SearchBrowseAboutContactDonate
Page Preview
Page 717
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ ૬૯૦ લૂણ-વસહી, અશ્ચાવબોધ અને સમળીવિહાર તીર્થનું દશ્ય. ઉલ્લેખ છે. લૂણવસહીના સં. ૧૭૨૩ના બીજા બે લેખોમાં અક્ષરરાજનો ઉલ્લેખ આવે છે. સિરોહીના મહારાવ રાજસિંહના પુત્ર અક્ષયરાજજી (અખેરાજજી બીજા)નો જન્મ સં. ૧૯૭૪માં થયો હતો. તેમના પિતાનું એક કુટુંબના હાથે મૃત્યુ થવાથી માત્ર અઢી વર્ષની ઉંમરે તેમને સં. ૧૯૭૭માં ગાદી મેળવેલી. તેમણે ૫૩ વર્ષ રાજ કરેલું. પિતાને કેદ કરીને ઉદયભાણ સં. ૧૭૨૦માં ગાદીએ બેઠેલા પણ ઉદયપુરના મહારાણા રાજસિંહે અક્ષયરાજજીને કેદમાંથી છોડાવેલા. પોતાના દુશ્મન બનેલા પુત્ર ઉદયભાણ અને તેના એક પુત્રને અક્ષયરાજે મારી નખાવ્યા, સં. ૧૭૩૦માં અખયરાજજીના મૃત્યુ પછી તેમનો બીજો પુત્ર ઉદયસિંહજી ગાદીએ બેઠેલો. ' અર્ણોરાજ –‘ગૂર્જરમહામાત્ય-શ્રી તેજ:પાલ કારિતલૂણસિંહવસહિકા-ગીતપ્રશસ્તિ' ૭૪ ગદ્યપંક્તિઓની છે તેમાં અર્ણોરાજનો ઉલ્લેખ આવે છે. લૂણવસહીમાં પ્રવેશ કરવાના દક્ષિણ તરફના દ્વાર ઉપર બલાનક (મંડ૫)માં ડાબી બાજુની દીવાલના એક મોટા ગોખલામાં ચણી લીધેલા કાળા આરસ પથ્થરમાં આ લેખ બહુ સુંદર રીતે કોતરેલો છે. તેના પદ્યમાં (પાટણના–ધોળકાના) મંત્રી તેજપાલના પૂર્વજોનું, કુટુંબીઓનું, વસ્તુપાળ સહિત ભાઈઓનું, પાટણનું અને ત્યાંનાં સોલંકી રાજવીઓનું સુંદર વર્ણન પ્રાપ્ત થાય છે. માત્ર સાહિત્યની રીતે જ નહીં. ઇતિહાસની રીતે પણ આ પ્રશસ્તિ કાવ્ય-લખાણ ઉપયોગી છે. દા.ત. ત્રીજા પદ્યમાં કવિ અણહિલપુર પાટણની પ્રશંસા કરે છે– “દિનપુરતિ સ્વસ્તિપાત્ર પ્રગાના મનરવ ]િ યુનુન્યઃ પાત્યપાને તુ:1 વિરત રળીના પત્ર [વશā] [બંટી) __कृत इव सितपक्षप्रक्षयेऽप्यंधकारः॥३॥ ગુજરાતી ભાવાર્થ :–“દેવોને પણ જીતનાર રઘુરાજાની જેવા ચૌલુક્ય (સોલંકી) રાજાઓથી પાલન કરાતું અને પ્રજાના કલ્યાણના ઉત્તમ સ્થાન સ્વરૂપ એવું અણહિલપુર પાટણ નામનું શહેર છે, કે જ્યાં કૃષ્ણપક્ષમાં પણ સ્ત્રીઓના મુખરૂપી ચંદ્રથી મંદ-નિસ્તેજ થઈ ગયેલો અંધકાર નાશ પામે છે–અદશ્ય થાય છે, અર્થાત્ ત્યાંની સ્ત્રીઓનાં મુખો ચંદ્રનાં જેવાં ઉજ્જવળ છે.” મંત્રી વસ્તુપાળ-તેજપાળ અંગે ૨૪મા પદ્યમાં આવે છે— ઓળખાય છે, આ મંદિર પ્રારંભમાં ભીમા શાહે બાંધેલું હોવાથી તેને “ભીમાશાહનું મંદિર' પણ કહે છે–જો કે તેમના વિશે સ્વતંત્ર લેખ મળતો નથી આમ છતાં જીર્ણોદ્ધાર સમયના ‘સા. મીત્ય’ અને ‘મામપ્રસરે' લખેલ બે લેખો મળે છે. આ મંદિર વિ.સં. ૧૩૭૩ અને ૧૪૮૯ વચ્ચે પ્રતિષ્ઠિત થઈ ચૂક્યું હતું. વિમલ શાહે વિશ્વમાં અદ્વિતીય મંદિર ‘વિમલવસહી’ બંધાવ્યું છતાં પોતાની પ્રશસ્તિ તરીકે એક અક્ષર પણ નહીં કોતરાવેલો. આબુના જૈનમંદિરોના શિલાલેખોમાં ઉલ્લેખિત રાજવીઓ અચલગઢના સં. ૧૬૯૮ (જો કે બીજા લખાણમાં તેને સં. ૧૯૯૫ ગણાવ્યો છે), તથા સં. ૧૯૮ના અચલગઢના બીજા બે લેખોમાં તથા સં. ૧૭૨૧ના લેખમાં “શ્રી મહારાજશ્રી અષ(ક્ષ)[N] રાજજી એટલે કે અક્ષરરાજ નામના રાજવી ઉલ્લેખ આવે છે. તેમના યુવરાજ શ્રી ઉદયભાણસિંહજીનો પણ Jain Education Intemational For Private & Personal Use Only ate & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy