________________
શાશ્વત સૌરભ ભાગ-૧
કરતા શેઠશ્રીએ તીર્થ માટે પોતાના શરીરની પણ પરવા ન કરી. રાત્રે ૨-૨ વાગ્યા સુધી અખંડ રીતે તીર્થભક્તિમાં વ્યસ્ત શેઠશ્રી પ્રતિષ્ઠાની તૈયારીમાં જ પ્રતિષ્ઠાના ત્રણમાસ પૂર્વ સ્વર્ગે સિધાવ્યા. બેંગ્લોરના સમગ્ર સંઘે પાલખી કાઢી આ મહાન દાનવીરને પોતાની અનન્ય શ્રદ્ધાંજલિ અર્પિત કરી. તેમનાં ધર્મપત્ની ૫કુબેન, પુત્ર રાજેશભાઈ–રવિભાઈ પણ એટલાં જ ધર્મનિષ્ઠ નીકળ્યાં કે પિતાશ્રીની અંતિમ ઇચ્છા પૂર્તિહેતુ ત્રણ મહિનામાં જ મુહૂર્ત અનુસાર ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવમાં દિલ ખોલીને લાભ લીધો. ફૂલેચૂંદડી-ભગવાન બિરાજમાન આદિ અને ધ્વજાનો તો ચઢાવો એક કરોડ ૧ લાખ રૂા. રેકોર્ડ લાભ લઈ ઇતિહાસનું સર્જન કર્યું. લોકો બોલી ઊઠ્યા ધન્ય દાનવીર! ધન્ય પરિવાર!
વિશાળ સંઘયાત્રાની ભાવનાવાળા શેઠશ્રી એક જ ઇચ્છતા કે આ દાનની ગંગા મારા પરિવારમાં નિત્ય વહેતી રહે. ખરેખર તેમનો પરિવાર પણ તેમની ભાવનાને પુષ્ટિ આપી રહ્યો છે. જૈનજગતના અજોડ – બેજોડ સર્વશ્રેષ્ઠ વિધિકાર–પ્રાધ્યાપક શ્રી સુરેન્દ્રભાઈ સી. શાહ ‘ગુરુજી' કવિતા બનાને કે લિયે કલા ચાહિયે, કવિતા ગાને કે લિયે ગલા ચાહિયે, કિસી મહોત્સવ મેં યદિ ચાર ચાંદ લગાના હૈ, તો સુરેન્દ્રભાઈ ગુરુજી કો અવશ્ય બુલાના ચાહિયે. આ કોઈ કાવ્યની પંક્તિ
નથી પણ ધર્મજનોના હૃદયની નીકળેલી સત્યોક્તિ છે. દક્ષિણ ભારત જેનાં ગામ અને કામથી પ્રત્યેક ગામ-નગરમાં નાનાંમોટાં સૌ પ્રભાવિત છે એવા વિધિકારક શ્રી સુરેન્દ્રભાઈ ‘ગુરુજી’ના હુલામણાં નામથી
જાણીતા અને માનીતા છે. ભારતભરમાં જે પાઠશાળાની પ્રશંસા અને અનુમોદના થાય છે તે બેંગલોરની શ્રી લબ્ધિસૂરિ પાઠશાળાનાં મુખ્ય પ્રાધ્યાપક શ્રી સુરેન્દ્રભાઈ-ગુરુજી ખરા અર્થમાં એક વ્યક્તિ નથી પણ સંસ્થા છે. ચાલતું-ફરતું જાગતું એક મિશન છે.
બનાસકાંઠાના નાના સરખા થરા ગામમાં માતુશ્રી મધુબહેન ચૌથાલાલના સુપુત્ર છે. માત્ર ૧૩ વર્ષની ઉંમરે
Jain Education International
૯૧
મહેસાણા શ્રીમદ્ યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં પ્રવેશ મેળવીને સંસ્કૃત-પ્રાકૃત વ.માં ઉચ્ચ અભ્યાસ કરીને બેંગલોર ચીકપેટની શ્રી વિજયલબ્ધિસૂરિ પાઠશાળામાં અધ્યાપક તરીકેના કાર્યમાં ઓતપ્રોત થયા અને ત્યારબાદ વિધિકારક નથમલજી ભગત અને શ્રી તિલકભાઈનાં માર્ગદર્શન-નિર્દેશન હેઠળ વિધિવિધાનોનો શુભારંભ કર્યો.
વર્ષો પહેલાં પૂ.આ. દેવ વિક્રમસૂરિ મ.સા. તથા પૂ. બહેનમ.સા. બેંગલોર વી.વી. પુરમ અંજનશલાકા મહોત્સવમાં સંગીતકાર વિના પણ કલ્યાણકોની ભવ્યતાથી ઊજવી શકે તેની તલાશમાં હતા. આવા સમયે શ્રી સુરેન્દ્રભાઈ દ્વારા વિધિ-વિધાન સ્ટેજ પ્રોગ્રામ વ. સાથે ખૂબ સફળતાપૂર્વક મહોત્સવસુસંપન્ન થયો. આ તેઓશ્રીની પ્રથમ સફળતા હતી. ત્યાર બાદ જાલોર (રાજસ્થાન) કીર્તિસ્તંભ અંજનશલાકા કરી જે તેમની પોતાની સૂઝ–બૂઝ અને કુનેહથી સ્વતંત્ર રીતે ઐતિહાસિક સ્વરૂપે સફળ કરી, જેના ફળ સ્વરૂપે શ્રી સંઘે ‘ગોલ્ડમેડલ’થી સમ્માનિત કર્યા. વિધિ-વિધાનો મુજબ નવાંનવાં પૂજનોનો આવિષ્કાર કરવાની તેમની સૂઝ–બૂઝ અને શોખ છે.
અદ્ભૂત વાક્તિ, કાવ્યમય શૈલી, મનમોહક વ્યક્તિત્વ, સૌને પ્રભુભક્તિમાં જોડવાની તીવ્ર તાલાવેલી જેવા અનેક વિવિધ ગુણસંપન્ન ગુરુજી સમગ્ર દક્ષિણભારતમાં છવાયેલા છે. પ્રત્યેક સંઘે તેમનો અનુભવ, માર્ગદર્શન લઈને મહોત્સવ અને મહાપૂજનોમાં અપૂર્વ ભક્તિનો લહાવો લેવા તત્પર રહ્યા છે.
તનતોડ મહેનત, અનુશાસન અને સુવિશુદ્ધ વિધિ એ તેમનું ધ્યેય, લક્ષ અને સંકલ્પ છે. પ્રત્યેક વિધિમાં મહોત્સવ મહાપૂજનોમાં સતત જાગૃતિ એ તેમના સફળ કાર્યમાં સોનામાં સુગંધ સમાન રહ્યા છે. એક જ દિવસમાં પંચકલ્યાણક મહોત્સવ કરાવનાર ભારતવર્ષના આ એક જ વિધિકારક છે એક જ દિવસનાં જુદાં જુદાં સ્થળો પર સવારના પાંચથી સાંજના પાંચ સુધી પૂજન ભણાવવાની ક્ષમતા ધરાવે છે. સવિશુદ્ધવિધિકારક હોવાની સાથે તેઓ શ્રેષ્ઠ કલાકાર પણ છે. કલ્યાણકો હોય કે ચડાવાઓ હોય, મહોત્સવ હોય કે મહાપૂજનો, તપસ્યામાં પણ કલાકોના કલાકો સુધી પાણી વિના સ્ટેજ પર અપૂર્વ પ્રભુભક્તિ કરાવી ધર્મજનોનાં મન જીતી શક્યા છે. પાલિતાણામાં શ્રી નિત્યચંદ્રદર્શન ધર્મશાળામાં વિશાળ ચાંદીની પ્રતિમાની અંજનશલાકા સમયે ૫૦૦-૫૦૦ પૂ. સાધુ-સાધ્વીજીઓ તેમના અપૂર્વ ઉલ્લાસપૂર્વકનાં વિધિ-વિધાનો અને કાર્યક્રમોથી આશ્ચર્યચકિત થયાં છે. તેજ સમયે પૂ. આ. દેવ, ચંદ્રાનન
For Private & Personal Use Only
www.jainelibrary.org