________________
શાશ્વત સોરભ ભાગ-૧
૨૬૩
શાસનપ્રભાવિકા સાધ્વીજી છે. તેમણે (૧) અઠ્ઠમથી ૨૦ સ્થાનક તપ (૪૦૦ અટ્ટમ) (૨) ૧૦૮ પાર્શ્વનાથ ભગવાનની ૧૦૮ અઠ્ઠમ (૩) અટ્ટમથી વર્ષીતપ (૪) છઠ્ઠથી વર્ષીતપ (૫) ૨૨૯ છઠ્ઠ (૬) ૩ માસક્ષમણ.....ઇત્યાદિ અનેક મોટી તપશ્ચર્યા કરેલા છે. તપ-જપ-સંયમના પ્રભાવથી એકવાર પાલિતાણામાં પદ્માવતી દેવીએ સ્વયમેવ તેમને દર્શન આપ્યાં હતાં. એમની પ્રેરણાથી ૨૦ જિનાલય સહિત ૩ ઠેકાણે જિનાલય નિર્માણ, ૩ વાર ૯૯ યાત્રા સંઘ, ૬ વાર સામૂહિક ઉપધાન, ૧૧ વાર છ'રી પાલક સંઘ, ૨૫ વાર ૫૧, ૧00 ઇત્યાદિ છોડના ઉજમણાં વગેરે અનેક
શાસનપ્રભાવક કાર્યો થયાં છે. (૭) વર્ધમાન આયંબિલ તપની ૧૦૦ + ૧૦૦ + ૫૦ થી
અધિક ઓળી ઉપરાંત સળંગ ૭૮ ઉપવાસ આદિ મહાતપશ્ચર્યા તથા કરોડોનો જાપ કરનારા સાણંદના સા. શ્રી મનોરમાશ્રીજી મ.સા. (બાપજી મ.સા.ના
સમુદાયમાં). (૮) વર્ધમાન તપની 100 + 100 + ૨૭ ઓળી કરનારા
મહાતપસ્વી સા. શ્રી પુપચૂલાશ્રીજી મ. (વાગડ
સમુદાય). (૯) વર્ધમાન તપની 100 + 100 + ૬૫થી અધિક ઓળી
તથા માસક્ષમણ, સોળભg, ૬ અઠ્ઠાઈ, સિદ્ધિતપ આદિની મહાતપસ્વી સા. શ્રી હંસકીર્તિશ્રીજી મ. (વાગડ
સમુદાય). (૧૦) સળંગ ૨૦-૨૦ ઉપવાસથી ૨૦ સ્થાનક તપની
આરાધના કરનારા સા. શ્રી હેમચંદ્રાશ્રીજી મ. તથા
સા. શ્રી શુભાનનાશ્રીજી મ. (વાગડ સમુદાય). (૧૧) ૭૩ વર્ષની વયે સળંગ ૨૫૧ ઉપવાસ કરનારા
મહાતપસ્વી સા. હેમકુંવરજી (શ્રમણસંઘ) એ સં. ૨૦૪૪થી ૨૦૫૨ દરમ્યાન અનુક્રમે ૬૧, ૩૧, ૭૧, ૭૩, ૭૫, ૧૦૮, ૧૩૧, ૧૫૧ તથા ૨૫૧ ઉપવાસની
તપશ્ચર્યા કરેલ છે. (૧૨) સં. ૨૦૫રમાં દિલ્હીમાં સળંગ ૩૧૧ ઉપવાસ
કરનારા “તપચકેશ્વરી' સા. મોહનમાલાશ્રીજી (શ્રમણ સંઘ સમુદાય) એ સં. ૨૦૫૧માં ૨૧૨ ઉપવાસ તથા સં. ૨૦૧પમાં ૨૧૧ ઉપવાસ કરેલ. તપ-જપના
પ્રભાવે તેમના ઉપર અનેકવાર કેસરવૃષ્ટિ પણ થયેલ છે. ૩) રોજની ૧૦૦ ગાથા કંઠસ્થ કરનારા, ગુરુઆજ્ઞાથી ૧૧
અંગસૂત્રો કંઠસ્થ કરનારા ‘વિક્રમ ભક્તામર સ્તોત્રનાં
રચયિતા વિદુષી સા. શ્રી રત્નમૂલાશ્રીજી મ. (૧૪) શ્રી દશવૈકાલિક ચિતનિકા, શ્રી ઉત્તરાધ્યયન ચિતનિકા,
શ્રી આચારાંગ ચિંતનિકા આદિનાં લેખિકા, વિદુષી સા. શ્રી વાચંયમાશ્રીજી (બહેન મ.) (વિક્રમસૂરિ
સમુદાયમાં). (૧૫) ગુરુઆજ્ઞા શિરોમાન્ય કરીને રાજસ્થાનના પછાત ગણાતા
ભરતપુર, અલવર, ગંગાનગર તથા સવાઈ માધોપુર જિલ્લાના પલ્લીવાલ ક્ષેત્રમાં ૧૮ વર્ષ વિચરીને ૩૬ જિનાલયોનો જીર્ણોદ્ધાર તથા નવનિર્માણ, ૧૧ આરાધના ભવન-ઉપાશ્રયોનું નિર્માણ, ધાર્મિક શિબિરો, સરસ તીર્થનો ૬ વાર છ'રી પાલક સંઘ ઇત્યાદિ દ્વારા ધર્મજાગૃતિને પુનર્જીવિત કરનારા સા. શ્રી
શુભોદયાશ્રીજી મ. ઉપરોક્ત દષ્ટાંત નં ૫૮-૫૯-૬૦ ત્રણે સગી બહેનોએ પૂ. આ.
શ્રી વિક્રમસૂરિ સમુદાયમાં દીક્ષા લીધેલ છે. (૧૬) અઠ્ઠમના પારણે એકાસણાથી ૫ વર્ષીતપ! તેમાં પણ
પ્રત્યેક વર્ષીતપમાં ઉત્તરોત્તર ૧-૨-૩-૪-૫ વિગઈનો મૂળથી ત્યાગ........છેલ્લે અઠ્ઠાઈના પારણે એક ધાન્યના નિર્દોષ પુરિમડું આયંબિલથી વર્ષીતપનો ભવ્ય પુરુષાર્થ
કરનારા સાગર સમુદાયના સા. શ્રી ચિવશ્રીજી મ. (૧૭) સળંગ ૯૦૦ આયંબિલ ઉપર ૪૫ ઉપવાસની તપશ્ચર્યા
સાથે નવસારીથી શંખેશ્વર સુધી વિહાર કરીને નિર્દોષ આયંબિલથી પારણું કરનારા..... દરેક બારીના પારણામાં આયંબિલપૂર્વક શ્રેણિ તપ તથા સિદ્ધિ તપ, ૪00 અટ્ટમ પૂર્વક ૨૦ સ્થાનકની આરાધના, ૧૦૮ અટ્ટમ દ્વારા શ્રી પાર્શ્વનાથ પ્રભુની આરાધના, પારણામાં પુરિમઢ એકાસણાપૂર્વક અટ્ટમથી વર્ષીતપ.... સળંગ ૧ વર્ષ સુધી વારાફરતી એકેક ધાન્યથી ૯ આયંબિલના પારણે ૯ આયંબિલપૂર્વક નવપદજીની આરાધના ઇત્યાદિ અનેકવિધ તપ-જપની અપ્રમત્તપણે આરાધના કરનારા મહાતપસ્વી સા. શ્રી કૃતવર્ષાશ્રીજી મ. ઉપરોક્ત સા.
શ્રી વર્ષાશ્રીજીના સંસારપક્ષે સગાં બહેન મ.). (૧૭) સળંગ ૪૦૦ છઠ્ઠથી ૨૦ સ્થાનક તપ, સિદ્ધિ તપ,
Jain Education Intemational
ducation Intermational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org