________________
શાશ્વત સૌરભ ભાગ-૧
૦૮૦
(સહટ્રસ્ટી)ની પ્રેરણા અને સહકારે અપૂર્વ સાથ પૂર્યો છે.
વર્તન-વાણી ધાર્મિક આચારવિચાર અને ઊંચા ખમીરથી તેઓએ સૌને પ્રભાવિત કર્યા છે. માદરેવતન અંજારમાં મંદિરધર્મશાળા દાદાવાડીના તેમના હસ્તે શિલારોપણ કર્યા પછી બેંગલોરમાં બેઠાં-બેઠાં તેઓ ત્યાંનું સંચાલન કરી રહ્યા છે. શેઠ શ્રી આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી શ્રીમાન શેઠ કસ્તુરભાઈ લાલભાઈએ, અખિલ હિન્દુસ્તાન તીર્થરક્ષાકમિટીના કર્ણાટક દેશના પ્રતિનિધિ તરીકે તેમની નિમણૂક કરી છે, જે ખૂબ જ પ્રશંસાપાત્ર બની હતી. જિતેન્દ્રવિજયજી મુનિ મહારાજ આદિ ઠાણા તથા સાધ્વી શ્રીજી મહારાજ શ્રી સૂર્યમાળા આદિ ઠાણા એમ શ્રી ચતુર્વિધ સંઘ સમક્ષ તેઓની સેવાને સૌએ ગૌરવભેર બિરદાવી છે.
ભારતભરમાં વિશાળ મિત્ર મંડળ અને “સોનામાં સુગંધ ભળે’ એવાં તેમનાં ધર્મપત્ની શ્રીમતી સુશીલાબહેન ખડે પગે તેમની ગુરુભક્તિ અને સાધર્મિક ભક્તિલહાવમાં સહકાર આપી ‘શતાયુ જીવો જુગલ જોડી’ એવા લોકઆશીર્વાદ પામી રહ્યા છે.
ઇતિહાસને પણ ઈર્ષ્યા થાય એવી તેમના હૃદયની શુદ્ધતાએ તેમના કુટુંબની એકતા, પ્રગતિ ને ઉન્નતિ સચવાઈ રહ્યાં છે, કારણ કે કુટુંબીજનોની સેવા પ્રત્યે પણ તેઓએ કદી દુર્લક્ષ્ય સેવ્યું નથી. તેઓનો એક મહાન સગુણ કે રેતીમાં મહેલ ચણવાનો તેમનો પુરુષાર્થ ગજબનો છે. હાથ લીધેલ કાર્ય કોઈ પણ સંજોગોમાં પૂર્ણ કરવાની ધગશ અને હિંમતનો શ્રી હીરાચંદજી નાહર જૈનભુવન’ની ભવ્ય ઇમારત તેમનો તાદેશ પુરાવો છે. તવારીખોની તેજછાયા
શ્રી રવિભાઈનાં કરકમલો દ્વારા સંપન્ન થયેલાં શાસનપ્રભાવક કાર્યો
શ્રી જિનમંદિરનાં ખનનવિધિ : શ્રી ભક્તામર મંદિર, અલ્વર રાજસ્થાન-અભિનંદન સ્વામી મંદિર, સુશીલ આશ્રમ, દિલહી– શ્રી સુમતિનાથ મંદિર, મડગાંવ (ગોવા)-શ્રી પાર્શ્વકુશલ ધામ, નલખેડા (મધ્યપ્રદેશ)-શ્રી હિંમત વિહાર, પાલિતાણા (ગુજરાત)-શ્રી રાજસ્થાનમાં જિનાલયો મંદિર–શ્રી મધ્યપ્રદેશમાં જિનમંદિરો તલેન તીર્થ (મ.પ્ર.).
શ્રી દાદાવાડી ખનનવિધિ : સારંગપુર (મધ્યપ્રદેશ), શ્રી નરસિંહગઢ (મધ્યપ્રદેશ), નલખેડા (મધ્યપ્રદેશ).
શ્રી ઉપાશ્રયખનનવિધિ : આકોદિયા (મધ્યપ્રદેશ)ભોમિયાજી ભવન, શિખરજી (બિહાર)-તલેનતીર્થ (મધ્યપ્રદેશ)-શિવપુરી (મધ્યપ્રદેશ).
ઉપાશ્રય-ઉદ્ઘાટન : મડગાંવ (ગોવા)-સુજાલપુર (મ.પ્ર.)-લાટી (ગુજરાત).
શ્રી જિનમંદિર-શિલાન્યાસ : મડગાવ (ગોવા), બેલાપુર-દુર્ગાપુર (બંગાળ), સિતામઉ, માલપુરા, સાવન, ચિકલાના, કાલુનેડા, પાવાગઢ, રાહતગઢ, સુમતપુર, છિન્દવાડા (મ.પ્ર.), પાર્શ્વમણિતીર્થ (આદોની) સુશીલ આશ્રમ દિલ્હી, નાહરગઢ મધ્યપ્રદેશ, અમરાવતી, કમલપુરી (મહારાષ્ટ્ર), નગરી (છતીસગઢ), ફાફરડીહ (રાયપુર).
શ્રી દાદાવાડી-શિલાન્યાસ ત્યા સહયોગ : કાનપુર, ગુમાસ્તાનગર, ઇન્દોર, બડવાત (મ.પ્ર.), સુજાલપુરા, માલપુરાતીર્થ અંજાર.
આપની પ્રેરણાથી અને સહયોગ દ્વારા માલપુરા તીર્થનાં પ્રભુપ્રતિમા ભરાવી કુરજ, ચિકલાના, પાલિતાણા, લાઠીરાજનગરમાં જિનમંદિર નિર્માણમાં સહયોગ, ભોપાવરતીર્થમાં રોડનાં નિર્માણમાં સહયોગ, નાગેશ્વરમાં ઓળીની આરાધનામાં સહયોગ, અનેક મંદિરજીમાં પરિકર-નિર્માણમાં સહયોગ.
વિદેશોમાં પ્રેરક પ્રસંગ : મિલ પટાસ (કેલિફોર્નિયા), યુ.એસ.એ., કાઠમંડુ, નેપાળનાં મંદિરનિર્માણમાં સહયોગ
સ્વપ્નદૃષ્ટા એવા તેઓએ ધૂપસળી માફક જૈન-જૈનેતર સમાજમાં સુવાસ ફેલાવી છે. તેઓએ સંઘના અંગ્રપદે રહીને ધર્મ પરાયણતા-સચ્ચાઈ, ચરિત્રશીલતા, ઉદારતા આદિ ગુણોથી સંઘનું ગૌરવ વધાર્યું છે. તેથી તેમના પ્રત્યેની બહુમાનની લાગણીરૂપે શ્રી ચતુર્વિધ સંઘ સમક્ષ મદ્રાસના ધર્મશ્રેષ્ઠીવર્ય શ્રી માણેકચંદજી બેતાલાના વરદહસ્તે તેઓને કાસકેટ સમ્માનપત્ર અર્પણ કરાયું હતું, જે ૧૯૭૬માં બેંગલોરના જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘે સન્માનપત્ર આપી બહુમાન કર્યું હતું. આજે તેઓ નીચેની સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.
૧. પ્રમુખ : શ્રી જૈન શ્વે. મૂ. પૂ. મંદિર ગાંધીનગરબેંગલોર ૫૧ વર્ષથી, ૨. પ્રમુખ : શ્રી જૈન શ્વે. મૂ. પૂ. સમાજ બેંગલોર (પ્રારંભથી ૩૦ વર્ષથી પ્રમુખ અને ટ્રસ્ટી), ૩. પ્રમુખ : વિમલાબહેન દલપતલાલ જૈન ભોજનશાળા ગાંધીનગર, શ્રી હીરાચંદજી નાહર જૈનભવન, શ્રી સીતાદેવી રતનચંદજી નાહર ડાયગ્નોસ્ટિક સેન્ટર, ગાંધીનગર-બેંગલોર, ૪. પ્રમુખ :
Jain Education Intemational
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org