________________
શાશ્વત સૌરભ ભાગ-૧
લક્ષ્મીચંદજી અદ્ભુત વ્યક્તિત્વના સ્વામી હતા. પૂજ્ય પિતાશ્રી હજારીમલજી તથા વડીલપ્રાતા ચંદુલાલજીના સાહિસક અને બાહોશી ભર્યા ગુણો તેમને વારસામાં મળ્યા છે. બેંગ્લોરમાં વ્યાવસાયિક રીતે આગળ વધી નાની ઉંમરથી જ વડીલ બંધુની સાથે સંઘની વ્યવસ્થામાં જોડાયા. ૨૫ વર્ષની યુવાન ઉંમરથી જ શ્રી આદિનાથ જૈન ો. સંઘ ચિપેટ અને અનેક સંસ્થાઓમાં જોડાયેલ લક્ષ્મીચંદજી ૮૭ વર્ષની જૈફ ઉંમરે પણ એવા જ કાર્યરત હતા.
સવારે ૪ વાગ્યાથી આરાધના દ્વારા આભિત તેમની જીવનચર્યા પણ ખરેખર અનુમોદનીય હતી. પ્રાતઃ કાળમાં ૪
૪ કલાક પ્રતિક્રમણ-સ્વાધ્યાયમાં રત અને પછી અષ્ટપ્રકારી પૂજા–પરમાત્મભક્તિમાં ૨-૨ કલાક તલ્લીન રહેતા કોઠારીજી કુશળતાપૂર્વક સંસ્થાઓનો વહીવટ ચલાવતા હતા.
૫૦ વર્ષથી લગભગ શ્રી આદિનાથ જૈન શ્વે. સંધના મુખ્ય-સક્રિય ટ્રસ્ટી રહી સંસ્થાના વિકાસમાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપેલ છે: હાલમાં સંઘના અધ્યક્ષ હતા અને શ્રી સાવથી જૈન શ્વે. તીર્થ કમિટીના પણ અધ્યક્ષ રહી પ્રારંભથી ૪ અશ્રુતમ સેવા આપી રહ્યા હતા. બેંગ્લોરમાં રહીને પણ ઉત્તરપ્રદેશમાં સાવી તીર્થનું અદ્ભુત સર્જન તેમની સૂઝબૂઝને આભારી છે. શ્રી સિદ્ધાચલ શણગાર ટ્રસ્ટ પાલિતાણામાં ઘણાં વર્ષોથી જોડાયેલ છે તો પાલિનાણામાં બેંગ્લોર આરાધના ભવનનિર્માણ અને આયંબિલ ખાતા આદિમાં તેમની અત્યુત્તમ સેવા પ્રાંસનીય છે.
બેંગ્લોરની ભારત પ્રસિદ્ધ શ્રી વિજયધિસૂરિ જૈન ધાર્મિક પાઠશાળાને ગૌરવપૂર્ણ અને સુપ્રસિદ્ધ કરવામાં તેમનો મહત્ત્વપૂર્ણ ફાળો છે. જ્ઞાનપ્રેમી કોઠારીજી ધાર્મિક અધ્યાપકો તથા જ્ઞાન પ્રત્યે ખૂબ જ બહુમાન ધરાવે છે. તેથી પાઠશાળાના કોઈપણ કાર્ય માટે રાતદિવસ તત્પર રહેતા હતા. અધ્યાપક તૈયાર કરતી શ્રી આદિનાધ જૈન તત્ત્વ પ્રશિક્ષણ કેન્દ્ર જયનગરમાં પણ પૂર્ણ રસ લઈ આ સંસ્થાને સદ્ધર બનાવી છે. શ્રી રાજસ્થાન જૈન શ્વે. મૂર્તિપૂજક સંઘ, જયનગરના તેઓ અધ્યક્ષ છે અને તેમના માર્ગદર્શનાનુસાર વિશાળ સંકુલ ઊભું થયું છે.
૫. પૂ. ગચ્છાધિપતિ શાસનપ્રભાવક આચાર્યદેવશ્રી મંગળપ્રભસૂરીશ્વરજી મ.સા. (ખાખીબાબા)ને પોતાના મહાન ઉપકારી ગણતા કોઠારીજી કહેતા મને બાલ્યાવસ્થામાં ચાતુર્માસમાં નવતત્ત્વ જેવા ગંધનો અભ્યાસ કરાવી શ્રદ્ધાસંપન્ન બનાવ્યો. આજે હું જે કાંઈ છું તે તેમને આભારી છે.
Jain Education International
૮૯
જેમના નેતૃત્વ નીચે અનેક ધાર્મિક-સામાજિક ઉત્કર્ષનાં વિવિધ કાર્યો ચાલી રહ્યાં છે-સંપન્ન વર્ષ રહ્યાં છે એવા કોંડારીનની એકજ ઇચ્છા છે કે શ્રી આદિનાથ પરમાત્માના જિનાલય (ચિકપેટ)નો જીર્ણોદ્વાર જલ્દી પૂર્ણ થાય અને દેવવિદ્યમાન તુલ્ય જિનાલયમાં પરમાત્મા પ્રતિષ્ઠિત થાય.
પોતાની વિવેકક્તિથી સંઘને એકતાના અતૂટ બંધનમાં બાંધી રાખવામાં એક્કા કોઠારીએ ઘણીવાર સંઘમાં ઉત્પન્ન કલહોને સમાવીને પ્રેમનું વાતાવરણ સર્જ્યું છે.
શ્રી આદિનાથ મંદિરનો ભવ્ય અમૃતમહોત્સવ અને શ્રી વિજયલબ્ધિસૂરિ જૈન ધાર્મિક પાઠશાળાનો ઐતિહાસિક અમૃત મહોત્સવ પોતાના માર્ગદર્શન વડપણ હેઠળ સુંદર ઉજવાયાનો તેમને આનંદ હતો.
સંધમાં ભીષ્મ પિતામહ ગણાતા કોઠારીજી પોતાની આત્મોન્નતિ માટે પણ એટલા જ જાગૃત છે. માન-સન્માનથી સદાય દૂર રહેતા આ શ્રેષ્ઠીવર્યે કેટલીયવાર પોતાનાં સન્માન અને અલંકરણોને ઠુકરાવ્યાં છે. માળા પહેરવાથી પણ દૂર રહેના આ મહામાનવે પોતાને શાસનના અદમ્ય સેવક ગણી રોજ નિયમિત વ્યાખ્યાનશ્રવણ, પ્રતિક્રમણાદિ ક્રિયા, પર્વના દિવસોમાં પૌષધતપશ્ચર્યા આદિ ઉત્સાહપૂર્વક કરવામાં સભાનપણે ભાગ ભજવ્યો છે. સાધુ-સાધ્વી પ્રત્યે અનન્ય બહુમાનવૃત્તિવાળા તેઓશ્રી ઘરમાં પણ સ્વાધ્યાય અને તપશ્ચર્યામાં જ ખાસ્સો સમય વ્યાવહારિક પ્રસંગોમાં તો કેટલાંય વર્ષોથી બિલકુલ ભાગ જ લેતા ન હતા.
બાહોશ વહીવટકર્તા દીર્ઘદષ્ટિ અને કર્તવ્યપરાયણત્રીસ લક્ષ્મીચંદજી દેવદ્રવ્યાદિ સાતક્ષેત્રોની શાસ્ત્રીય વ્યવસ્થાના ખૂબ જ ચુસ્ત હિમાયતી છે અને કર્મચારી (સ્ટાફ) પ્રત્યે ખૂબ જ બહુમાન (કુણી) માગણી ધરાવતા હતા. કલરવરૂપ
ચિપેટમંદિર દ્વારા અનેક તીર્થો મંદિરોમાં દેવદ્રવ્યાદિની સારી રકમ અર્પણ કરેલ છે.
તેમનાં ધર્મપત્ની લક્ષ્મીબહેન પણ ખૂબ જ ધાર્મિક વિચારસરણી ધરાવતાં આરાધનાપ્રેમી સુશ્રાવિકા હતા. ૮૫ વર્ષની ઉંમરે પણ અપ્રમત્ત આરાધના તપશ્ચર્યામાં લીન હતા. ધાર્મિક પાઠશાળામાં પણ ધાર્મિક અભ્યાસ માટે નિયમિત હાજરી આપે. પૂરા પરિવારનું જીવન ધન્યવાદને પાત્ર છે. તેમનું જીવનપંખેરુ તા. ૫-૬-૨૦૦૭ના જેઠ વદ-૪ને દિવસે આ દુનિયામાંથી વિદાય લીધી પ્રભુ તેમના આત્માને શાંતિ અર્પે.
For Private & Personal Use Only
www.jainelibrary.org