SearchBrowseAboutContactDonate
Page Preview
Page 575
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ ચરણોમાં પુનઃ જીવન સમર્પિત કર્યું. દીક્ષા ગ્રહણ કરી મુનિશ્રી દોલતસાગરજી બન્યા. કુટુંબીજનો તરફથી પુનઃ વિટંબણા ન થાય તે કારણે તેમના સંસર્ગથી દૂર રહ્યા. ગુરુનિશ્રામાં સંયમસાધનાના માર્ગે આગળ વધી થોડા જ સમયમાં પૂ. શ્રી કમલસાગરજી મહારાજના વરદ હસ્તે વડી દીક્ષા ગ્રહણ કરી. સંયમની મસ્તીમાં મસ્ત બનેલા આ સાધકે જ્ઞાન, ધ્યાન, વિનય, વૈયાવચ્ચને પોતાના જીવનનો મંત્ર બનાવ્યો. જ્ઞાનધ્યાન અને આરાધનાના નિતનવા ગુણો વિકસાવતા ગયા. પોતાની આગવી બુદ્ધિપ્રતિભાએ સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય, કાવ્ય આદિ ક્ષેત્રોમાં ખૂબ જ વિકાસ સાધ્યો. કર્મસાહિત્યના વિષયમાં તો અપૂર્વ વિદ્વત્તા પ્રાપ્ત કરી. સં. ૨૦૨૨માં ગણિપદ પ્રાપ્ત કરી શાસનપ્રભાવનાનાં કાર્યોમાં લીન બન્યા. પૂજ્યપાદ સાગરજી મહારાજે પણ જિનશાસનના અણમોલ ખજાનાનું સુવ્યવસ્થિત સંયોજન કર્યું, તેના સંરક્ષણ માટે આગમ મંદિર જેવા બેનમૂન શિલ્પની જિનશાસનને ભેટ ધરવામાં આવી.૪૫ આગમોને મુદ્રિત કરી ‘આગમરત્નમંજૂષા' રૂપે પ્રકાશિત કરી તથા અન્ય અનેક ધર્મગ્રંથોનું પ્રકાશન કરવાનું ભગીરથ કાર્ય કર્યું “અને હું?’” બસ, આ પ્રશ્ન પૂછી પૂજ્યશ્રીએ પૂ. ગુરુદેવશ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજ સમક્ષ પોતાની ભાવના જણાવી કે “પોતાના નામ પ્રમાણે જિનશાસનની દોલતને સંરક્ષવા અને સંવર્ધવા જ જીવન સમર્પિત કરીશ.'' પૂ. ગુરુદેવશ્રી અત્યંત પ્રસન્ન થયા અને આશીર્વાદ આપી પ્રોત્સાહિત કર્યા. સં. ૨૦૨૮માં સુરત-સ્થિત પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી માણિક્યસાગરસૂરીશ્વરજી મહારાજની અનુમતિ અને આશીર્વાદથી પૂજ્યશ્રીએ શ્રુતભક્તિ કરવા કાજે જિનાગમની સેવના કરવાનો ભેખ લીધો. આજપર્યંત નવાં ૬ આગમમંદિર માટે ૪૫ મૂળ આગમોની બે નકલ પોતાની નિશ્રામાં તૈયાર કરાવી. ‘આગમરત્નમંજૂષા' નું પુનર્મુદ્રણ કરાવી, એકાગ્રતાપૂર્વક શ્રુતભક્તિ કરતાં કરતાં ‘જિનાગમસેવી’ નું હુલામણું નામ પ્રાપ્ત કર્યું! સં. ૨૦૪૩માં પૂ. ગુરુદેવશ્રીની ઇચ્છા આચાર્ય પદ અર્પણ કરવાની થઈ. પૂજ્યશ્રીની અનિચ્છા છતાં, પૂ. ગુરુદેવની આજ્ઞાને શિરોધાર્ય કરી, અમદાવાદ-નારણપુરામાં વૈશાખ સુદ ૬–ને દિવસે પ્રથમ ઉપાધ્યાય પદે સ્થાપ્યા. ત્યાર પછી પૂ. ગુરુદેવની કૃપાદૃષ્ટિનો પૂજ્યશ્રીને બહુ અલ્પ સમય લાભ મળ્યો. સં. ૨૦૪૩ના અષાઢ સુદ ૬-ના દિવસે અમદાવાદ-આંબાવાડી મુકામે પૂજ્ય ગુરુદેવશ્રીનો સ્વર્ગવાસ થતાં અસહ્ય આઘાત થયો. ૨૦૪૪ના ફાગણ વદ ૩–ના દિવસે ગુરુમંદિરની પ્રતિષ્ઠાવિધિ બાદ, પૂ. આ. શ્રી રામસૂરીશ્વરજી મહારાજ ડહેલાવાળા, પૂ. Jain Education International ૫૫૫ આ. શ્રી દર્શનસાગરસૂરીશ્વરજી મહારાજ તત્કાલીન પૂજ્યપાદ ગચ્છાધિપતિ આચાર્યદેવેશ ચિદાનંદસાગરસૂરીશ્વરજી મહારાજા આદિની શુભ નિશ્રામાં અને શ્રમણશ્રમણીવૃંદની વિશાળ ઉપસ્થિતિ વચ્ચે શ્રી પરમ આનંદ શ્વે. મૂ. જૈન સંઘ-પાલડી (અમદાવાદ)ના આંગણે મહામહોત્સવપૂર્વક પૂજ્યશ્રીને આચાર્યપદવીથી અલંકૃત કરવામા આવ્યા. આજે આયુષ્યના આઠમા દશકમાં પ્રવેશતા પૂજ્યશ્રી અવિરામ પુરુષાર્થથી આગમકાર્યોમાં જ પ્રવૃત્ત રહે છે. કોઈ એમના આશ્રમ વિશે પૂછે તો હસતા મુખે ઉત્તર આપતા હોય છે કે, “આગમની સેવા તો મારે મન એક કલ્પવૃક્ષ છે. સતત એમાં વ્યસ્ત રહેવાને કારણે આંતર-મન અવર્ણનીય આનંદની અનુભૂતિ કરે છે!” પૂજ્યશ્રીની પ્રેરણાથી પ્રભુશાસનમાં બીજી આગમવાચનાની ઐતિહાસિક નગરી ઉજ્જૈયણીનગરીમાં જ્યાં શ્રીપાલ મહારાજા, શ્રી મયણાસુંદરીએ શાશ્વતા નવપદજીની આરાધના કરી હતી તે પ્રાચીન સ્થળનો જીર્ણોદ્ધાર કરાવનાર પૂજ્યપાદ આચાર્યદેવેશ શ્રી ચંદ્રસાગર સૂરીશ્વરજી મહારાજા દ્વારા સંસ્થાપિત શ્રી સિદ્ધચક્રારાધનતીથૅ તામ્રપત્ર સટીક આગમમંદિરની રચના થઈ. પોતાના જન્મસ્થાન જેતપુર (મહેસાણા) મુકામે ૩ચાતુર્માસ કરી ગ્રામવાસીઓને સેંકડોની સંખ્યામાં જૈન બનાવ્યા. તેઓની સમ્યગ્દર્શનની શુદ્ધિ માટે શ્રી મુનિસુવ્રત સ્વામિ ભગવંતનું ભવ્ય શિખરબદ્ધ જિનાલય બનાવરાવ્યું અને અષ્ટાહ્નિકા મહોત્સવ પૂર્વક અંજનશલાકા-પ્રતિષ્ઠાનો શાનદાર પ્રસંગ ઉજવાયો. પરમાત્મા મહાવીરદેવના સમયે વિદ્યુમ્માલી દેવ દ્વારા ગૃહસ્થજીવનમાં કાર્યોત્સર્ગમુદ્રામાં ધ્યાનારૂઢ રહેલા પ્રભુની પ્રતિમાજી બનાવી હતી જેની ઉદય રાજર્ષિ દ્વારા નિત્ય પૂજા થતી હતી. કાળક્રમે તે પ્રતિમાજી ઉપલબ્ધ ન રહી તેના જેવા જ મહાવીરની સપ્રમાણ કાયાયુક્ત પંચધાતુમય બે પ્રતિમાજી નિર્માણ કરાવ્યા. પ્રથમ પ્રતિમાજી પાલિતાણા જંબૂઢીપ મધ્યે મૂળ જિનાલયની ભમતીની પાછળ નૂતન શિખરબદ્ધ જિનાલયમાં સ્થાપન કરાવ્યા. તેમજ બીજી પ્રતિમાજી પૂના-કાત્રજ શ્રી વર્ધમાન જૈન આગમતીર્થે સ્થાપિત કર્યા. ભારતવર્ષમાં છઠ્ઠા નંબરે અને મહારાષ્ટ્રમાં સર્વ પ્રથમ નિર્માણ પામી રહેલા શ્રી વર્ધમાન જૈન આગમતીર્થ-પૂનાના આગમમંદિરને પૂજ્યશ્રીનું માર્ગદર્શન સાંપડી રહ્યું છે. જિનાગમના સંરક્ષણ અને સંવર્ધન કરતાં આ સૂરિવર આ તીર્થના For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy