SearchBrowseAboutContactDonate
Page Preview
Page 739
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ ઝાબુઆના નિવાસી વકીલને એક મુસ્લિમે જબલપુરથી રતલામ જતી ટ્રેનમાં બામણિયા સ્ટેશને રૂમાલ પાથરી તેના ઉપર નવકાર મહામંત્રનો પ્રયોગ કરી આખી ટ્રેન ઊભી રખાવી દીધી હતી. અડધી કલાક પછી સ્વયં ડ્રાઇવર ગાડીના બધાંય મશીન બરોબર છતાંય ચક્કાજામ જેવી સ્થિતિનું કારણ તપાસતાં જેવો પ્લેટફોર્મ ઉપર ફરવા લાગ્યો તેને પોતાની કેબીનમાં જે માણસની આકૃતિ વારંવાર દેખાતી હતી તે ફકીર અને પન્નાલાલજી ત્યાં દેખાણા. તરત જ વસ્તુસ્થિતિ પામી ગયો અને ફકીરને હાથ જોડી વિદ્યાથી ગાડીને મુક્ત કરવા કીધું. તરત મુસ્લિમ ફકીર રૂમાલ ઝાટકી ઊભો થયો અને બધાંય જેવા ગાડીમાં ગોઠવાયાં કે ટ્રેન ચાલુ થઈ ગઈ. ઈ.સ. ૧૯૭૨માં બનેલો મહામંત્રની શક્તિનો પો એક મુસ્લિમે જૈનને દેખાડવા ઉપયોગ કરેલો, અને તે મહામંત્ર ફકીર પાસે પણ કોઈક જૈનના માધ્યમથી જ પહોંચેલો હતો. (૨૨) દેવચંદભાઈ અને નેમચંદભાઈ:ઈર્લાના દહેરાસરની બાજુમાં જ રહેતા બેઉ ભાગ્યશાળીઓ ૨૪ કલાક મોડી ઊપડેલ સમેતશિખરજીની સ્પેશિયલ ટ્રેનમાં હતા. તેમાં મધ્યપ્રદેશના કોઈ સૂમસામ સ્ટેશને દૂધ લેવા ઊતરેલા નેમચંદભાઈ પાછા વળે તે પૂર્વે જ ટ્રેન ચાલુ થઈ ગઈ. તરત તેમણે અને ટ્રેનમાં બેઠેલા દેવચંદભાઈએ નમસ્કારમંત્રના જાપ ચાલુ કરી દીધા ને ઊપડેલી ટ્રેન આંચકા લેતી અચાનક ઊભી રહી ગઈ. પુલ ઉપરથી દોડતા આવી રહેલ નેમચંદભાઈ અજાણ્યા સ્થાનમાં ન અટવાતા ટ્રેનમાં આવી ગોઠવાણા ને ફરી ટ્રેન ચાલુ પણ થઈ. કદાચ આ પ્રસંગમાં ટ્રેન-ડ્રાઇવર તથા ગાર્ડની પણ સાવચેતી હશે, જે નવકારના પ્રભાવથી હતી. (૨૩) પૂનાનાં શ્રાવિકા સમતાબહેનઃ-એક દિવસ કોઈક દેવતા ગાયના સ્વરૂપે આવી બહેનને કહી ગયા કે આવતી કાલે તમારી દીકરીને સ્કૂલના ફંક્શનમાં ન મોકલશો. તેટલો જ સંદેશો આપી દેવ તો અર્દશ્ય થઈ ગયા. તેથી ગભરાઈ ગયેલ માતાએ દીકરીની જીદ છતાંય પુત્રીને સ્કૂલમાં ન જ જવા દીધી. પ્રસંગની પૂર્ણાહૂતિ પછી સ્કૂલનું મકાન તૂટી પડવાથી અનેક વિદ્યાર્થીઓનાં મરણ થઈ જવાના સમાચાર આવ્યા ત્યારે રહસ્યનો ઘટસ્ફોટ થયો. ખાસ તો એ લખવાનું કે આવી રીતે હોનારતથી બચાવી લેનાર દેવ ગયા ભવમાં ગાય હતો, જેને સમતાહ મરતાં નવકાર આપેલ હતો. (૨૪) શ્રી દિનેશભાઈ પટેલ –વિ.સં. ૨૦૫૮ના નાલાસોપારા આત્મવલ્લભના ચાતુર્માસ દરમ્યાન પોતાનો એકમાત્ર દીકરો સ્કૂલથી પાછો ન વળતાં ખોવાયેલ જાહેર થતાં Jain Education International ૧૯ રોકકળ મચી ગયેલ. તે સમયે લેખકશ્રી પાસે રડતાં આવેલ માતા-પિતામાંથી માતાને સામાયિક લઈ જાપમાં બેસવા સૂચન કર્યું અને પિતાશ્રીને બપોરના ખાસ પૂજારીને બોલાવી દહેરાસર ખોલાવી પરમાત્મા વાસુપૂજ્ય સ્વામી ભગવાનને ત્રણ પ્રદક્ષિણા આપી પુત્રને માટે પ્રાર્થના કરી શોધ કરવા પ્રસ્થાન કરવાનું માર્ગદર્શન આપ્યું અને કમાલ એ થઈ કે ચાલુ સામાયિકમાં જ્યારે બાળકની માતા જાપમાં હતી ત્યારે જ તેમના પતિદે બાળકને નાલાસોપારા વેસ્ટના સમુદ્રતટથી શોધી લાવ્યા, જના ઉપર બદમાશોની ટોળકીએ કામણ-ટૂમણ કરવાથી છોકરા ઘર ભૂલી ગયો હતો. (૨૫) શ્રી પદમશીભાઈ ખીમજી છેડાઃનિકટના ભૂતકાળમાં જ જેઓ પાલિતાણાની જાત્રાએ જવા ગોધરાથી માંડવી બળદગાડીમાં આવેલ અને પછી માંડવી બંદરથી ઓખા જવા વહાણમાં બેઠા. પચીસેક જાત્રાળુઓ સાચ જ્યારે મધદરિયે પહોંચ્યા ત્યારે અચાનક સમુદ્રમાં તોફાન મચ્યું. મોજાં ૧૦-૧૫ ફૂટ ઊછળવાં લાગ્યાં. કોઈ બચે એમ લાગતું ન હતું. તેથી બધાંય જાત્રાળુઓએ મળીને નવકારની ધૂન ચાલુ કરી દીધી. સામૂહિક ધૂનમાં સૂક્ષ્મશક્તિઓ હતી, તેથી કલાકા પછી સાગર શાંત થવા લાગ્યો. ગમે તેમ કરીને પણ ચાર કલાકથી વધુ ઓખા જતાં ન લાગે તેના બદલે સવારના ઊપડેલ વહાણ સાંજ સુધીમાં ઓખા બંદરે પહોંચી ગયું અને નવકાર પ્રભાવે બધાંય જામનગર, રાજકોટ થઈ પાલિતાણા સુધી પહોંચી ગયા. શાશ્વત તીર્થનાં દર્શન થવામાં શાશ્વત નવકાર જ કામ આવ્યો. (૨૬) દમયંતીબહેન પ્રેમચંદ કાપડિયા :જેમને એકવાર માતા-પિતા સાથે શંખેશ્વર અને કેશરિયાજીની જાત્રાએ જતાં બહારવિટયાઓ ભાલા-છરી સાથે નડ્યા હતા, છતાંય સતત નવકારજાપ પ્રતાપે ડ્રાઇવરે સાઇડમાંથી બસ કાઢી લીધી ને બધાંય બચી ગયાં. તેજ પ્રમાણે ભારતપ્રધાન શ્રીમતી ઇંદિરા ગાંધીની હત્યાના તરત પછી ફાટી પડેલ તોફાનોમાં તા. ૩૧-૧૦-૮૪ના દિવસોમાં સંભવજિન મહિલા મંડળની (વાંદરા-મુંબઈ) બધીય બહેનો સાથે નવકાર શરણે જઈ ઇંદોર, નાગપુર, મક્ષીજીની જાત્રા કરી પાછાં હેમખેમ પાછાં વળી શક્યાં, જ્યારે પ્રવાસમાં ખુલ્લેઆમ મારામારી, કાપાકૂપી અને નરસંહાર સુધ્ધાં તેમને જોવો પડ્યો. ભયના વિકટ પ્રસંગમાં ફક્ત નવકારના જ વિશ્વાસે બધીય શ્રાવિકાઓ ઊગરી ગઈ અને મુંબઈ પાછાં વળ્યાં પછી ચારેય તરફ નવકારના ચમત્કારની વાતો થવા લાગી. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy