SearchBrowseAboutContactDonate
Page Preview
Page 703
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ * નવમો ઉદ્ધાર દશમો ઉદ્ધાર * બારમો ઉદ્ધાર * તેરમો ઉદ્ધાર * અગ્યારમો ઉદ્ધાર – મુનિસુવ્રત સ્વામીના સમયમાં રામચંદ્રજીએ કરાવેલ. * ચૌદમો ઉદ્ધાર ZD * પંદરમો ઉદ્ધાર – ચન્દ્રપ્રભ સ્વામીના સમયમાં ચંદ્રયશા રાજાએ કરાવેલ. = શાન્તિનાથ ભ.ના સમયમાં ચક્રધર રાજાએ કરાવેલ. નેમિનાથ ભ.ના સમયમાં વરદત્ત ગણધરની નિશ્રામાં પાંડવોએ શત્રુંજય-ગિરનારનો સંઘ કાઢ્યા પછી શત્રુંજય તથા ગિરનાર બંને તીર્થનો ઉદ્ધાર કરાવેલ. સોળમો ઉદ્ધાર વિક્રમની નવમી સદીના કાન્યકુબ્જના આમરાજાએ કરાવેલ. સં. ૧૧૮૫ના સિદ્ધિરાજના સમયમાં સજ્જનમંત્રીએ કરાવેલ. ત્યારપછી તેરમી સદીમાં વસ્તુપાલ-તેજપાલે કરાવેલ. ચૌદમી સદીમાં સમરસિંહે કરાવેલ. વીર નિર્વાણ પહેલાં રેવાનગરના રાજા નેબુસુદનેમુરે કરાવેલ. કાંપિલ્યપુરનગરના રત્નાશાહ તથા અજિતશાહે કરાવેલ. Jain Education International સત્તરમી સદીમાં વર્ધમાનસિંહ પદ્મસિંહ નામના બે ભાઈઓએ ઉદ્ધાર કરાવેલ. વીસમી સદીમાં નરસી કેશવજીએ ઉદ્ધાર કરાવેલ. ત્યાર પછી સંપ્રતિરાજા, કુમારપાલ, સામંતસિંહ, સંગ્રામસોની વ. ઘણા રાજાએ જીર્ણોદ્ધાર કરાવેલ. (ગિરનાર તીર્થ ઇતિહાસ). તેજપાલ સોની શેઠ ‘છિયા’ અને ‘સુહાસિની’ શેઠાણીને ત્યાં તેજપાલ નામનો પુત્ર હતો, જે ઓસવાલ વંશના સોની હતા. તેજપાલને તેજલદે નામની પુત્રી હતી. જગદ્ગુરુ શ્રી હીરસૂરીશ્વરજી મ.સા.ના શિષ્ય આચાર્યદેવ શ્રી વિજયસેન સૂરીશ્વરજી મ.સા.નો તેજપાલ પરમ ભક્ત હતો. श्री शत्रुंजयतीर्थाय विश्वचितामणियते । तत्रादीश्वरदेवाय, सम्यग् भक्त्या नमोनमः ॥ ૬૮૩ તેજપાલે ખંભાતમાં સુપાર્શ્વનાથ તથા અનંતનાથ પરમાત્માનાં બે જિનાલયો બંધાવેલ. ચિત્તોડનગરના દોશી કર્માશાહે શત્રુંજયનો સોળમો ઉદ્ધાર કરાવેલ તે જ જિનાલયનો જીર્ણોદ્ધાર આચાર્ય શ્રી વિજયસેનસૂરિજીનાં ઉપદેશથી તેજપાલ સોનીએ કરાવેલ. એ વખતે તેજપાલે જીર્ણોદ્ધારમાં બે લાખ ૬૮૫ (લ્હારીઓ) ખર્ચેલ. ૭૪ થાંભલાઓ કરાવેલ અને બાવન હાથ ઊંચો મુખ્ય શિખર ઉપર સોનાનો કળશ ચઢાવેલ. નાનામોટા ૧૨૪૫ સોનાના કળશો બનાવી અલગ અલગ શિખરો ઉપર પધરાવેલ. નંદિવર્ધન જિનપ્રસાદ પણ શત્રુંજય પર તેજપાલ સોનીએ બનાવેલ. કુલ પરમાત્માની ૭૨ દેરીઓ અને ૪ મુનિવરોની આકૃતિ બનાવેલ. જગદ્ગુરુ શ્રી હીરસૂરિજી ૧૬૪૯માં પાટણમાં ચોમાસું કર્યા પછી ત્યાં છ'રીપાલિત સંઘ લઈ શત્રુંજય તરફ વિહાર કરેલ. જ્યારે ધોળકા આવ્યા ત્યારે ધોળકામાં ભારતના ઘણા સંઘો એકઠા થયેલા. એ વખતે તેજપાલ સોની ખંભાતથી ૩૬ પાલખીઓમાં બેઠેલા શેઠિયાઓની સાથે ધોળકા આવેલ. સાથે બીજા હાથી-ઘોડા લઈ આવેલ. બધા ભેગા મળી હીરસૂરિજીની સાથે શત્રુંજયે પહોંચેલ. એ વખતે તેજપાલે બનાવેલ નંદિવર્ધન પ્રાસાદની પ્રતિષ્ઠા માટે ગામોગામ આમંત્રણ આપેલ. એમાં ગંધાર વ. થી ૦૨ યાત્રાસંધો પ્રતિષ્ઠા વખતે હાજર રહેલ. તેજપાલે દરેક સંઘોને પોતાને રસોડે જમવા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy