________________
૫૬૪
ધન્ય ધરાઃ
તેઓશ્રીની આ સાધના સતત આગળ વધતી રહે, જેના પ્રભાવે આંખ આગળથી ઓઝલ થયેલો આપણો પ્રાચીન ઇતિહાસ પુનઃ પ્રકાશમાં દીપી ઊઠે, તેઓશ્રી શ્રુતના પરમ ઉપાસક છે. તેઓની પ્રેરણાથી તેઓશ્રીના વિદ્વાન શિષ્ય મુનિરાજ શ્રી યુગચન્દ્રવિજયજી મ.ના માર્ગદર્શનથી મુંબઈ ગોવાળિયા ટેકના વિશાળ મેદાનમાં થયેલ શ્રતમહાપૂજાનું આયોજન એવું ભવ્ય અને ઐતિહાસિક થવા પામેલ છે જેના દર્શન માટે લાખો દર્શનાર્થે આવેલ. પૂજ્યશ્રીનો શિષ્ય-પ્રશિષ્ય પરિવાર પણ શક્તિશાળી અને શ્રુતજ્ઞાન પ્રત્યે રુચિ ધરાવનાર છે. પૂજ્યશ્રીના જીવનમાં ઉપધાન-ઉજમણા-પ્રતિષ્ઠા-દીક્ષા સંઘો આદિ અનેકવિધ કાર્યક્રમો સતત ચાલુ હોય છે. શક્તનના સ્ત્રોતસમાં પૂજ્ય સૂરિવરના ચરણોમાં કોટિ કોટિ વંદન. સૌજન્ય : શ્રી સંયમ સુવર્ણોત્સવ સમિતિ પાવાપુરી સમવસરણ મંદિર-તીર્થ લેખન અને પ્રવચન દ્વારા જૈનસંઘોને
જાગૃત બનાવનાર પૂ. આ.શ્રી વિજયમુક્તિપ્રભસૂરિજી મ.
સિદ્ધાંત મહોદધિ સ્વ. પૂ. આચાર્યપ્રવર શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજનો સુવિશાળ સાધુસમુદાય નજર સમક્ષ અંકિત થાય અને વ્યાખ્યાનવાચસ્પતિ, પ્રચંડ પ્રતિભાના સ્વામી પૂ. આચાર્યદેવ શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજની સ્મૃતિ ન થાય એવું બને જ નહી! આ મહાપુરુષ મન સમક્ષ પ્રત્યક્ષ થાય એટલે સિંહગર્જનાના સ્વામી પૂ. આચાર્યદેવ શ્રી વિજયમુક્તિચન્દ્રસૂરીશ્વરજી મહારાજની યાદ આવે અને એમની યાદ આવતાં એમની સાથે પડછાયાની જેમ જીવનભર રહીને આચાર્ય પદ સુધી પહોચેલ પ્રશમરસપયોનિધિ પૂ. આચાર્ય શ્રી વિજયજયકુંજરસૂરીશ્વરજી મહારાજની યાદ આવે અને એમની યાદ સાથે સંકળાઈને યાદ આવી જતાં બે નામ એટલે—પૂ. આ. શ્રી વિજયપૂર્ણચંદ્રસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. આ. શ્રી વિજયમુક્તિપ્રભસૂરીશ્વરજી મહારાજ. સંસારી વતન નાસિક. પિતા બાબુભાઈ અને માતા શાંતાબહેને આપેલ ધર્મસંસ્કારોનું ધાવણ પીને ઊછરેલી પ્રકાશ-મહેન્દ્રની બાંધવબેલડી એટલે જાણે રામલક્ષ્મણની અજોડ જોડી. એમાં મુખ્ય ઉપકાર જો કોઈનો હોય તો તે વખતે “લઘુરામ' તરીકે લોકજીભે ગવાઈ ગયેલ પૂ. મુનિરાજ શ્રી મુક્તિવિજયજી મહારાજનો! વૈરાગ્યના રંગ રેલાવતી એમની દેશનાના શ્રવણે શ્રોતાઓનાં હૈયાં ડોલી ઊઠે! એમાં બાબુભાઈનું મન વૈરાગ્યવાસિત બન્યું અને એમણે
સંયમી બનવાનો નિર્ધાર કર્યો. તેમાં વળી સિદ્ધાંતમહોદધિ પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજનો મેળાપ થતાં પોતાના પુત્રો પ્રકાશ અને મહેન્દ્રને પણ સંયમમાર્ગના સાથી બનાવવાની ભાવના જાગૃત થઈ. વ્યાખ્યાનવાચસ્પતિ પૂ. આ. શ્રી વિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજની વાણીના શ્રમણે એમાં વેગ આવતો ગયો અને સં. ૨૦૧૧ના વૈશાખ સુદ ૭ ના દિવસે ધસઈ (મહારાષ્ટ્ર) મુકામે ત્રણેય સંયમમાર્ગના પથિક બન્યા, અને મુનિશ્રી જયકુંજરવિજયજી, મુનિશ્રી પૂર્ણચન્દ્રવિજયજી અને મુનિશ્રી મુક્તિપ્રભવિજયજી નામે જાહેર થયા; તેમાં મુનિશ્રી મુક્તિપ્રભવિજયજી મુનિ શ્રી જયકુંજરવિજયજીના શિષ્ય બન્યા.
પૂ. મુનિરાજ શ્રી મુક્તિપ્રભવિજયજી મહારાજ નાનપણથી તીક્ષ્ણ બુદ્ધિ, સહનશીલતા, સમર્પિતતા આદિ વિશિષ્ટ ગુણો ધરાવતા હતા, જેના પ્રભાવે સુંદર શ્રુતસાધના, વર્ધમાનતપની ૩૧ ઓળી, શ્રી સિદ્ધગિરિરાજની ૯૯ યાત્રા, ચોવિહાર ઉપવાસ સાથે એક જ દિવસમાં સિદ્ધાચલની ૭ યાત્રા, આશ્રિતવર્ગના યોગક્ષેમની સતત ચિંતા, શાસનની પ્રભાવના-રક્ષા કરવાની અદ્ભુત દક્ષતા આદિ ગુણોથી સમૃદ્ધ સંયમજીવન ધારી રહ્યા છે. પૂ. ગુરુદેવોની આજ્ઞાથી પ્રવચનપીઠને શોભાવી ત્યારથી તર્કબદ્ધ યુક્તિઓ સાથે શાસ્ત્રસિદ્ધ સત્યને મધુર છતાં માર્ગસ્થ રીતે શ્રોતાઓ સુધી પહોંચાડવા દ્વારા પૂ. ગુરુદેવોના હૈયામાં અનેરું સ્થાન પામ્યા છે. નાની ઉંમરમાં દીક્ષા લેવા છતાં ગુરુનિશ્રાએ અને ગુરુકૃપાએ તેઓશ્રીનું જીવન-ઘડતર અદ્ભુત રીતે થયું છે. પૂજ્યશ્રીની જ્ઞાનરાશિ જૈન સંઘ માટે ખૂબ ખૂબ ઉપયોગી નીવડે છે. જૈન સમાજને જ્યારે જ્યારે જાગૃત કરવાનો અને અસત્યની સામે સનાતન સત્યને ખુલ્લું મૂકવાનો વખત આવ્યો છે ત્યારે ત્યારે પૂજ્યશ્રી કલમ અને વાણીને કામે લગાડ્યા વિના રહ્યા નથી. પ્રવચન પીઠેથી નીચે ઊતર્યા બાદ બિલકુલ શાંત અને સૌમ્ય તેમ જ હસમુખા લાગતા પૂજ્યશ્રી પ્રવચનપીઠ પર બિરાજમાન થયા બાદ શાસ્ત્રીય સત્યોની રક્ષા કરવા ટાણે કોઈની પણ શેહશરમમાં પડ્યા વિના કડકમાં કડક બન્યા વિના રહેતા નથી. સમર્થ પ્રવચનકારની સાથે-સાથે સમર્થ લેખક તરીકે પણ તેઓશ્રી પ્રસિદ્ધિ પામ્યા છે. ‘વિજયમુક્તિચંદ્રસૂરી ગ્રંથમાળા’ તરફથી પ્રગટ થયેલ શ્રાવકજીવન, જીવનને જીવી તું જાણ, જય શત્રુંજય, રાણકપુરની ભીતરમાં, વાર્તા રે વાર્તા, નાનકડી વાર્તા, સાહસના શિખરેથી, જિંદગી એક ઝંઝાવાત, પથ્થર કે પ્રભુ શ્રાવકે શું કરવું જોઈએ? વગેરે અનેક આકર્ષક પુસ્તકો પૂજ્યશ્રીની વિદ્વત્તા, રસિકતા અને સર્જનશક્તિનો પરિચય કરાવે છે.
For Private & Personal Use Only
Jain Education Intemational
www.jainelibrary.org