________________
શાશ્વત સૌરભ ભાગ-૧
પ્રાયઃ એકી બેઠકે ૫૧ બાધી નવકારવાળીના જપ દ્વારા કેન્સરને કેન્સલ કરનારા, કોઈને જરાપણ મનદુઃખ થઈ જાય તેવું બોલાઈ જાય તો અટ્ટમ તથા કોઈની થોડી પણ નિંદા સંભળાઈ જાય તો આયંબિલ ઇત્યાદિ અનેકવિધ અનુમોદનીય પ્રતિજ્ઞાઓ લેનારા યથાર્થનામી સા. શ્રી વિનયપ્રભાશ્રીજી મ.સા. (પૂ. આ. શ્રી કેસરસૂરિ સમુદાય).
(૩૦) ૯૦ વર્ષનો દીર્ઘતમ દીક્ષા-પર્યાય ધરાવનારા પ્રવર્તિની સા. શ્રી નેમશ્રીજીએ કરેલી અનેકવિધ તપજય આદિની અનુમોદનીય આરાધના (પૂ. આ.શ્રી કેસરસૂરિ સમુદાય).
(૩૧) વિહારમાં આવતાં દરેક ગામ-નગર-તીર્થોનાં પ્રત્યેક જિનબિંબ સમક્ષ ચૈત્યવંદન કરનારા સા. શ્રી હર્ષલતાશ્રીજી મ.ના સંસારીપરિવારમાંથી કુલ ૪૫ જણાએ દીક્ષા લીધેલ છે. (પૂ. આ.શ્રી ભક્તિસૂરિ સમુદાય).
(૩૨) નિર્દોષ ગોચરીના અભાવે ૧૫ દિવસ સુધી ફક્ત ચણામમરા જેવી સૂકી વસ્તુઓથી નિર્વાહ કરનારા, માત્ર ૩૨ વર્ષના દી૭આપર્યાય અને ૪૮ વર્ષની ઉંમરમાં ૨૩૦થી અધિક શિષ્યા-પ્રશિષ્યાઓનાં ગુરુણી સુસંયમી પ્રવર્તિની સા.શ્રી પુણ્યરેખાશ્રીજી મ. (પૂ. દીક્ષાદાનેશ્વરી આ.શ્રી ગુણરત્નસૂરિજી મ.સા.નાં સંસારપક્ષે ભત્રીજી). (૩૩) આંખમાં મંકોડો પ્રવેશવા છતાં અપૂર્વ સમતા રાખનારા, વીંછીનાં ડંખ લાગવા છતાં ૩૫ કિ.મી. સુધી ડોલી ઉપાડીને વિહાર કરનારા, નિશ્ચય તથા વ્યવહારનો અત્યંત અનુમોદનીય સમન્વય સાધનારા જિનાજ્ઞા તથા ગુર્વાશાનું ચુસ્તપણે પાલન કરનારા, યોગનિષ્ઠા, આત્મજ્ઞા, સુસાધ્વીશ્રી ગુણોદયાશ્રીજી મ.સા. (અચલગચ્છીય).
(૩૪) દીક્ષા લેવી તો એમની પાસે જ એવો દૃઢ નિર્ણય ધરાવનારા ૩-૩ મુમુક્ષુ બહેનોએ ૧૫-૨૦ વર્ષો સુધી રાહ જોઈ છતાં અદ્ભુત નિઃસ્પૃહતા ધારણ કરનારા યથાર્થનામી, આત્મજ્ઞ, સા. શ્રી અનંતગુણાશ્રીજી મ.સા. (અચલગચ્છીય).
(૩૫) વર્ધમાન તપની ૧૦૦ ઓળી પૂર્ણ થવા છતાં કોઈ મહોત્સવ કે જાહેરાત વિના ચૂપચાપ સહજ રીતે પાળું કરનારા નિઃસ્પૃહી સા. શ્રી રમ્યગુણાશ્રીજી મ.સા.
Jain Education International
૬૫
(અચલગચ્છીય) તથા સા. શ્રી અનંતકિરણાશ્રીજી મ.સા. (વાગડ સમુદાય).
હજી તો આવા અનેકાનેક વિશિષ્ટ આરાધકરન સાધ્વીજી ભગવંતોનાં દૃષ્ટાંતો રહી ગયાં હશે જ. તે સહુ નામીઅનામી સાધુ-સાધ્વીજી ભગવંતોની રત્નત્રયીની વિશિષ્ટ આરાધના તથા તત્ત્વત્રયીની વિશિષ્ટ ઉપાસનાની ભૂરિશઃ હાર્દિક અનુમોદના.
ૐ શાંતિઃ શાંતિઃ શાંતિ:
વિશેષ કેટલાંક ચરિત્રો ઉપલબ્ધ બન્યા છે તે અત્રે રજૂ કરીએ છીએ
-ગ્રંથ સંપાદક
વાગડ સમુદાયના નક્ષત્ર સમાં, પરમ શ્રદ્ધેય, પરમ વિદુષી પ્રવર્તિની
પૂજ્ય સાધ્વીજી શ્રી ચતુરશ્રીજી મહારાજ
જૈનશાસનનો ઇતિહાસ સુવર્ણ અક્ષરે સોહી રહ્યો છે, તેમાં મહાન તપસ્વીઓ અને વિરલ વિભૂતિઓએ આ
આકાશગંગાને ઝળહળતી કરી છે. કચ્છ-વાગડનાં
સાધ્વીરત્ન શ્રી પ.પૂ. ચતુરશ્રીજી મહારાજ પણ એક હતાં.
તેઓશ્રીનો જન્મ કચ્છની કામણગારી ધરા પર માંડવી શહેરમાં થયો હતો. પિતાનું નામ વરદરાજભાઈ અને માતાનું નામ મીઠીબાઈ હતું. સ્વનામ પાર્વતીબહેન હતું. પાર્વતીબહેનનું બાલ્યકાળથી ધર્માભિમુખ વર્તન જોઈને સૌ કોઈને થતું કે કોઈ સાધક જીવ અધૂરી સાધના પૂર્ણ કરવા માટે જ ફરી પૃથ્વી પર આવ્યો છે! બાળપણથી જ તેઓશ્રીમાં સ્વાભાવિક સંસ્કારિતા જોવા મળતી હતી. તેનાથી વાણીમાં વિમલતા, દિલમાં કોમળતા અને વર્તનમાં વિનમ્રતાના ગુણો વિકાસ પામ્યા. યુવાનીના આંગણામાં પ્રવેશ પામતાં જ રાગની રાત ત્યાગીને વિરાગના પ્રભાત ભણી ડગ માંડ્યાં. સંયમ સ્વીકારવાનાં સોનેરી સોણલાં સેવવા માંડ્યાં. સૌમ્યમૂર્તિ પ.પૂ. રત્નશ્રીજી મહારાજના સમાગમે પોતાનાં માતુશ્રી સાથે સં. ૧૯૬૭ના મહા સુદ ૧૦ના શુભ દિને પરમ ઉપકારી પૂજ્યવર શ્રી જીતવિજયજીદાદાના વરદ હસ્તે દીક્ષા અંગીકાર કરી શ્રી ચતુરશ્રીજી બન્યાં. દીક્ષાદિનથી કર્મો સાથે જંગ માંડીને સાધનાનો યજ્ઞ આરંભ્યો. પરિણામે પૂજ્યશ્રીના પાવન જીવનમાં અગણિત ગુણોન ગંગા વહી રહી. સંયમના સારભૂત શ્રદ્ધા-સમર્પણ અને આજ્ઞાપાલનના ગુણોને આત્મસાત્
For Private & Personal Use Only
www.jainelibrary.org