________________
શાશ્વત સોરભ ભાગ-૧
૬૫૧
વૈરાગ્ય મજબૂત કરી પરમાત્માના માર્ગે પ્રયાણ કરવામાં પ્રેરક બનેલ છે. ગૃહાંગણે જિનમંદિર નિર્માણ કરી પરમાત્માને હૃદયમાં બિરાજમાન કરેલ છે. સામાયિક બેંકની સ્થાપના કરી ચારિત્ર ને સાધર્મિક પ્રત્યે તેમના હૃદયનો ભાવ દર્શાવ્યો છે. માસિકપત્ર શરૂ કરી જ્ઞાનપ્રચારની રસિકતા દર્શાવી છે. ચરિત્રનાયકનું જીવન જોતાં અનેક ગુણો પ્રદર્શિત થાય છે.
પ્રભુવીરના માર્ગનું આચરણ કરનાર મુનિવર પૂ. ગણિવર્યશ્રી જગતદર્શનવિજયજી મ.સા.
જેનશાસન શિરતાજ તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્યરત્ન તથા વર્ધમાનતપોનિધિ પૂજ્ય આ. શ્રી વિજય ગુણયશ સૂ.મ. તથા પ્રવચન પ્રભાવક પૂ.આ. શ્રી વિ. કીર્તિયશ સૂ.મ.ના નિશ્રાવર્તી વર્ધમાનતપોનિધિ પરમતપસ્વી પરમ સંયમી પૂજ્ય ગણિવર્ય શ્રી જગદર્શન વિજયજી મહારાજ કે જેઓ આજથી ૨૫ વર્ષ પૂર્વે ગુજરાતના પાટડી મુકામે સંસાર ત્યજી સંયમી બન્યા હતા. મૂળ રાજસ્થાનના રાણકપુર તીર્થ પાસે આવેલ એક નાનકડા ગામ-ખારડાના એ વતની હતા. ધંધો-વ્યવસાય કરવા માટે મુંબઈ વસવાટ કર્યો. જીવનમાં ધર્મની જાગૃતિ લાવવા અને પરિવારને પણ ધર્મથી વાસિત કરવા મુંબઈને પણ દેશવટો આપી ગુજરાતમાં રાજનગર અમદાવાદમાં પોતાનાં કોઈ જ સ્વજન ન હોવા છતાં વસવાટ કર્યો. વ્યાવહારિક જીવનાં નીતિ નિયમોને જાળવી રાખ્યા. કૂડ-કપટને ક્યારેય આશરો ન આપ્યો, કોઈની પણ સાથે ક્લેશ ન થાય તેની સતત કાળજી રાખી, કોઈએ તેમની સાથે ઠગાઈ કરી તો તેને પણ ક્ષમા આપી. આવું વિશિષ્ટતાભર્યું તેઓનું જીવન હતું.
બાલ્યવયથી ઘરમાં ધર્મસંસ્કારો ન હોવા છતાં પૂર્વ જન્મના સંસ્કારોને કારણે પ્રારંભિક ધર્મસાધના ગુરુનો યોગ ન હોવા છતાં પોતાની અંતઃસ્કૂરણાથી જ જીવનમાં આદરી હતી સાંસારિક જીવનમાં વર્ષો સુધી સચિત્તનો ત્યાગ, વ્રત, નિયમો, બિયાસણાં-એકાસણાંનું પચ્ચખાણ આદિ કાયમી રીતે કરતા
હતા. પોતાનો ધંધો છોડીને દર ચૌદસે અવશ્ય પૌષધ વ્રત કરતા હતા. અનેક વર્ષો સુધી પર્યુષણાપર્વમાં પૌષધ સહિત અઠ્ઠાઈની તપશ્ચર્યા આદરતા હતા. પરિવારના દરેક સભ્યો સંયમ માર્ગે પ્રયાણ કરે તે હેતુથી ઉત્તમ ગુરુભગવંતોનો એમને પરિચય કરાવ્યો હતો. તેના ફળ સ્વરૂપે પરિવારમાંથી કુલ પાંચ દીક્ષાઓ થઈ હતી. સાંસારિક જીવનમાં શહેરમાં વસતા હોવા છતાં સંયમ પૂર્વના વર્ષોમાં બાથરુમ સંડાસનો ઉપયોગ તેમણે ટાળ્યો હતો. પરિવારની દરેક વ્યક્તિ રાત્રિભોજનનો ત્યાગ કરતી એટલું જ નહીં, પણ ઘરમાં સૂર્યાસ્ત બાદ આવનારાં મહેમાનો માટે પણ રાત્રિભોજનનો ત્યાગ રખાતો હતો. કદાચ કોઈના દબાણવશ રાત્રિભોજન કરાવવું જ પડે તો અટ્ટમનું પચ્ચખાણ કરવું તેવો એમને પોતાને નિયમ હતો. જીવનમાં એકવાર કસોટી આવી તો તેના પ્રાયશ્ચિત્તરૂપે એકવાર અટ્ટમ આદરેલ પરંતુ તે દિવસ બાદ ક્યારેય રાત્રિભોજન કરાવવાનો પ્રસંગે ઉપસ્થિત થતો ન હતો.
પરિવારની દરેક વ્યક્તિને ઉપધાન તપની આરાધના, વર્ધમાન તપનો પાયો વગેરે આરાધના અવશ્ય કરાવેલ. પોતાની પુત્રીના લગ્ન સમયે ગુરુ ભગવંતને આમંત્રી અષ્ટાદ્વિકા મહોત્સવનું આયોજન કરી પોતે લગ્નના કાર્યથી–પાપથી અલિપ્ત રહ્યા હતા. સર્વે કાર્ય વડીલભ્રાતાને સોંપી પાપમુક્તિનો આનંદ મેળવ્યો હતો.
પુત્રના લગ્નમાં પણ પૂજા વગેરે અનુષ્ઠાનમાં જ જોડાયેલા રહ્યા હતા. તે દિવસે પણ દિવસ દરમ્યાન સર્વે કાર્ય સંપન્ન કરાવેલ. સંસારમાં રહ્યા છતાં સંસારથી અલિપ્ત રહેવાનો જ તેઓનો પુરુષાર્થ રહેતો હતો.
અનેક ગુરુભગવંતોનો પરિચય હોવા છતાં સત્યમાર્ગની ખેવનાને કારણે પૂજ્ય ગુરુદેવશ્રીજી પાસે પોતાના પુત્ર “નવનીત'ને અભ્યાસાર્થે રાખી તૈયાર કરી તેની સાથે સંવત ૨૦૩૮ની સાલમાં દીક્ષા લીધી. તે પૂર્વે બે વર્ષ પહેલાં પોતાની બે પુત્રીને પણ દીક્ષા અપાવી. ગુરુવર્યોના ચરણે તેમનું જીવન સમર્પિત કર્યું હતું. મોટી ઉમ્મરે દીક્ષિત બનીને પણ સંસારને સંપૂર્ણ ભૂલી સાધનામાં મન લગાવ્યું. અધ્યયનમાં મન જોડ્યું. વાચનામાં લીન બન્યા, વાચનામાં આવતા સંયમ જીવનના આદર્શોને માત્ર સાંભળવા પૂરતા જ ન રાખ્યા પણ જીવનમાં અમલી બનાવવાનો નિશ્ચય કર્યો.
દીક્ષા લીધી ત્યારથી એકાસણાં કરાવાનો દઢ સંકલ્પ કર્યો. ઉપવાસ હોય અઠ્ઠમ હોય કે કોઈ પણ વધુ તપશ્ચર્યા હોય પારણે એકાસણાથી ઓછું પચ્ચખાણ ક્યારેય ન કરવું તેવો
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org