________________
શાશ્વત સૌરભ ભાગ-૧
૬૮૧
પ્રાચીન જિનાલયોના જિણોદ્ધારકો
– મુનિ શ્રી રત્નત્રય વિજયજી મ.સા.
જિનશાસનના ભવ્ય ભૂતકાળમાં અનેક પ્રભાવક પૂર્વજોએ સુવર્ણભંડારો ખુલ્લા મૂકી કલાના નમૂના સમાન ગગનચુંબી જિનાલયો બંધાવ્યાં તે સૌનાં જીવનકવન ભવ્ય હતાં. આ સદાચારી દાતાઓના દાનથી શોભિત તીર્થો, જિનાલયો, પ્રતિમાજીઓ, ઉપાશ્રયો વગેરે તમામ સુવિધાઓ શ્રી ચતુર્વિધ સંઘનું જ સામૂહિક બળ હતું, જેમાં અનેક પૂર્વકાલીન સૂરિવર્યોનું પ્રદાન ચિરસ્મરણીય બની રહેશે.
તેરમી સદીમાં થયેલા દેદા શાહની કર્તવ્યપરાયણતા અને નમ્રતાના ભંડાર સમા ભાવડશા અને જાવડશાનું સ્થાન શાસનમાં હંમેશાં આદરણીય રહ્યું છે. કોને કોને યાદ કરવા? ભીમા કુંડલિયાનો સમર્પણભાવ, ધરણશા પોરવાડ અને ખેમા દેદરાણીની સંકલ્પસિદ્ધિ, દાનગુણના પ્રતાપે જગડુશાને, તપગુણના પ્રભાવે કાકંદીના ધન્ના અણગારને કે ભાવસમૃદ્ધ જીરણ શેઠને? અમદાવાદના શેઠ શાંતિદાસ, કચ્છના નરશી નાથા કે કર્મયોગી મોતીશા શેઠ એ સૌ ઇતિહાસનાં તેજસ્વી પાત્રો બની ગયાં. મંદિરોના નિર્માણમાં અખૂટ ધનરાશિનો ઉપયોગ કરનારા અમદાવાદના શેઠ હઠીસિંગ અને હરકુંવર શેઠાણી.
દેવગિરિની ધરતી પર આકાર પામેલું અમૂલિકાવિહાર પેથડશાની ધર્મભાવનાની યશોગાથા સંભળાવે છે. શત્રુંજયના પુનરુદ્ધારમાં શેઠ મોતીશા, બાલાભાઈ, પ્રેમચંદ મોદી, શેઠ હેમાભાઈ, શેઠ સાકરચંદ, નરશી કેશવજી, ચંદુ સંઘવી અને બંધુબેલડી–વસ્તુપાળ તેજપાળ આ સૌએ જિનમંદિરો બંધાવવામાં લક્ષ્મીનો ઉપયોગ કર્યો છે. ધર્મપ્રેમી રાજવીઓ, મંત્રીઓ, ઓસવાલ પરિવારના શ્રાવક શ્રેષ્ઠીઓનું યોગદાન નોંધપાત્ર રહ્યું છે.
આ લેખમાળાનું સંકલન કરનાર પૂ. મુનિશ્રી રત્નત્રયવિજયજી મહારાજશ્રીને સંદર્ભ સાહિત્યમાં ઘણી જ દિલચસ્પી જણાય છે. મરુઘર દેશમાં આવેલ જાલોર જિલ્લામાં માલવાડા ગામ, જે નગરમાં આજ સુધીમાં પચાસથી વધારે દીક્ષાઓ થઈ છે. આ પવિત્રભૂમિ માલવાડાના વતની પ. પૂ. આ. શ્રી રત્નશેખરસૂરિજી મહારાજના શિષ્યરત્ન પૂ. આ.શ્રી રત્નાકરસૂરિજી મહારાજના શિષ્ય પૂ. મુનિશ્રી રત્નત્રયવિજયજી મહારાજશ્રીને જ્ઞાનભંડારોને સમૃદ્ધ કરવામાં અને શ્રુતસાહિત્યના પ્રચાર-પ્રસારમાં ભારે રસ લાગ્યો છે-માલવાડાના વતની, સંસારી નામ ધનપાલભાઈ, સંસારી પિતા ઉત્તમચંદજી અને સંસારી માતા રંગુબહેન, સં. ૨૦૩૭ના મહા સુદ ૬ના દીક્ષા લીધી. સંસ્કૃત-પ્રાકૃત હસ્તપ્રતોની જાળવણી તેમજ અવનવાં પ્રકાશનો પ્રગટ કરવાની તેમની દિલચસ્પી ખરેખર દાદ માગી લે છે. તેમનાં પ્રકાશનોમાં “રત્નસંચય” ભાગ-૧-૨-૩-૪-૫ તથા “સાગરમાં મીઠી વીરડી' (પ્રાચીન સઝાય), ‘પાર્શ્વનાથચરિત્ર' (ગદ્યમાં) અને વિવિધ તીર્થકલ્પનું ગુજરાતી ભાષાંતર તથા વિવિધ વિષય વિચારમાળા ભા. ૧થી ૯ ભારે લોકાદર પામ્યાં છે. નવું નવું સંશોધન-સંપાદનનું તેમનું કાર્ય ચાલુ જ છે. જ્યાં જ્યાં ધાર્મિક પાઠશાળાઓ, ગુરુકુલ વ. ચાલતાં હોય ત્યાં ખાસ પ્રભાવના, યુનિફોર્મ વ. અર્પણ કરી બાળકોનો ઉત્સાહ વધારે છે. ધર્મકાર્યોમાં શ્રાવકોનું યોગદાન' ઉપર સુંદર માહિતી સંકલન કરીને આપણી સમક્ષ રજૂ કરી છે. આપણાં ઉપર મહાન ઉપકાર કર્યો છે. જૈન સમાજની નવી પેઢીને ધર્મમાર્ગે વાળવા પૂજ્યશ્રીના યોજનાબદ્ધ કાર્યક્રમો અવિરતપણે ચાલુ જ હોય છે. પૂજ્યશ્રીની ચીવટ અને ધગશ ખરેખર અનુમોદનીય છે. પૂજ્યશ્રીની આત્મિ: ચેતના ગજબની છે.
- સંપાદક
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org