________________
શાશ્વત સૌરભ ભાગ-૧
પરમાત્મભક્તિમાં તરબોળ, પૂજ્યશ્રીને નિહાળવા અને ભક્તિરસનો અમૃતસ્વાદ શું હોઈ શકે તે અનુભવવો તે જિંદગીનો અપૂર્વ લ્હાવો છે અને તે એકવાર તો અનુભવવો જ જોઈએ. દેવગુરુની કૃપાથી વર્ષીતપ આરાધના પૂજ્યશ્રી આજીવન અખંડ તપસ્વી બનીને સ્વપરના તારક, આરાધક અને ઉપકારક બને એ જ શુભેચ્છા.
સૌજન્ય : એક ભક્ત તરફથી
પૂજ્ય હિતપૂર્ણવિજયજી મહારાજ સાહેબ (ભાઈ મહારાજ)
ચુસ્ત સાધુપણું પાળતા, પગમાં પહેરે નહીં. જરૂરિયાત પૂરતા જ વસ્ત્રો રાખે. જૈફ વયે પોતે નાની ઉંમરના ગુરુભાઈઓ માટે ગોચરી–ઉકાળેલું પાણી વહોરવા જતા. આખો દિવસ ધર્મધ્યાન કરતા.
એક વખત શ્રાવક ખાદીનું વસ્ર વહોરવા ગયો તો કહે મારે ન વહોરાવાય. મારા આચાર્ય ભગવંતને જ વહોરાવો મારે જરૂર પડશે તો લઈશ.
ગુજરાતના તિર્થસ્થળોએ વિહી મુંબઈ તરફ પ્રયાણ કરતા હતા. વડોદરા પહોંચ્યા ત્યાં સાધુ ભગવંતોને વિચાર આવ્યો કે રાજસ્થાનમાં દીક્ષા મહોત્સવ છે તો ત્યાં જઈએ.
રાજસ્થાનના દીક્ષાના સ્થળે પહોંચી ગયા. દીક્ષા મહોત્સવ સારી રીતે ઉજવાયો. બધા ઊભા થઈ તંબુ બહાર નીકળ્યા ત્યાં એક બાજુએથી તંબુ સળગ્યો.
ભાઈ મહારાજ પોતે તો મંડપ બહાર ઝડપથી નીકળી ગયા પણ વયોવૃદ્ધ સાધુ ભગવંતોને મંડપમાંથી નીકળતા સમય લાગ્યો એટલે ભાઈ મહારાજ તેઓને બચાવવા ગયા તેમાં વિશેષ
દાજી ગયા.
અમદાવાદ રાજસ્થાન હોસ્પિટલમાં દોઢેક માસ રહ્યાં આખરે કાળધર્મ પામ્યા. તેઓના આત્માને શાંતિ અર્પે તેવી ભગવાન પાસે પ્રાર્થના પ્રાર્થીએ છીએ.
રજૂઆત : શ્રી મનુભાઈ જા. શાહ, ભાવનગર પાપભીરુ પં. શ્રી રવિરત્ન વિ. મ.સા. (સપરિવાર સંયમના માર્ગે)
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં જૈનધર્મ સ્થાના વિનાનું નાનકડું ગામ રવેલ.....તેમાં વસે જૈનધર્મના રંગથી
Jain Education International
Ex
ગાયેલું કુટુંબ વાલાણી—પરિવાર. કુટુંબના મોભી શ્રી નટવરલાલભાઈ વ્યાવહારિક શિક્ષણના જ્ઞાતા. તેમના સ્વભાવ અને કાર્યકુશળતાથી ગામમાં પ્રિય થઈ પડ્યા. દરેક કાર્યમાં તેમનાં ધર્મપત્ની શ્રીમતી તારાબહેનનો વિશેષ ફાળો હતો અને એટલે જ ગામની ફઈ તરીકે પંકાયાં હતાં. બે પુત્રી અને એક પુત્ર ઉપર સંવત ૨૦૧૮ માં મહા સુદિ તેરસના દિને વિજયમુહૂર્ત પસાર થઈ રહ્યું છે. પુષ્ય નક્ષત્રનો યોગ છે. તે સમયે તારાબહેને પોતાની કુક્ષિએથી ચરિત્રનાયકને જન્મ આપ્યો. રાજેશ એવું નામ જાહેર કર્યું
પાંચ વર્ષની ઉંમર થતાં પિતાશ્રીએ શાળામાં દાખલ કર્યો, સાથે સાથે પિતાશ્રીએ પણ સંસ્કાર અને જ્ઞાન ઘડવાનો પ્રારંભ કર્યો, પરંતુ બાલ્યાવસ્થાથી જ એકલપણામાં રાચવાને ઇચ્છતો ગમે ત્યાં જઈ એકાંતમાં બેસી રહેતો.
ટર્નીંગ પોઇન્ટ : રાજેશને વ્યાવહારિક પુસ્તકો કરતાં ધાર્મિક પુસ્તકો અને કથાયોગમાં ખૂબ જ રસ હતો....ગમે તે ઘડીએ જે પુસ્તક હાથમાં આવે તે પુસ્તક પૂર્ણ કરીને જ મૂકે. વાચન તેમનો પ્રિય શોખ હતો. “એક વખતની વાત છે તે તેમના જીવની ભાત છે. સોનેરી પળની વાત ગુરુદેવની મુલાકાત.'
મહેસાણા પાઠશાળામાં પ્રવેશ : પૂજ્ય પિતાશ્રી પાસે સંયમની અનુમતિ માંગતાં પિતાશ્રી અને ગુરુદેવની ઇચ્છા ને આજ્ઞા સ્વીકારી ચરિત્રનાયક મહેસાણા પાઠશાળામાં દાખલ થયા અને જ્ઞાનાભ્યાસમાં આગળ વધવા લાગ્યા. વિદ્યાગુરુઓનો પ્રેમ સંપાદન કરવા સેવા ભક્તિના રસિયા બન્યા. હૃદયની સરળતા, જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમે સંવત ૨૦૩૨ના જાતિસ્મરણ જ્ઞાનની પ્રાપ્તિ પ.પૂ.પં. અભયસાગરજી મ.ની કૃપાથી મેળવી. પૂર્વભવના માતાપિતાને મળ્યા. સં. ૨૦૪૯માં ફરી પાલનપુર પાઠશાળામાં જોડાયા અને દ્વિતીય પુત્રરત્નને જન્મ આપ્યો ને તેનું નામ અર્પિત પાડ્યું. તે નામ પાછળ પણ કંઈક ભાવિસંકેત હશે, કારણ કે આપણા ચરિત્રનાયક જ્યોતિષ તેમ જ આધ્યાત્મિક શક્તિના સ્રોત હતા અને મંત્ર-તંત્ર નિપુણતા મેળવવા તેમના જીવનની લઘુતા પણ જોવા જેવી છે. સં.૨૦૫૦ માં અમદાવાદને તેમના જીવનનું કર્મ–ધર્મક્ષેત્ર બનાવી પાઠશાળામાં અધ્યાપન, સાધુ-સાધ્વીને અધ્યાપન, વિધિવિધાન ક્ષેત્ર, આગવું નામ, માસિક પ્રકાશનથી પ્રખ્યાતિના ગગનમાં વિહરવું, સોના ચાંદીના, ધીરધારના, ટ્રાવેલ્સના અને લોટરી-વ્યવસાય ક્ષેત્રે ઝંપલાવ્યું. એક સાથે ૭-૭ ધંધા કર... હોવા છતાં જ્યારે જુઓ ત્યારે નિવૃત્ત જોવા મળે અનેક ધાર્મિક-સામાજિક સંસ્થાઓમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org