SearchBrowseAboutContactDonate
Page Preview
Page 760
Loading...
Download File
Download File
Page Text
________________ ७४० સંડાસનો ઉપયોગ ટાળવા માટે દર વખતે અઠ્ઠમ તપ કરીને ૩ દિવસમાં મુંબઈથી પાછા આવી જનારાં, ૧૦ મહિના સુધી આંખોની રોશની ચાલી જવા છતાં કાયમ એકાસણાથી ઓછું પચ્ચક્ખાણ નહીં કરનારા, દીક્ષા લઈને વર્ધમાન તપની ૧૦૦મી ઓળી ફક્ત રોટલી અને પાણીથી વિહાર દરમ્યાન કરનારા, રોજ અપ્રમત્તપણે ૧૦૦ બાધી નવકારવાળીનો જાપ કરનારા ખેતીબાઈ ભચુભાઈ દેઢિઆમાંથી સા. શ્રી સંયમપૂર્ણાશ્રીજી બનેલાં અપ્રમત્ત આરાધિકાની ભૂરિશઃ હાર્દિક અનુમોદના. તેમનાં બંને સુપુત્રીઓએ પણ દીક્ષા લઈને સા. શ્રી સુભદ્રયશાશ્રીજી તથા સા. શ્રી શ્રુતદર્શનાશ્રીજી તરીકે સુંદર સંયમ પાળી રહ્યાં છે. હાલ તેઓ પાટણમાં બિરાજમાન છે. (૧૦૨) પોતાનાં ૨ સંતાનોને સહર્ષ સંયમના પંથે વાળનાર, સ્વયં નિયમિત જિનપૂજા, ઉભય કાલ પ્રતિક્રમણ, ૧૨ વ્રતોનો સ્વીકાર, વર્ષીતપ–વીશસ્થાનક તપ-વર્ધમાન તપની ૪૫ ઓળી, સિદ્ધાચલજી મહાતીર્થની ૯૯ યાત્રા સહ ભવપૂજા, સાધુ-સાધ્વીજી ભગવંતોની ભાવથી ભક્તિ, પાંચ પ્રતિક્રમણ, સંસ્કૃત બુકો આદિનો અભ્યાસ ઇત્યાદિ ધારા રત્નત્રયીની અનુમોદનીય આરાધના કરનારા રત્નકુક્ષિ આદર્શ શ્રાવિકારત્ન શ્રી પાનબાઈ રાયસી ગાલા (કચ્છ-ઉનડોઠ મોટીહાલ લાયજા–કચ્છ). (૧૦૩) પોતાની જાતનું બલિદાન આપીને પણ હજારો અબોલ પ્રાણીઓને કસાઈઓના સકંજામાંથી છોડાવીને પાંજરાપોળોમાં મોકલનાર અહિંસાની દેવી ગીતાબહેન બચુભાઈ રાંભિયા તથા તેમના પતિ બચુભાઈ રાંભિયા (કચ્છ-રામાણિઆ/અમદાવાદ. ફોન : ૦૭૯-૨૧૧ ૪૧૧૯૭. (૧૦૪) કાયદા દ્વારા કતલખાનાં અટકાવવા તથા પાઠ્ય પુસ્તકોમાંથી માંસાહાર પ્રોત્સાહક વિધાનો દૂર કરાવવા તન-મન-ધનથી સતત પ્રયત્નશીલ, અનન્ય જીવદયાપ્રેમી સુશ્રાવકો શ્રી અરવિંદભાઈ પારેખ, શ્રી ગોરધનલાલભાઈ, શ્રી મોહનલાલભાઈ, શ્રી અતુલભાઈ વી. શાહ, શ્રી કેસરીચંદજી બાના, શ્રી જયેશભાઈ ભણશાળી, શ્રી કલ્પેશભાઈ શાહ, શ્રી સંજયભાઈ વોરા, શ્રી ગિરીશભાઈ શાહ, ડૉ. Jain Education Intemational ધન્ય ધરાઃ શાહ સુરેશભાઈ ઝવેરી, શ્રી હસમુખભાઈ (મણિનગર), શ્રી રુગનાથમલજી રૂપચંદજી (આંદોની-આંધ્ર) તથા તેમના મિત્ર પીલા શ્રીરામકૃષ્ણ (વિશાખાપટ્ટનમ)......ઇત્યાદિ તથા જીવદયાપ્રેમી સંસ્થાઓ ‘શ્રીવિનિયોગ પરિવાર' (બોરીવલી) (૫.) ફોન : ૨૮૦૭૭૮૧) ‘શ્રી મહાજનમ્', અખિલ ભારત હિંસાનિવારણ સંઘ (અમદાવાદ), શ્રી અહિંસા મહાસંઘ' ઇત્યાદિની ભૂરિશઃ હાર્દિક અનુમોદના. (૧૦૫) ૪૪ વર્ષોથી બિમાર કબૂતરોની અનન્ય ભાવથી સુશ્રૂષા કરનાર જીવદયાપ્રેમી સુશ્રાવિકા શ્રી રતનબાઈ રાઘવજી ગુઢકા. (કચ્છ-બારોઈ/હાલ મઝગામમુંબઈ). (૧૦૬) શત્રુંજય મહાતીર્થની ૨૫ વાર ૯૯ યાત્રા, ૪ માસક્ષમણ, ૪ વર્ષીતપ, ૩૫ અઠ્ઠાઈ, ૫ વાર ૧૬ ઉપવાસ, ૨૪ તીર્થંકરોના ૬૦૦ ઉપવાસ, સિદ્ધિશ્રેણિ-૨૦ સ્થાનક તપ, વર્ધમાન તપના ૫૬ ઓળી, ૩ ઉપધાન, સમેતશિખર-ગિરનારજી-તળાજા આદિ તીર્થોની ૯૯ યાત્રા, ૫ વાર ૯ લાખ નવકાર જાપ ઇત્યાદિ અનેકવિધ આરાધનાઓ કરનાર સુશ્રાવિકા શ્રી ભચીબાઈ ભવાનજી `ચના (કચ્છ-ગોધરા). (૧૦૭) નિષેધ કરવા છતાં દીકરાઓએ ધૈરમાં ટી.વી. લાવતાં ગૃહત્યાગ કરવા તૈયાર થયેલી માતાને જોઈ માતૃભક્ત દીકરાઓએ ટી.વી.નો બહિષ્કાર કરી માતાને મનાવી લીધી. આગળ જતાં એ બંને સુપુત્રોએ દીક્ષા લીધી અને પૂ.પં. શ્રી અક્ષયબોધિવિજયજી મ.સા. તથા પૂ. પં. શ્રી મહાબોધિવિજયજી મ.સા. તરીકે બંને મુનિવરો સુંદર શાસનપ્રભાવના કરી રહ્યા છે. ધન્ય છે આવી સંસ્કારદાત્રી રત્નકુક્ષિ શ્રાવિકા માતાને. (હાલાર). (૧૦૮) સિદ્ધાચલજી મહાતીર્થમાં ભવપૂજા કરનાર ઉત્તમ આરાધક સુશ્રાવિકા શ્રી ધીરજબહેન રતિલાલભાઈ સલોત (મહુવા-સૌરાષ્ટ્ર/જુહુ સ્કીમમુંબઈ)ની અનુમોદનીય આરાધનાઓ. (૧) ૨૦ દિવસ સુધી ખીરનાં એકાસણા સહ ૯ લાખ નવકાર-જાપ. (૨) નવપદની ૮૦ થી અધિક ઓળી. તેમાં ૧૦ ઓળી અલૂણી—એક ધાન્યથી. (૩) અરિહંતપદનો ૨ કરોડ જાપ. (૪) ૧૨ વ્રત For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy