SearchBrowseAboutContactDonate
Page Preview
Page 803
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ દક્ષિણ ભારતનું ગર્વીલું મહાન : સમાજ અને શાસન મોભીઓ જન્મ અને મૃત્યુ વચ્ચે જીવાતું નાનકડું જીવન આ અનંત કાળ વચ્ચે કેટલું નાનકડું છે! મહાકાળની સામે કેટલું અલ્પ, ક્ષણિક અને ક્યારેક તુચ્છ લાગે છે? આ અનંત આકાશ, અગણિત ગ્રહો-નક્ષત્રો, નિરવધિ પૃથ્વી વચ્ચે એક પ્રાણીના પચાસ-પંચોતરસો વરસ શ્વાસોચ્છવાસ ચાલે તે કેટલા ક્ષણજીવી લાગે છે? તેમ છતાં આ અલ્પજીવનને માનવીએ કેવાં કેવાં શણગાર સજાવ્યાં છે! કેવાં કેવાં તાણાવાણામાં ગૂંથીને શોભાવ્યું છે; એની કલ્પના કરીએ છીએ ત્યારે દંગ રહી જવાય છે. ૭૮૩ સામાન્ય જન મહાજન બની જાય; નર નારાયણ થાય; વ્યક્તિ વિભૂતિ બની રહે; ત્યારે આપણે આશ્ચર્યચકિત થઈ ઉઠીએ છીએ. એ મહાજન બને છે એની આકૃતિથી? ના. એ વિભૂતિ બને છે એના ઉંચા પડછંદ શરીરથી? ના. તો જનને મહાજનમાં પરિવર્તિત કરનારાં તત્ત્વો ક્યાં છે? એનો જવાબ પૌરાણિક સમયથી આજ સુધી ઇતિહાસના પાને પાને પથરાઈને પડ્યો છે. જનને મહાજન બનાવે છે. સદ્ગુણોની સંપત્તિ અને એની આંતર્ સમૃદ્ધિ, એના માનવીય ગુણો, એના જીવન પ્રત્યેના આદર્શો અને ભાવનાઓ. હટ્ટોકટો દેહ હોય તો એ મહાન નથી, હીરામાણેકના ઢગ પર બેઠો હોય તો એ મહાન નથી, હજારો વીધા જમીનનો કે ગંજાવર કારખાનાનો માલિક હોય તો એ મહાન નથી, કોઈ ગામ-શહેર કે દેશ પર જોહુકમી ચલાવતો હોય તો એ મહાન નથી. મહાન થવા માટે તો આંતિરક સદ્ગુણો વિકસાવવા રહે છે. સ્વાર્થ નહીં પણ પરમાર્થ, લોભ નહીં પણ દાન, સત્તા નહીં પણ સમર્પિતતા અને નમ્રતા, સંકુચિતતા નહીં પણ સરળતા અને ઉદારતા, પરોપકાર અને કરુણાને જીવનમાં સ્થાન આપવાનું રહે છે. એવી વિભૂતિઓથી જ સમાજ શોભે છે. ધનવાન તો ઘણા હોય છે, ભામાશા કોઈ એક જ હોય છે. કહેવાની જરૂર નથી કે આ ભામાશાના વંશજોથી જ સમાજનાં નાનાં-મોટાં શુભ કાર્યો થતાં હોય છે. ભારતભરમાં ખ્યાતનામ બનેલા તપસ્વી વિધિકાર, અનેક શ્રીસંઘોમાં સમ્માનિત બનેલા પામેલા મા. શ્રી સુરેન્દ્રભાઈ સી. ઘેલા પૂ. ગુરુજીનું તમામ બુ બારુદ પામેલ મેલા મા. શ્રી સુરે શાહની ઉત્સાહજનક પ્રેરણાથી શ્રી પ્રવિણભાઈ એમ. શાહ ઉણવાળા હાલ બેંગલોરના સહયોગથી અને બેંગ્લોરના કર્મઠ મહિલા શ્રી આગેવાન અમીબહેન શાહે અસ્વસ્થ રહેતી તબીયત વચ્ચે પણ ભારે મોટો પુરુષાર્થ કરીને આ લેખમાળાનું સંકલન કર્યુ છે. Jain Education International —અમીબહેન કે. શાહ સુંદર ધાર્મિક અભ્યાસ ધરાવતાં અમીબહેન શાહ બેંગ્લોરના જૈન અને જૈનેતર સમાજમાં જાણીતું અને માનીતું નામ છે. જ્ઞાનપિપાસુ વૈયાવચ્ચ ગુણપ્રેમી ધાર્મિક વાચનમાં અત્યંત રુચિ ધરાવતા શાસનભક્ત અને ગુણાનુરાગી છે. પુસ્તકો વાચનનાં–ચિંતનનાં શોખીન અમીબહેન સંપાદકીય પ્રવૃત્તિમાં ખાસ રસ ધરાવે છે. વિષયને For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy