SearchBrowseAboutContactDonate
Page Preview
Page 588
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬૮ ધન્ય ધરા: જ્યારે સાબરમતીમાં ચાતુર્માસ બિરાજમાન હતા ત્યારે ઘરે પધારતાં સાધુ-સાધ્વીજીનાં દર્શન-વંદનનો લાભ સૌ કુટુંબીજનો સાથે આ બાળ પ્રવીણને પણ મળ્યો. કુટુંબમાં દીક્ષાનાં પ્રથમ વાર ખોલ્યાં વડીલબંધુ હસમુખભાઈએ. તેઓ સં. ૨૦૦૫માં મુનિશ્રી હેમચંદ્રવિજયજી નામે દીક્ષિત થયા. તે પછી બહેન હંસાબહેન સં. ૨૦૦૯માં સાધ્વીજી શ્રી હેમલતાશ્રીજી બન્યાં. સં. ૨૦૧૨માં માતા પ્રભાવતીબહેન સાધ્વીજી શ્રી પાલત્તાશ્રીજી બન્યાં અને સં. ૨૦૧૭માં પિતાશ્રી હીરાભાઈ મુનિશ્રી હીરવિજયજી મહારાજ બન્યા. એ જ વર્ષમાં ૧૩ વર્ષની વયે માગશર સુદ ૫-ના રોજ પ્રવીણકુમારે સુરત ખાતે પૂજ્ય આચાર્યશ્રી મેરુવિજયજી મહારાજના વરદ હસ્તે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી અને પોતાના વડીલબંધુ મુનિરાજશ્રી હેમચંદ્રવિજયજીના શિષ્ય મુનિશ્રી પ્રદ્યુમ્નવિજયજી બન્યા. આમ આખોયે પરિવાર પાંચ સભ્યોના દીક્ષા–અંગીકાર દ્વારા જૈન શાસનને સમર્પિત થયો. સાધુ પદથી આચાર્ય પદ | મુનિશ્રી પ્રદ્યુમ્નવિજયજીનાં સળંગ ત્રણ ચાતુમસ (સં. ૨૦૨૨ થી ૨૪) પૂજ્ય આચાર્યશ્રી વિજયઅમૃતસૂરિજી મહારાજની નિશ્રામાં થયાં. તે દરમિયાન વિદ્વાન આચાર્યશ્રી વિજયધર્મધુરંધરસૂરિજીના નિકટ પરિચયમાં રહેવાનું થતાં તેઓના આચારવિચાર અને જ્ઞાનસંસ્કારનો ઊંડો પ્રભાવ મુનિ પ્રદ્યુમ્નવિજયજી ઉપર પડ્યો. પ્રારંભમાં પોતાના ગુરુમહારાજ તેમ જ વૈયાકરણ પંડિત શ્રી બંસીધર ઝા અને તે પછી દર્શનશાસ્ત્રના પ્રકાંડ વિદ્વાન પંડિતશ્રી દુર્ગાનાથ ઝા પાસે કરેલા ન્યાય અને વ્યાકરણના અભ્યાસને કારણે કોઈપણ વિષયને સૂક્ષ્મતાથી ગ્રહણ કરવાની શક્તિ તથા તે વિષયને સ્પષ્ટતાથી વિચારવાની દૃષ્ટિ એમને પ્રાપ્ત થઈ. સં. ૨૦૩૬માં સુરેન્દ્રનગર મુકામે ગણિ પદવી અને સં. ૨૦૩૯માં જેસિંગભાઈની વાડી, અમદાવાદ ખાતે પંન્યાસ પદવીથી તેઓ વિભૂષિત થયા. તે પછી સં. ૨૦૫રના માગશર સુદ-૬ (તા. ૨૭-૧૧-૧૯૯૫)ના રોજ શ્રી પો. હે. જૈનનગર, અમદાવાદને આંગણે પંચપરમેષ્ઠીના તૃતીય પદ સમું આચાર્યપદ એમને પ્રદાન થયું. મુનિ રાજહંસવિજયજી જેવા વિચક્ષણ શિષ્યરત્નનો સાથ એમને પ્રાપ્ત થયો છે. ઉપાધ્યાયજીના ગ્રંથોના ઊંડા અધ્યયનમાં અને એ ગ્રંથોની પ્રાપ્ય હસ્તપ્રતોને આધારે શુદ્ધિ સમેતનાં સંશોધન- સંપાદનમાં તેઓ ઓતપ્રોત રહે છે. “સમ્યક્ત્વ ષસ્થાન ચઉપઈનું શાસ્ત્રીય સંપાદન એનું એક સુંદર ઉદાહરણ છે. એમનાં પ્રવચનોમાં પણ ઉપા. યશોવિજયજીના ગ્રંથોનો પ્રભાવ અછતો નથી રહેતો. પરિસંવાદો અને પ્રવચનમાળા ઉપાધ્યાય યશોવિજયજી : વ્યક્તિત્વ અને વાડ્મય', ‘અકબર–પ્રતિબોધક મહાન જૈનાચાર્ય શ્રી હીરવિજયસૂરિ' તથા પંડિત વીરવિજયજી' વિશેના વિદ્વત્તાસભર પરિસંવાદો મુંબઈની શ્રી મહાવીર જૈન વિદ્યાલય જેવી સંસ્થાએ આચાર્યશ્રી પ્રદ્યુમ્નસૂરિજીની નિશ્રામાં યોજ્યા છે. આ પરિસંવાદોએ મહાન સાધુભગવંતોના અભ્યાસમાં એક નવું પરિમાણ ઉમેર્યું છે. પૂજ્ય મહારાજશ્રી જ્યાં ચાતુર્માસ બિરાજમાન હોય તે સ્થળોએ આ પરિસંવાદો યોજાયા હોઈ આ ત્રણેય પરિસંવાદો અનુક્રમે વિશ્વનંદિકર જૈન સંઘ, અમદાવાદ, મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા, કેશરિયાજી નગર, પાલિતાણા અને જૈનનગર, અમદાવાદ ખાતે યોજાયા હતા. સં. ૨૦૫૫નું વર્ષ એ શાસનસમ્રાટ આચાર્યશ્રી વિજયનેમિસુરીશ્વરજીના સ્વર્ગારોહણની અર્ધશતાબ્દીનું વર્ષ હતું. એ નિમિત્તે આ. શ્રી હેમચંદ્રસૂરિજી અને આ. શ્રી પ્રદ્યુમ્નસૂરિજીએ આંબાવાડી જૈન ઉપાશ્રય ખાતે સળંગ આઠ દિવસ (કારતક વદ પ-થી ૧૨/૮ થી ૧૫ નવે. ૧૯૯૮) શાસનસમ્રાટશ્રીના જીવનનાં વિવિધ પાસાંઓ વિશે આઠ પ્રવચનો આપ્યાં. આ. પ્રદ્યુમ્નસૂરિજીએ આ પ્રવચનશ્રેણીમાં નિજી દેષ્ટિકોણથી શાસનસમ્રાટશ્રીના જીવનનું જે પુનર્મુલ્યાંકન કરી આપ્યું તે સમગ્ર સંઘની એક ઐતિહાસિક ઘટના ગણી શકાય. આ પ્રવચનશ્રેણી એટલી તો લોકપ્રિય બની કે અમદાવાદ શહેરવિસ્તારના પાંજરાપોળના ઉપાશ્રય ખાતે ત્યાંના સ્થાનિક સંઘોના આગ્રહથી પૂજ્ય મહારાજશ્રીને સમ્રાટશ્રી વિશે બીજી પ્રવચનશ્રેણીનું આયોજન કરવું પડ્યું. પૂજ્ય મહારાજશ્રીનો સં. ૨૦૫૫નો ચાતુર્માસ ઓપેરા સોસાયટી ખાતે હતો. એ સંઘના યજમાનપદે પૂજય આચાર્યશ્રી વિજયનેમિસૂરીશ્વરજી મહારાજના નિર્વાણ-અર્ધશતાબ્દી મહોત્સવની ઉજવણી અત્યંત ભવ્ય રીતે કરવામાં આવી. એના એક ભાગ રૂપે “શાસનસમ્રા પ્રવચનમાળા' ગ્રંથનું વિમોચન ગુજરાત રાજયના તત્કાલીન રાજયપાલ શ્રી સુંદરસિંહ ભંડારીના હસ્તે કરવામાં આવ્યું. જંગમ ‘પાઠશાળા’ : કેટલાંક વર્ષોથી સુરતથી પ્રકાશિત થતું ‘પાઠશાળા' સામયિક સાચે જ જીવનઘડતર માટેની પૂજ્ય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy