SearchBrowseAboutContactDonate
Page Preview
Page 651
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ ભક્તિ કરી અનેરા ભાવોલ્લાસથી અખૂટ પુણ્યોપાર્જન સાથે ગુરુભગવંતની કૃપા પ્રાપ્ત કરેલ. લઘુબંધુ મુનિશ્રી કુંદકુંદવિજયજી મ.ની દીક્ષા પછી પોતે દર રવિવારે અનેક ભાઈબહેનોને દર્શનાર્થે તેડી જતા અને તેઓ ધર્મ પામે, તે ઉદ્દેશથી ખૂબ ભક્તિ કરતા. સં. ૨૦૦૦માં માલેગામથી માંડવગઢનો સંઘ ગુરુભગવંતની નિશ્રામાં નીકળેલ. તેમાં પોતે સંઘમાં જોડાનાર ભાવિકોને સોનામહોરની પહેરામણી કરેલ. તેથી સંઘ કઢાવનાર કરતાં પણ પોતે પ્રભાવના દ્વારા વધુ લાભ લીધેલ. સં. ૨૦૧૧માં પોતાના એકના એક લાડકા વળી બુદ્ધિના તેજસ્વી ઓજસ્વી એવા પુત્રરત્નને ૧૩ વર્ષની નાની ઉંમરમાં પૂ. પંન્યાસજી ભગવંતનાં ચરણોમાં સોંપી દઈને, ગુરુદેવ કુંદકુંદ વિ. મ.ના શિષ્ય તરીકે લોણાવાલામાં ભવ્ય મહોત્સવપૂર્વક, લોકોને આશ્ચર્ય અને આનંદ પમાડે તેવી રીતે દીક્ષા આપી. તે મુનિશ્રી વજ્રસેન વિજયજી મ. આજે ૫૦ વર્ષનો દીક્ષા પર્યાય પૂર્ણ કરી જ્ઞાન-ધ્યાનમાં મગ્ન, અનેક મહાત્માઓને સંયમયોગમાં સહાયક થઈ રહ્યા છે. સં. ૨૦૧૩માં શંખેશ્વરમાં પંન્યાસજી શ્રી ભદ્રંકરવિજયજી મહારાજની નિશ્રામાં એમનાં ધર્મપત્ની જીવીબહેને ઉપધાન કર્યાં. પછી માંઢા આવ્યાં. ત્યાં જીવીબહેનને આઠ દિવસ તાવ આવ્યો. નવકારમંત્રની ધૂન ચાલતી હતી ત્યારે સમાધિપૂર્વક જીવીબહેન કાળધર્મ પામ્યાં. તેમના ધર્મમય જીવનની અનુમોદનાર્થે મહોત્સવ કરવાનું નક્કી કર્યું. પોતાના લઘુબંધુ મુ. શ્રી કુંદકુંદ વિ. મ. હાલાર પધાર્યા, મહોત્સવનો પ્રારંભ થયો અને વૈશાખ સુદ ૧ના શુભદિને લઘુબંધુશ્રીને વિચાર આવ્યો કે મોટાભાઈએ મને સંસાર કાદવમાંથી બહાર કાઢ્યો તો મારી ફરજ છે કે મારા વડીલ બંધુશ્રીને સંયમી બનાવવા. તે વાત કરવા માણેકભાઈને એક આંબાની વાડીમાં તેડી ગયા. સંસારની અસારતા તો તેમનાં મનમાં હતી જ. તેથી ભાઈના સ્નેહપૂર્ણ વાત્સલ્યે તેમને ભીંજવી દીધા અને ધર્મરાજની જીત થઈ. બે જ દિવસમાં બધું હિસાબકિતાબ વગેરે આટોપીને સં. ૨૦૧૩ના વૈશાખ સુદ-૩ના દિવસે હજારો માનવ મહેરામણ વચ્ચે ચાલી રહેલા મહોત્સવમાં જ ભાગવતી પ્રવ્રજ્યાને અંગીકાર કરી, પૂ. પંન્યાસ પ્રવર શ્રી ભદ્રંકર વિ. ગણિવર્યશ્રીના શિષ્યરત્ન તરીકે માણેકચંદભાઈમાંથી મુનિરાજ શ્રી મહાસેન વિજયજી અણગાર બન્યા. ગુરુદેવની આજ્ઞા પ્રમાણે ૩૦–૩૦ વર્ષ સુધી અનેક ગામ-નગરમાં વિચરી Jain Education Intemational ૬૩૧ સતત પરોપકારના ભાવ સાથે સ્વ-પર કલ્યાણમાં મગ્ન રહેતા. દીક્ષા પછી ઉપકારી ગુરુદેવ આદિ મહાત્માઓનાં પવિત્ર પગલાં આ હાલારની ધરા ઉપર કરાવી, હાલારી પ્રજાને અધ્યાત્મયોગી, અજાતશત્રુ અણગારનાં દર્શનનો અનુપમ લાભ અપાવેલ. ઉપકારી ગુરુદેવની પ્રેરણા તથા કૃપાથી— * પોતાના લઘુબાંધવ સાથે હાલારનાં ગામોમાં નવકારનો નાદ જગાવીને ઘેર ઘેર નવકારને વહેતો કર્યો. * ૩૪ ગામોમાં આદિનાથ ભગવાનના ફોટાઓ શાસનપ્રભાવનાપૂર્વક ગામજમણ, પ્રભાવનાઓ વ. સાથે પધરાવ્યા. * હાલારની પ્રજાને પાલિતાણાની યાત્રા કરાવવા માટે ભાવિકોને ઉપદેશ આપી, તૈયાર કરી, અનેકોને ગિરિરાજની યાત્રા કરાવી. * સાત વ્યસનનો ત્યાગ, રાત્રિભોજન ત્યાગ, નવકારશી, અટ્ટમ, આયંબિલો, એકાસણાં વ. અનુષ્ઠાનોનું જ્ઞાન આપી, સમજણ આપીને તૈયાર કર્યા. અનેકોને દીક્ષા માટે પ્રેરણા કરીને દીક્ષા અપાવી. આરાધનાધામમાં જેઠ વદ-૬ના બુધવારની સવારે ૭૧૩ મિનિટે સળંગ ૧૧ દિવસથી રાત-દિવસ ચાલતા નવકારમંત્રનું સ્મરણ કરતાંકરતાં કાળના ધર્મને પામ્યા. તેઓનું આંતરિક યોગદાન-આજે હજારો હાલારી વિસા ઓસવાળોને ધર્માભિમુખ બનાવી ગયું. આજે હાલાર તીર્થની વિજયપતાકા ગગનમાં લહેરાય છે. તેમાં પૂ. મુનિરાજ શ્રી મહાસેન વિજયજીનું નામ અવ્યક્ત રીતે પ્રસરી રહ્યું છે. For Private & Personal Use Only સૌજન્ય : શ્રી મોહનલાલ દેવરાજ ખીમશીયાની સ્મૃતિમાં મોતીબેન મોહનલાલ ખીમશીયા નાઈરોબી (કેન્યા) પૂ. પંન્યાસશ્રી ભદ્રશીલવિજયજી મહારાજ કચ્છની પાવન ભૂમિ પર અબડાસા તાલુકાના સાંધવ ગામના વતની અને વ્યાપારાર્થે કલકત્તામાં વસતા એવા ધનજીભાઈને કોઈ ધન્ય પળે સં. ૨૦૦૯માં પરમ શાસનપ્રભાવક વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરિજી મહારાજનાં પ્રવચન-શ્રમણનો સુયોગ સાંપડ્યો અને ધનજીભાઈની જીવનનૈયા જે સંસારમાર્ગે ધમમસતી જઈ રહી હતી તે ધર્મમાર્ગે વળી ગઈ! સં. ૨૦૧૧થી નિત્ય પાંચ દ્રવ્યથી એકાસણાં, ત્રિકાળ સ્વદ્રવ્યથી જિનપૂજા, પ્રતિદિન સાધર્મિક ભક્તિ, ઉભયકાળ આવશ્યક, સંયમ સ્વીકારવાની તીવ્ર ભાવનાઆ સર્વ તેમના જીવનનો ક્રમ બની રહ્યાં. સં. ૨૦૧૦માં www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy