________________
૮૦૨
છે. જિનભારતી શ્વેતાંબર આમ્નાય મુજબ જૈન વિશ્વવિદ્યાલય ઊભું કરીને વિશ્વમાં જૈનધર્મના વિષયોને પ્રાધાન્ય આપવાનું છે. આ માટે તેમણે અભ્યાસક્રમનું આયોજન પણ કર્યું છે. પ્રો. ટોલિયાનો પરિવાર સતત આ કાર્યમાં જોડાયેલો છે. તેમનાં ધર્મપત્ની શ્રી સુમિત્રાબહેન ટોલિયાએ અનેક ભાષાઓનાં પુસ્તકોનું અંગ્રેજી અને હિન્દીમાં ભાષાંતર કર્યું છે.
ધર્માનુરાગી લહેરચંદજી હંસરાજજી
રાજસ્થાન દાંતરાઈ ગામમાં ૮-૮-૧૯૩૯માં શ્રી લહેરચંદજીનો જન્મ થયો. સરળતા, સાદગી, સચ્ચાઈ, નમ્રતા, વિનય, વિવેક અને ધાર્મિકતા તેમના જીવનનાં આભૂષણ સમાન છે. નાનપણથી ખૂબજ પુરુષાર્થ કરવામાં માનતા શ્રી લહેરચંદજીએ મહેનત અને ઇમાનદારી નીતિન્યાયના ધોરણે પોતાનો વ્યવસાય કરતાં બુલંદીના શિખરે પહોંચ્યા અને જીવનમાં ખરા સમયે ધર્મારાધનામાં જોડાઈ ગયા. લગાતાર ત્રણ વર્ષમાં ત્રણ ઉપધાન ઉપરાંત ૬૮ ઉપવાસ સાથે નવકાર મહામંત્ર તપ, તથા દ. ભારતના દેવનહલ્લી (બેંગલોર) તીર્થમાં, સંપૂર્ણ ચાતુર્માસ પૌષધવ્રતમાં રહીને શ્રી ગૌતમ લબ્ધિ તપ, વર્ધમાનતપની તથા નવપદજીની ઓળી કરી ઉપરાંત પોતાના જીવનમાં નવ્વાઈ, અઠ્ઠાઈ, પાંચ ઉપવાસ, ચૌવિહાર છઠ્ઠ, અમ અનેક વખત કર્યાં છે.
ઉપરાંત અનેક નાની-મોટી સંસ્થામાં તન-મન-ધનથી આર્થિક યોગદાન આપી રહ્યા છે.
શ્રી લહેરચંદજીના જીવનમાં સુકૃતોની ઝાંખી-ઝલક
(૧) શ્રી માતૃભૂમિ દાંતરાર્ધમાં આદિનાથ પ્રભુની પ્રતિમા (૨) ચંદ્રપ્રભુ નયામંદિરજી, (ચેન્નઈ) મૂર્તિ ભરાવવાં તથા પ્રતિષ્ઠા (૩) શ્રી સિદ્ધાચલ સ્થૂલભદ્રધામ (બેંગલોરદેવનહલ્લી)માં ૮૧”ના મૂળનાયકજી પ્રતિમાજી ભરાવવાં તથા પ્રતિષ્ઠા-લાભ. (૪) શ્રી સિદ્ધાચલજી તીર્થમાં મહાવીરસ્વામી મંદિરનું ભૂમિપૂજન-ખનનવિધિ લાભ (૫) દાંતરાઈમાં મુનિસુવ્રતસ્વામી રથમંદિરની પ્રતિષ્ઠા તથા નવકારશીલાભ. (૬) ગિરનારજીની નજીક ઢંકગિરિમા પાલિતાણામાં કેશરિયાજી ધર્મશાળામાં સિદ્ધાચલ સ્થૂલભદ્રધામમાં-બ્લોકનો લાભ. (૭) દેવદર્શન ઉપાશ્રયમાં સુધર્માસ્વામી હોલ નિર્માણનો લાભ. (૮) હરદ્વારમાં ધર્મશાળાના આધારસ્તંભ (૯) શંખેશ્વરજી શ્રી કલાપૂર્ણસૂરિ સાધના મંદિરમાં-આધાર-સંભ
ઉપરાંત * પૂરા ચેન્નઈના તપસ્વીઓનાં પારણાં * ચેન્નઈથી દેવનહલ્લી બેંગલોર વિ.
Jain Education International
ધન્ય ધરાઃ
કર્મયોગી શ્રી ખુશાલચંદ ધનજી ધરમશી
બેંગ્લોરમાં જૈન અને જૈનેતર સમાજમાં પોતાના નામ અને કામથી જાણીતા શ્રી ખુશાલભાઈ ઉદારદિલ, પરમાર્થી અને ધર્મપ્રેમી છે. તેઓ બેંગ્લોરના ધાર્મિક પ્રસંગ હોય કે સામાજિક હોય સાંસ્કૃતિક હોય કે શાળાનો અવસર હોય, ખડે પગે હાજરી આપી સહકાર આપે જ.
ન
આવા સરળ નિખાલસ, નિઃસ્વાર્થી શ્રી ખુશાલભાઈ ૨૭ ઓક્ટોબર, ૧૯૫૨માં બાગલકોટ (કર્ણાટક)માં જન્મ્યા. બાળપણ સાવ સામાન્યથી પણ ઊતરતી રીતે પસાર થયું. આર્થિક સંકડામણમાં પિતાએ પ્રારબ્ધને દોષ ન દેતાં કે નિરાશ હતાશ થવાને બદલે બન્ને પુત્રો શ્રી ખુશાલભાઈ તથા કીર્તિભાઈને શિક્ષણ આપવાનું માંડી વાળ્યું. ૧૯૬૬માં ડીલક્ષ રોડલાઇન્સના નામે ટ્રાન્સપોર્ટનો વ્યવસાય શરૂ કર્યો. પ્રભુનો સાથ અને પિતાનું માર્ગદર્શન બંધુઓના અથાગ પરિશ્રમથી ‘ડીલક્ષ' ઉત્તરોત્તર સફળતાનાં સોપાન આંબતું ગયું. સાતભાઈ અને એક બહેનના વિશાળ પરિવાર માટે સુખના દિવસો હતા. સંઘર્ષોમાંથી બહાર આવ્યાની કળ વળી ત્યાં બેંગ્લોરના ૧૯૯૦ના પ્લેન અકસ્માતમાં પિતા ધનજીભાઈની છત્રછાયા ગુમાવી. આવા આકસ્મિક મોતથી પરિવાર શોકમાં ડૂબી ગયો. માતા ઝવેરબહેનનાં પીઠબળ અને હિંમતે તેઓને લોખંડી અને સાહસિક બનાવ્યા. ડીલક્ષ રોડ-લાઇન્સ પ્રા. લિ.'ના ચેરમેન છે. ભારતભરમાં તેમની ૨૫૦ શાખાઓ છે અને પોતાની ૨૦૦થી પણ વધારે ટ્રક ફ્લીટ પણ છે. ટ્રાન્સપોર્ટ સિવાયના બદલાતા જમાના પ્રમાણે બેંગ્લોરથી ૩૦ કિ.મી. એક સંપૂર્ણ શાકાહારી ધરમશી રિસોર્ટ' વિકસાવ્યું છે જ્યાં જૈન અને જૈનેતરોના અનેક પ્રોગ્રામ થાય છે.
માતા-પિતાના ધાર્મિક અને સેવાના સંસ્કારનું સિંચન મેળવી શ્રી ખુશાલભાઈ જે ગુજરાતી શાળામાં શિક્ષણ લીધું તે જ શાળાના આજે પ્રમુખપદે છે. આ શાળા માટે તેમને ખૂબ ગૌરવ અને આદર છે. શાળાના વિકાસ માટે અથાગ પ્રયત્નો કરે છે. બેંગ્લોર અંગ્રેજી શાળાની હરોળમાં ગુજરાતી શાળા રહે તે માટે નવાં નવાં આયોજનો ચેરિટ શો વ. કરી મોટું ફંડ એકઠું કરવામાં સફળ રહ્યા છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org