SearchBrowseAboutContactDonate
Page Preview
Page 620
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૦૦ ધન્ય ધરાઃ પોતાના પૂરા પરિવારને—ધર્મપત્ની તથા બંને બાળકુમાર પુત્રોને સાથે લઈ ત્યાગમાર્ગનો સ્વીકાર કર્યો, એટલે આ રીતે, પોતાના આખા પરિવારને ભવસાગરને તરી જવાના દિવ્ય વહાણ સમા ભગવાન તીર્થંકર પ્રરૂપિત ધર્મનાં ચરણે, આનંદ અને ઉલ્લાસપૂર્વક સમર્પિત કરી દીધો. આ ઘટના બની તે પ્રસંગે યોગાનુયોગ પણ કેવો આવકારદાયક બન્યો! સંયમના માર્ગના પુણ્યપ્રવાસી બનેલા અક્ષયરાજજીનું ગુરુપદ, મૂળ એમના વતનના જ એક સપૂત સાધુપુંગવ તેમ જ કચ્છ વાગડદેશોદ્ધારક પૂજય આચાર્ય શ્રી વિજયકનક-સૂરીશ્વરજી મહારાજના આત્મલક્ષી શિષ્યરત્ન પૂ. મુનિરાજ શ્રી કંચનવિજયજી મહારાજે પ્રાપ્ત કર્યું. શ્રી અક્ષયરાજજીનો દીક્ષા મહોત્સવ એમના વતન ફલોદી શહેરમાં ધામધૂમથી સં. ૨૦૧૨ના વૈશાખ સુદ ૧૦ના, પરમાત્મા શ્રી મહાવીર પ્રભુના કેવળજ્ઞાન કલ્યાણકના પર્વના દિને ઊજવાયો હતો. તેઓશ્રીનું નામ મુનિ શ્રી કલાપૂર્ણવિજયજી રાખવામાં આવ્યું, જાણે કે આત્મસાધનાની કળાને પરિપૂર્ણ રૂપે પ્રાપ્ત કરનારા પરમ ધર્મપુરુષાર્થમાં સંલગ્ન રહેવાનો જ એમનો ભાગ્યયોગ ન હોય! અને એ નૂતન મુનિરાજ શ્રી કલાપૂર્ણવિજયજી મહારાજનાં પગલે પગલે ત્યાગમાર્ગે પ્રયાણ કરતા બે સુપુત્રોનાં નામ મુનિ શ્રી કલાપ્રભવિજયજી અને મુનિશ્રી કલ્પતરુવિજયજી રાખવામાં આવ્યાં. હાલ પૂ. આ. શ્રી કલાપ્રભસૂરિ તથા પૂ. પં. શ્રી કલ્પતરુવિજયજી મ. આ બંને જ્ઞાનચારિત્રની નિષ્ઠાભરી આરાધના દ્વારા પોતાની સંયમયાત્રામાં આગળ વધી રહ્યા છે. પૂજ્ય શ્રી કલાપૂર્ણવિજયજી મુનિવર માટે તો આ અવસર ભૂખ્યાને ભાવતા ભોજન મળી જાય એવો હતો. એટલે એમાં લેશ પણ ક્ષતિ આવવા ન પામે કે એક ક્ષણ જેટલો સમય પણ ત્મતત્વના અહિતકાર અરિ સમાન આળસમાં એળે ન જવા પામે એ રીતે તેઓ સતત અપ્રમત્તભાવે પોતાના સંયમી જીવનને ઉજ્વળ બનાવવા મન-વચન-કાયાની એકાગ્રતાથી કાર્યરત બની ગયા. આ કાર્યમાં શાસ્ત્રાભ્યાસ, નાનીમોટી તપસ્યાઓ અને શિષ્યોને અધ્યાપન કરાવવા જેવી પ્રવૃત્તિ ઉપરાંત ધ્યાનયોગ અને ઈશ્વરપ્રણિધાનનો પણ સમાવેશ થાય છે. એમની ધ્યાનયોગ માટેની પ્રવૃત્તિ જોતાં એમ જ લાગે કે જૈનસાધનામાંથી ઠીક ઠીક પ્રમાણમાં વીસરાઈ ગયેલા ધ્યાનના માર્ગને પુનઃ ચાલુ કરવા તેઓશ્રી જાતઅનુભવ અને સ્વયંપ્રયોગ દ્વારા, બહુ જ આવકારપાત્ર પ્રયત્નો કર્યા. જ્યારે તેઓશ્રી તીર્થંકર પરમાત્માની પ્રતિમા સામે ઈશ્વરપ્રણિધાનમાં ઊતરી જતા, ત્યારે તો આરામ, આહાર અને સ્થળકાળના ભેદને વીસરી ગયા હોય એવું ભવ્ય અને પ્રેરક દશ્ય જોવા મળતું છે! આહાર લેવાની વૃત્તિ ઉપર તથા સ્વાદ ઉપર પૂજ્યશ્રીએ હેરત પમાડે એવો કાબૂ મેળવ્યો છે. આથી તેઓશ્રીની શ્રમણધર્મની સાધના વગેરે ચરિતાર્થ અને પ્રભાવશાલી બની છે એમ કહેવું જોઈએ. આ સંતપુરુષને સં. ૨૦૨૫ના મહા સુદી ૧૩ ના રોજ ફલોદી શહેરમાં મહામહોત્સવપૂર્વક પંન્યાસપદથી વિભૂષિત કરવામાં આવ્યા અને સં. ૨૦૨૯ના માગશર સુદિ ૩ના દિવસે કચ્છના સુપ્રસિદ્ધ પ્રાચીન તીર્થ ભદ્રેશ્વરની પુણ્યભૂમિમાં આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા. આ પ્રસંગે આયોજિત જૈનસંઘનો વિશાળ મેળો અને એ મહોત્સવ સદા માટે યાદગાર બની ગયા! પોતે આચાર્ય ન હતા ત્યારે પણ શ્રી સંઘની ધર્મભાવનાને ટકાવી રાખવાની અને વધારવાની જવાબદારીમાં આ મુનિવર ક્યારેય પાછા પડ્યા ન હતા, એટલે આચાર્ય બનીને સંધનાયક તરીકેના મહાન જવાબદારીવાળા પદે પ્રતિષ્ઠિત થયા પછી તો એમની આ પ્રવૃત્તિમાં અનેકગણો વધારો થવા પામ્યો. વાગડ સમુદાયના આશરે ૪૫૦ સાધુ-સાધ્વીજીઓના શિરછત્ર તરીકે રહીને તેઓશ્રીએ સર્વની સંયમયાત્રા સારી રીતે આગળ વધારી. પૂજ્યશ્રીના શુભ હસ્તે ઘણા પુણ્યાત્માઓની દીક્ષાઓ થઈ છે. પૂજ્યશ્રીના નિકટવર્તી શ્રમણ સમુદાયમાં પૂજ્યશ્રીની પ્રેરક નિશ્રામાં અનેક પ્રતિષ્ઠાઓ, ઉપધાનો અને ઉજમણાં થયાં છે. તેમ જ છ'રી પાળતા નાના-મોટા સંખ્યાબંધ સંઘો નીકળ્યા છે. તેઓશ્રીએ માળવા, રાજસ્થાન, મહારાષ્ટ્ર, તમિલનાડુ, છત્તીસગઢ, સૌરાષ્ટ્ર અને ગુજરાતની ધર્મભાવનાની અભિવૃદ્ધિ કરવા દૂર દૂર સુધી વિહાર અને ચોમાસાં કરવા છતાં કચ્છ, અને ખાસ કરીને વાગડ પ્રદેશના શ્રીસંઘોની જરાયે ઉપેક્ષા ન થાય એની સતત ચિંતા અને કાળજી રાખી છે. પૂજ્યશ્રીનો સ્વર્ગવાસ રાજસ્થાનના કેશવણા મુકામે વિ.સં. ૨૦૫૮ મહાસુદ-૪ના થયો તથા અગ્નિ-સંસ્કાર શંખેશ્વરતીર્થમાં મહા સુદ-૬ના થયો. શંખેશ્વર તીર્થમાં આજે પૂજ્યશ્રીની સ્મૃતિમાં સુવિશાળ ગુરુ-મંદિર ઊભું થયેલું છે. પૂજ્યશ્રીનું પ્રેરક જીવન જાણવા IIકલાપૂર્ણમ્ | સ્મૃતિગ્રંથ (બે ભાગ) વાંચવા જેવા છે તથા પૂજયશ્રીની વાણી જાણવા “કહે કલાપૂર્ણસૂરિ' (ભાગ-૪) ગ્રન્થો વાંચવા જેવા છે. -પૂ. પં. અધ્યાત્મયોગી આ.ભ.શ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી મ.સાના શિષ્યરત્ન પૂ. પંન્યાસ શ્રી પૂર્ણચન્દ્રવિજયજી મ. સા. ની પ્રેરણાથી અમદાવાદ-સાબરમતી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘ ચાતુર્માસ (વિ.સં. ૨૦૬ ૨) અનુમોદના નિમિત્તે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy