________________
૮૦૮
સુંદર રીતે લાભ લઈ પોતાના જીવનમાં ધન્યતા અનુભવતા. જીવનના અંતિમ સમય સુધી ગુપ્તદાન તેમજ સાધુસાધ્વીની વૈયાવચ્ચ માટે હંમેશાં તત્પર રહેલ.
તેમની કર્મભૂમિ બેંગ્લોર ખાતે પોતાની લક્ષ્મીનો સદ્ઉપયોગ કરી ગાંધીનગરમાં શ્રીમતી વિમળાબહેન દલપતલાલ જૈન ભોજનશાળામાં સુંદર રીતે લાભ લીધેલ.
આ ઉપરાંત અનેક નાનીમોટી સંસ્થામાં રહી સુંદર સેવા સાથે યોગદાન આપેલ. તેઓશ્રી જોડાયેલ સંસ્થાઓ :શ્રી મહાવીર જૈન શ્વેતામ્બર મંદિર, ચીકપેટ–પ્રમુખ. શ્રી તારાચંદ ગાંડાલાલ જૈન શ્વે. પાઠશાળા, ચીકપેટ-ટ્રસ્ટી. શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન શ્વે. મંદિર, રાજાજીનગર–ટ્રસ્ટી. શ્રી ભેદા ખીંઅશી ઠાકરશી જૈન પાઠશાળા, ગાંધીનગર–ટ્રસ્ટી. શ્રી હીરાચંદ નાહર જૈન ભવન, ગાંધીનગર, ટ્રસ્ટી. શ્રી ગુજરાતી મૂર્તિપૂજક જૈન સંઘ, ગાંધીનગર–ટ્રસ્ટી.
તથા અન્ય ગુજરાતી સંસ્થાઓમાં ટ્રસ્ટી તેમજ અન્ય હોદ્દાઓમાં પ્રતિનિધિત્વ સંભાળીને તન, મન, ધનથી સુંદર સેવા આપતા હતા. તેઓ ચિરસ્મરણીય, અનુમોદનીય, અનુકરણીય છે.
તેઓશ્રીનું સં. ૨૦૬૩ ને ભાદરવા સુદ ૧૦ ને શનિવાર તા. ૨૨-૯-૨૦૦૭ના દિવસે બેંગ્લોર ખાતે અવસાન થયું. તેમની અણધારી વસમી વિદાયથી પરિવાર પર આવી પડેલ આઘાતજનક સમયે પરમાત્મા પાસે એજ પ્રાર્થના કે તેમના આત્માને ચિર શાંતિ અર્પે તેવી અભ્યર્થના સાથે......
ભાર સંઘનો ઉપાડી તમે, સંસ્થાકાર્યો કર્યાં તમે...... મીઠી વીરડી બની રહ્યા તમે, અમીનું સિંચન કર્યું તમે..... સહુના મોવડી બન્યા તમે, દોરવણી આપી માર્ગ ચીંધ્યો તમે.... વાટ પકડી પરલોકની તમે, મધુર યાદ મૂકી ગયા તમે..... —સંકલન શ્રી પ્રવીણભાઈ એમ. શાહ (ઉણ) બેંગ્લોર
ધન્ય તપસ્વી રત્ન'
શ્રી દીપકભાઈ હિંમતલાલ સુરાણા રાજસ્થાનની જન્મભૂમિ પારલુ (રાજ) શ્રી હિંમતલાલજી સુરાણાના ઘેર માતા મેનાબહેનની કુક્ષિએ તા. ૨૬-૭-૧૯૪૯ના
Jain Education International
ધન્ય ધરા
શુભ સમયે દીપકભાઈનો જન્મ થયો હતો. તેઓશ્રી રાજસ્થાનથી ગુજરાતની ધરતી ઉપર આવેલ . અંકલેશ્વરમાં આવી વસવાટ કર્યો. પોતાની જન્મભૂમિ જેવું વાતાવરણ ઊભું કર્યું. અંકલેશ્વરમાં તેમની બાલ્યાવસ્થા પૂર્ણ થયા પછી યુવાવસ્થામાં આવી નૈતિક ધોરણે અભ્યાસ શરૂ કર્યો. SSC પાસ
કરી. ધંધાર્થે તેઓશ્રીની પોતાની હોશિયારીથી તેમના સગાંવહાલાંની સહાયથી ઈ.સ. ૧૯૮૦માં બેંગ્લોરમા આવ્યા. થયું. ત્યાર પછી અહીં આવી પોતાની કર્મભૂમિ બનાવી પોતાનું જીવન સુંદર રીતે વિતાવી રહ્યા હતા.
સોનામાં સુગંધ ભળે તેવી રીતે તેમના સાળાએ તેમની ઇચ્છા છે તે પૂછ્યું તો તેમણે કહ્યું કે આપે જે મારા માટે યોગ્ય ધંધા માટે પહેલ કરવાનું કહ્યું. બેંગ્લોર ખાતે શ્રી મહાવીર બેંગલ્સ–મામુલપેટ બેંગ્લોરના નામે પેઢીની શુભ શરૂઆત કરી. ધંધામાં જમાવટ સારી થઈ. પ્રગતિનાં સોપાન સર કરવા લાગ્યા.
તેમને ધર્મ પ્રત્યે રુચિ ઘણી હતી પણ તેમને કોઈ સહકાર, જાણકાર ન હોવાથી તેમનું મન દુઃભાતું હતું. સંજોગોઅનુસાર તેમને ગુરુભગવંતનો સહયોગ મળી ગયો અને તેમના મનની ભાવના વિભોર બની ગઈ.
ઈ.સ. ૧૯૯૭માં શ્રી કાંકરેજ જૈન પ્રગતિમંડળ દ્વારા સ્પેશિયલ ટ્રેનનું આયોજન કરેલ તેમાં તેઓ સામેલ થયા અને એ દ્રશ્ય જોઈ તેમનું મનપરિવર્તન થયું. તેથી તો બેંગ્લોરના હુલામણા નામે પ્રસિદ્ધ ‘ગુરુજી' તરીકે ઓળખતા શ્રી સુરેન્દ્રભાઈના સહવાસમાં આવ્યા પછી તેઓશ્રીએ વર્ધમાન તપની ઓળીનો પાયો નાખી પોતાની તપશ્ચર્યાની શુભ શરૂઆત કરી.
ધર્મમાં રંગ લાગ્યા પછી તેઓએ પોતે સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા ચાલુ કરી અને ઓળી કરવા પછી આયંબિલ ચાલુ રાખતા. આયંબિલના પારણે આયંબિલ કરતાં. અત્યારે તેમણે વર્ધમાન તપની ૬૬મી ઓળી પૂર્ણ કરી છે. તેઓની આગળ વધવાની પૂરેપૂરી તૈયારી શાસનદેવ તેમને સહાય કરે તેવી પ્રાર્થના.
સંકલન : પ્રવીણભાઈ એમ. શાહ(ઉણ) બેંગ્લોર,
For Private & Personal Use Only
www.jainelibrary.org