SearchBrowseAboutContactDonate
Page Preview
Page 653
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ ૬૩૩ આત્માને ડોળીમાં બેસવું ગમતું જ નહીં હોય! પોતે તો સદા માટે જાગૃત હતા. અંતિમ સમયે પણ નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતાં સમાધિપૂર્ણ કાળધર્મ પામ્યા. તેમની અંતિમયાત્રા આદિ પ્રસંગો પણ વેરાવળ સંઘ માટે ચિરસ્મરણીય બની ગયા. પૂજ્યશ્રીજીના સંયમ જીવનની અનુમોદનાર્થે જામનગરશાંતિભુવન સંઘમાં ૧૭ દિવસનો ભવ્ય જિનભક્તિમહોત્સવ ઊજવાયેલ. બીજા પણ અનેક સ્થાનોમાં જિનભક્તિ મહોત્સવ ઊજવાયા. પૂજ્યશ્રીના કાળધર્મને ૧૦ વર્ષ થયાં પ્રત્યેક વાર્ષિકતિથિએ ભવ્ય જિનભક્તિ મહોત્સવ ઊજવાય છે. જૈન સમાજના સુવિખ્યાત કલ્યાણ' માસિકે પણ પૂજ્યશ્રીજીને શ્રદ્ધાંજલિ અર્પતો દળદાર વિશેષાંક બહાર પાડેલ. પૂજ્યશ્રીના સંયમજીવનની અનુમોદનાર્થે તેઓશ્રીના શિષ્યરત્ન પૂ. પંન્યાસપ્રવર શ્રી કુલશીલવિજયજી ગણિવર દ્વારા સદુપદેશિત અમદાવાદ-પાલન-શાંતિવનના આંગણિયે વિજય રામચન્દ્રસૂરિજી આરાધનાલયમાં શ્રી વિજય ચિંતામણિ પાર્શ્વનાથ જિનપ્રચારમાં પૂજ્યશ્રીના પરમ ગુરુદેવ આ. શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાનું ગુરુમંદિર અને પૂજ્યશ્રીની ગુસ્પાદુકાથી નિર્મિત આ સ્થાન ભાવિકોની શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. અનેક ભવ્ય આત્માઓ માટે આલંબનભૂત જીવન જીવનારા મહાપુરુષોનાં ચરણોમાં નતમસ્તકે વંદનાંજલિ! પૂ.પં.શ્રી કુલશીલવિજયજી મ.સાની પ્રેરણાથી શ્રી તીર્થાધિરાજ ચાતુર્માસ સમિતિ (વિ.સં. ૨૦૬૨) પાલિતાણાના સૌજન્યથી મધુર કંઠી પૂ. પંન્યાસપ્રવર શ્રી કુલશીલ વિજયજી ગણિવર સાંધવ (કચ્છ) ના વતની અને વ્યવસાયાર્થે કલકત્તા મહાનગરમાં સ્થિર થયેલા શ્રી ધનજીભાઈ શિવજીનાં ધર્મપત્ની અ. સૌ. નવલબેનની કુક્ષિએ વિ. સં. ૨૦૦૭ના ભાદરવા વદ ૧૦ ના પુણ્યદિને સુંદર મજાના પુત્રનો જન્મ થયો. નામ તેનું કિશોર પાડવામાં પણ સમૃદ્ધ બનવા પામ્યું. તેમના જન્મ પછી થયેલ તુરંત જ પૂ. આ. ભ. શ્રી વિજય રામચન્દ્ર સૂરીશ્વરજી મહારાજના સમાગમના કારણે કિશોરકુમારે જીવનમાં ક્યારેય અભક્ષ્યનું ભક્ષણ કે રાત્રિભોજન પણ કરેલ નથી. બાલ્યાવસ્થાથી જ પૂજ્યપાદ પરમ ગુરુદેવશ્રીજીના ખોળામાં બેસવાનું સદ્ભાગ્ય મેળવનારા કિશોરકુમારે વ્યવહારિક અભ્યાસ કરતા ધાર્મિક અભ્યાસ વધુ કરેલ. | દર ચાતુર્માસમાં પૂજ્યશ્રીની નિશ્રામાં રહેવાનું સૌભાગ્ય મેળવનાર કિશોરકુમારે બાલ્યાવસ્થામાં રમતગમતની સાથે અનેક પ્રકારની સુંદર આરાધનાઓ બે પ્રતિક્રમણ પંચ પ્રતિક્રમણ નવસ્મરણ ચાર પ્રકરણ છ કર્મગ્રંથ આદિનો અભ્યાસ સહજતાથી કરી લીધો. વિ. સં. ૨૦૧૯ માં પિતાજી ધનજીભાઈ આદિ સપરિવારની સાથે દીક્ષીત બનેલા કિશોરકુમારમાંથી મુનિરાજ શ્રી કુલશીલ વિજયજી તરીકે નામાભિધાન પામેલા બાલમુનિ શ્રી પૂજ્યપાદ પરમગુરુદેવશ્રીજીના લાડીલા હતા તો પૂજ્યપાદ ઉપાધ્યાજી શ્રી ચારિત્રવિજયજી મ. ના કુશળ ઘડતરના કારણે તેમની પાસેથી ગ્રહણ શિક્ષા અને આસેવન શિક્ષા મેળવતાં બાલમુનિની પ્રત્યેક કાર્યોમાં ચોકસાઈ ચીવટ આગવી તરી આવતી હતી. તેમની વ્યવસ્થિત કુશળતાપૂર્વક કામ કરવાની પદ્ધતિની ઘણીવાર પૂજ્યપાદ પરમ ગુરુદેવશ્રીજી વાચનામાં પ્રશંસા કરતા હતા. બાલ્યાવસ્થાથી જ મધુર કંઠની કુદરતી બક્ષીસ હોવાથી છ અઠ્ઠાઈ, સત્તાવીસ ભવ, પંચકલ્યાણક, જ્ઞાનપંચમી, મૌન એકાદશી આદિના સ્તવનો સાયોના રાગો તે સમયના સુવિખ્યાત સંગીતજ્ઞ કેશવલાલ ગૌતમ પાસે એ રાગોની વ્યવસ્થિત પદ્ધતિ શીખી. વિ. સં. ૨૦૧૧-૨૦૧૨-૨૦૧૩ ના લાલબાગ ચાતુર્માસમાં પૂજ્યશ્રીની નિશ્રામાં પર્વાધિરાજ પર્યુષણા મહાપર્વમાં જે બુલંદ અને મધુર સ્વરે સ્તવનોનું ગાન કર્યું છે તે સાંભળી હજારોની પર્ષદા ભગવદ્ભક્તિમાં તલ્લીન બની ગયેલ. ન્યાય વિશારદ વર્ધમાન તપોનિધિ પૂ. આ. ભ. ભુવનભાનુ સૂ. મ. વિ. સં. ૨૦૩૦ની સાલમાં ખાસ મુનિ કુલશીલ વિજયજીના કંઠે ગવાતા સ્તવનો. સઝાયો સાંભળવા માટે વિજય દાનસૂરીશ્વરજી જ્ઞાનમંદિરમાં પ્રતિક્રમણની માંડલીમાં પધારતા હતા. આવ્યું. પૂર્વના પ્રકૃષ્ટ પુણ્યોદયના કારણે સુસમૃદ્ધ ઘરમાં તો જન્મ થયો પણ તેમના જન્મ પછી ધનજીભાઈનું ઘર ધર્મથી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy