________________
ધન્ય ધરાઃ
આપતિગ્રસ્ત પીડિતો માટે અનુદાન :
દાનવીર દીપચંદભાઈ ગાર્ડીના વ્યક્તિત્વની એક વિશિષ્ટતા એ પણ છે કે, એમને ખ્યાલ આવે કે કુદરતી આફતોનો સમાજ ભોગ બનેલ છે, તો તેઓ ત્યાં પણ ચૂપચાપ પહોંચીને દાનગંગા વહેવડાવે છે.
- ઈ.સ. ૧૯૮૭માં સતત ત્રણ વર્ષ સુધી દુષ્કાળની આપત્તિ આવી પડેલ, ત્યારે તેમણે એક લાખ જેટલા ઢોરવાડાઓમાં ગાય, ભેંસ, બળદ, ઊંટ, ઘેટાં-બકરાં જેવાં પ્રાણીઓને સમગ્ર ગુજરાતમાં સાચવેલાં. આટલી મોટી સંખ્યામાં ગુજરાતને ગામડે-ગામડે ઢોરવાડામાં નીરણ, પાણી માટે તેમણે જે આયોજન કર્યું, ક્યાંય કોઈને તકલીફ ન પડે અને મદદ માટે દોડધામ ન કરવી પડે તેવું વ્યવસ્થાતંત્ર ગોઠવ્યું. પશુઓના પાલકોને ઢોરવાડામાં જ બધી મદદ મળી રહે એ માટે ખડેપગે રહીને ઉપરાઉપરી ત્રણ-ત્રણ વર્ષ સુધી મદદ કરી એ એમની પ્રાણીપ્રીતિ અને જીવદયાનું ભારે ઊજળું ઉદાહરણ છે.
દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં ઢોરવાડા ઉપરાંત પંખીઓ માટે ચણનું, પરબનું અને અવેડાનું તેમનું આયોજન અવિરતપણે ચાલે છે. કીડીને માટે કીડિયારાની વ્યવસ્થા, માછલાંને ખોરાક, કૂતરાને રોટલા મળી રહે એ માટેનું તેમનું આયોજન તેમની ખરી–નરી જીવદયાપ્રીતિ અને ખરા જેન શ્રાવક-શ્રેષ્ઠીની વ્યક્તિમત્તાનો પરિચય કરાવે છે. કરુણા, પ્રેમમુદિતા અને નિઃસ્વાર્થભાવે પ્રાણીમાત્ર પરત્વે સભાવ, સમભાવ વ્યક્ત કરવાનું તેમનું આવું દાનશીલ વલણ તેમના વ્યક્તિત્વનું એક મહત્ત્વનું પરિમાણ છે.
કતલખાને જતી ગાયોને બચાવવી, ગૌશાળામાં, પાંજરાપોળમાં માંદા પડેલાં પશુઓની સાર-સંભાળ માટે માત્ર આપત્તિ અને દુષ્કાળ સમયે જ નહીં, પરંતુ પછી પણ તેઓ અવિરતપણે મદદરૂપ થતા રહે છે. ગૌશાળાની પડતર જમીનમાં ઘાસનું ઉત્પાદન થાય અને ઢોરને પોષણક્ષમ આહાર મળે એ માટે પણ અનેક પ્રકલ્પોમાં તેમનું દાન છે.
પૂરપીડિતોને, વાવાઝોડાગ્રસ્ત અને ભૂકંપપીડિતોને પણ મોરબી, દક્ષિણ ગુજરાત, કચ્છ અને લાતુર કે ઓરિસ્સામાં તેઓ ભારે સહાયભૂત થયેલા. કચ્છના ભૂકંપ પછી ખૂબ ટૂંકાગાળામાં 800 શાળાઓ બાંધી આપેલી. તેમનું અનુદાન આવી રીતે આપત્તિગ્રસ્તો માટે ભારે સમયસરનું, ભારે આવશ્યકતાવાળું અને ખરા અર્થમાં પરિણામદાયી બની રહ્યું છે. અનેક જીવોને
બચાવનારા તેઓ એ અર્થમાં જીવનદાતા બની શક્યા છે. તેમનું આપત્તિગ્રસ્તો માટેનું મનુષ્યમાત્ર અને પ્રાણીમાત્ર માટેનું દાન ભારતીય સંસ્કૃતિના, જૈન મહાજનપરંપરાના તેજસ્વી તારક તરીકે તેમને સ્થાપે છે. નિરાધારોના આધાર માટે અનુદાન :
શિક્ષણ, આરોગ્ય અને આપત્તિગ્રસ્તો માટે દાનની ગંગા વહેવડાવનારા દીપચંદભાઈ ગાર્ડી નિરાધારો માટે પણ ભારે સ્નેહથી, નર્યા નિઃસ્વાર્થ ભાવથી આધારરૂપ અને સહાયભૂત બની રહ્યા છે. તેમનું આ પગલું પણ તેમની દાનશીલ વ્યક્તિમત્તાનું આગવું ઉદાહરણ છે. રાજકોટમાં “દીકરાનું ઘર' જેવા વૃદ્ધાશ્રમનું નિર્માણ તેમના મોટા અનુદાનથી શક્ય બન્યું. બહેરાંમૂગાં શાળા કે અનાથાશ્રમના નિર્માણમાં પણ તેઓનું ભારે મોટું અનુદાન રહેલું છે.
વિધવા અને ત્યક્તા બહેનોને રોજગારી મળી રહે, સ્વમાનભેર તેઓ પોતાનો જીવનનિર્વાહ ચલાવી શકે એ માટે તેઓ અનેકરીતે મદદરૂપ થતા રહે છે. ક્યાંય પોતાનું નામ જાહેર ન થાય એની કાળજી રાખીને અનેક નિરાધારને આર્થિક અનુદાન તેમના દ્વારા પહોંચે એવું તેમનું આયોજન તેમની ઉમદા અને ઉદાત્ત દાનવૃત્તિનું પરિચાયક છે. મોટા કલાકારો, વિદ્વાનો નિરાધાર હોય તો એમને સહાયભૂત થઈને પોતે ઈશ્વરસેવા કર્યાની અનુભૂતિ પ્રાપ્ત કરે છે. કેટલાંક સધર્મિકને અને સમાજના છેવાડાનાં લોકોને સહાયરૂપ થઈને ગદ્ગદિત બનતા દીપચંદભાઈ ગાર્ડી મોટા ગજાના ગુપ્તદાનના હિમાયતી છે, એવો પરિચય પણ પ્રાપ્ત થાય છે. વિવિધ સેવાકીય સંસ્થાઓમાં સેવા પ્રદાન :
તેમની દાનશીલવૃત્તિને કારણે અનેક સેવાકીય સંસ્થાઓનું અસ્તિત્વ શક્ય બન્યું છે. એવી બધી સંસ્થાઓમાં આર્થિક અનુદાન ઉપરાંત તેમનું અનુભવપૂત માર્ગદર્શન પણ પ્રાપ્ત થતું હોય છે. “ઓલ ઇન્ડિયા જૈન શ્વેતાંબર કોન્ફરન્સ', “ઋતુંભરા વિશ્વ વિદ્યાપીઠ', “મહાવીર જૈન વિદ્યાલય', ગુજરાત મહાજન પાંજરાપોળ’, ‘ગૌશાળા ફેડરેશન’, ‘ભગવાન મહાવીર મેમોરિઅલ સમિતિ’ અને ‘ભારત સરસ્વતી મંદિર સંસદ-માંગરોળ' જેવાં અનેક સંસ્થાનના પ્રમુખ તરીકેની તેઓ જવાબદારી વહન કરી રહ્યા છે. આ ઉપરાંત “ઇન્ટરનેશનલ જૈન એકેડેમી', ‘એમ.એસ.જે. તીર્થરક્ષા ટ્રસ્ટ', “શેઠ આણંદજી કલ્યાણજી પેઢી’, ‘ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ', ‘અહિંસા
Jain Education Intemational
Education International
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org