SearchBrowseAboutContactDonate
Page Preview
Page 618
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૮ ધન્ય ધરા: : શ્રી શીતલનાથ દેરાસર મુદ્રા (કચ્છ) તેમનું અષ્ટ પ્રવચન માતાના પાલનથી સભર એવું જીવન હતું કે જે જોઈને જ જીવો પામી જાય. એમનાં મધુરવચનમાં એવી તાકાત હતી કે જેને કદી ઉત્થાપવાનું મન ન થાય. એમની પાસે જનારને, ચરણસ્પર્શ કરનારને અનહદ શાન્તિનો અનુભવ થતો. ગમે તેવા ઉકળાટવાળો માણસ એમની હાજરીમાં શાન્ત, પ્રશાન્ત બની જતો. આ તેમની–ઉપશમ ગુણની અનુપમ સિદ્ધિ હતી. વિ.સં. ૨૦૧૨માં કચ્છમાં જ્યારે ધરતીકંપનો આંચકો લાગ્યો ત્યારે પૂજ્યશ્રી ભચાઉ મુકામે હતા. ધરતી ધણધણી ઊઠી, પણ પૂજ્યશ્રીના પ્રભાવથી ભચાઉ–કિલ્લામાં રહેલું એક પણ મકાન પડ્યું નહીં કે કોઈ મર્યું નહીં. જ્યાં પૂજ્યશ્રી હતા તે ઉપાશ્રય નવો જ બનેલો હતો ને છત પર પાંચ હજાર મણ પથ્થર હતા, છતાં એક કાંકરી પણ નીચે પડી નહીં. આવી પ્રચંડ સૂક્ષ્મ શક્તિના સ્વામી પૂજ્ય આચાર્યશ્રી વિ.સં. ૨૦૧૯, શ્રાવણ વદ ૪ના ભચાઉ મુકામે પંચસૂત્રનું શ્રવણ કરતાં કરતાં અનંતની યાત્રાએ ઊપડી ગયા. પૂજ્યશ્રીના અનહદ ઉપકારોથી કચ્છવાગડ આજે નતમસ્તક છે. તપોમૂર્તિ પૂજ્ય આચાર્ય શ્રી વિજયદેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજ વાગડ પ્રદેશના ઓશવાળ જૈન ભાઈઓનો ઉદ્ધાર કરવા માટે કચ્છની પવિત્ર ધરતી પર કોઈ દેવાત્માનું અવતરણ થયું. ધરતીના લોકોએ પણ જેઓને દેવેન્દ્રસૂરીશ્વરજી મહારાજા તરીકે પિછાણ્યા તે પૂજ્ય આચાર્યશ્રીનો જન્મ વિ. સં. ૧૯૪૮, ફા.વ. ૧૨ના દિવસે લાકડીઆ (કચ્છ-વાગડ)ની પુણ્યધરા ઉપર થયેલો હતો. માતા : મૂળીબહેન, પિતા : લીલાધરભાઈ, ગૃહસ્થી નામ ગોપાળભાઈ હતું. બાળ ગોપાળ પૂજ્યશ્રી જીતવિજયજી મહારાજ આદિના સંપર્કથી તથા પૂર્વ જન્મના પ્રબળ સંસ્કારથી વિરાગ્ય-વાસિત થયા. મહેસાણાની પાઠશાળામાં અભ્યાસ કરવાથી એ વૈરાગ્ય અત્યંત પુષ્ટ થયો. દીક્ષા માટે મક્કમ નિવાર કર્યો પણ એકના એક પુત્ર ગોપાળ પર માતા મૂળીબહેનને અપાર સ્નેહ હતો. એ કેમેય રજા આપવા તૈયાર ન થયાં, પણ ગોપાળભાઈ પણ ક્યાં ઓછા હતા? ગમે તેમ થઈ જાય પણ આ જિંદગીમાં દીક્ષા તો લેવી જ લેવી. એમના અંતરાત્માનો આ દઢ સંકલ્પ હતો, પણ માને તરછોડીને તે દીક્ષા લેવા માંગતા ન હતા. આથી માતાની સમેતશિખર આદિની તીર્થયાત્રા કરવાની ભાવના હતી તે પૂર્ણ કરાવી. માતાની અનુમતિની રાહ જોવાથી ૩૬ વર્ષની ઉંમર થઈ ગઈ. ત્યાં સુધી તેમણે આધોઈ, મનફરા, સામખિયારી આદિ સ્થળે પાઠશાળાઓ ચલાવી જૈન ઓશવાળ ભાઈઓમાં ધર્મના સંસ્કારો રોપ્યા. આજે પણ ઓશવાળ ભાઈઓ તેમના પ્રત્યે અત્યંત કૃતજ્ઞ છે. એક દિવસ આધોઈ મુકામે કોઈ બાઈનું મહેણું સાંભળી દીક્ષા માટે કૂદી પડ્યા. વિ.સં. ૧૯૮૩માં લાકડીઆ મુકામે દીક્ષા સ્વીકારી પૂ. કનકસૂરિજી મ.સા.ના શિષ્ય થયા. નામ પડ્યું : મુનિ શ્રી દીપવિજયજી. વિ.સં. ૨00૪માં પૂજ્ય ગુરુદેવે યોગ્યતા જોઈ પંન્યાસ પદથી વિભૂષિત કર્યા. પૂજ્ય કનકસૂરિજી મ.સા.ના સ્વર્ગવાસ પછી વિ.સં. ૨૦૨૦માં (વે.સુ. ૧૧) કટારીઆ મુકામે આચાર્યપદથી અલંકૃત થયા ને વાગડ સમુદાયના નાયક બન્યા. પૂજ્ય આચાર્યશ્રી તીવ્ર સ્મરણશક્તિ, બુલંદ અને મધુર અવાજ તથા અપૂર્વ વ્યાખ્યાનશક્તિના સ્વામી હતા. તેમનાં વ્યાખ્યાનો તથા તેમના મધુર કંઠેથી સઝાયો વગેરે સાંભળવા તે જીવનનો લહાવો ગણાતો. એમનાં વ્યાખ્યાનો સાંભળવા વિદ્યાશાળા (અમદાવાદ)નો હોલ ખીચોખીચ ભરાઈ જતો. વિ.સં. ૨૦૧૬માં નવસારી મુકામે પૂજ્યશ્રીને ફેક્ટર થતાં તથા વૃદ્ધાવસ્થા થઈ જતાં હાલવા-ચાલવાનું બંધ થઈ ગયું. શરીર વ્યાધિગ્રસ્ત થયું પણ મન સમાધિમસ્ત જ હતું. વિ.સં. ૨૦૨૯માં પૂ. કલાપૂર્ણવિજયજી મ.સા.ને આચાર્યપદવી આપી ઉત્તરાધિકારી જાહેર કર્યા. એજ વર્ષે આધોઈ મુકામે ચૈત્ર સુદ ૧૪ના દિવસે ઉપવાસના પચ્ચખાણ પૂર્વક સાંજે પ-૦૦ વાગે કાળધર્મ પામ્યા. એમના જવાથી ખરેખર જૈન સંઘને મહાન શાસનપ્રભાવક એક આત્માની ખોટ પડી. Jain Education Intemational ducation Intermational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy