્થા અને અન્ય ઘણા પ્રોજેક્ટો સાથે સંકળાયેલાં છે. તેઓ માનવતાની જ્યોતને વધુ પ્રગાઢ બનાવે એજ હૃદયની શુભેચ્છા. ડૉ. નેહા વખારિયા “એસિસ', બેંગ્લોર ગુજરાત સ્થિત સ્વૈચ્છિક સંસ્થા “ઓએસિસ” સન ૨૦૦૧થી બેંગ્લોરમાં નબળા વર્ગનાં લોકોનાં સ્વાથ્ય તથા આરોગ્યલક્ષી શિક્ષણ ક્ષેત્રે કાર્યરત છે. “ઓએસિસ' બેંગ્લોરના ઉપક્રમે ગીચ વસ્તી ધરાવતાં ઝૂંપડપટ્ટી વિસ્તારવિવેકનગર અને મડીવાલામાં Jain Education Intemational ucation Intermational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy