________________
૫૫૨
લેવી. આ જાતના માનસિક નિર્ણય થયા બાદ મારા ગુરુદેવના પિતાશ્રી પોતાની દુકાને બેઠા અને વિશાલ કુટુંબની જવાબદારી સાથે દુકાને બેઠા. અને પુત્રની ઉંમર ફા. સુ. ૧૨-ના સાત વર્ષની થતાં પિતાજીએ પોતાની પત્નીને કહ્યું કે-‘આપણો વાયદો પૂરો થયો છે.’” પ્રિયતમાએ ઉત્તરમાં જણાવ્યું કે-“હું તૈયાર જ છું.” આ પછી અઠવાડિયામાં જ પતિ-પત્ની અને પુત્રે ઘેરથી પ્રયાણ કર્યું અને ૩ મહિના સુધી સંપૂર્ણ સૌરાષ્ટ્રની તીર્થયાત્રા કરી અને ગામેગામનાં જિનાલયો જુહારી છેક અ. સુ. ૨-ના અમદાવાદ આવ્યા અને ત્યાં પૂ. સાગરજી મ. વિદ્યાશાળામાં ચાતુર્માસ હતા અને તેઓશ્રીની અજોડ પ્રેરણા અને ઉપદેશ મળતાં તેમની નિશ્રામાં જ અ. સુ. ૫-ના ત્રણે જણાએ દીક્ષાનો સ્વીકાર કર્યો. આ હતું ભવાંતરની આરાધનાનું સુંદર ફલ, જેને એક ચમત્કાર તરીકે ગણી શકાય. આથી પણ વધું ચમત્કારિક ઘટના બની દીક્ષાના દોઢ માસ બાદ એટલે કે શ્રા. વ. ૫-ના પૂ. ગુરુદેવશ્રીએ સાત નવા દીક્ષિતોના દીક્ષાના દોઢ માસના ગાળામાં ઊગેલા વાળનો લોચ અશક્ય જણાતાં સાતેય નૂતન દીક્ષિતોને મુંડનનો આદેશ કર્યો. પોતે વ્યાખ્યાન આપવા પધાર્યા. આ બાજુ ગુરુદેવ કે જેઓ નૂતન બાલમુનિ સાત પૈકી હતા. તેઓશ્રીએ પૂ. અમરેન્દ્રસાગરજી મ.ને વિનંતી કરી કે તમે મારો લોચ કરી આપો. તમે ખાનગીમાં ચીપિયો મંગાવી લો અને ઉપર અગાશીમાં બંધ બારણે વ્યાખ્યાન ઊઠતાં પહેલાં મારો લોચ કરી આપો. લોચ કરે તે સાધુ કહેવાય. મુંડન કરે તે મુંડિયો કહેવાય. ગુરુ મ. ઠપકો આપશે કે પ્રાયશ્ચિત આપશે તે લઈ લઈશું પણ આટલું મારું કાર્ય કરી આપો! અને મને સાધુતામાં રાખો. તેઓશ્રીએ પણ આ વાતનો સ્વીકાર કર્યો અને ગુરુ મ.ની આજ્ઞા ન હોવા છતાં પણ ગુરુજી (નાના બાળ સાધુ)નું વચન માની લોચનું કાર્ય કર્યું. તેમાં પણ ભવાંતરની આરાધનાનું બળ જ કામ કરી ગયું એમ જણાય છે.
આ બાલમુનિ સુંદર ભણે અને કઠોર સંયમની સાધના કરવામાં ઉદ્યમવંત રહે તેવા ઉત્તમ ભાવથી તે વખતમાં કઠોર સંયમના પાલક તપસ્વી અને શાસનસેવારત પૂ. ધર્મસાગરજી મ. પાસે એકાકી મૂક્યા. જેથી સંયમ અને ભાવનામાં વ્યાઘાત ન આવે. અહીં આગળ બાલમુનિને પૂ. બાલમુનિ અભયસાગરજી મ. સા. સાથે ભણવાનો અને બાલ વય પ્રાપ્ય તોફાન મસ્તીનો અનુભવ કરતાં આગળ વધ્યા. ૩ વર્ષ વિતાવ્યાં. ત્યાર બાદ ઉત્તરોત્તર વિકાસ વધતાં અભ્યાસાદિમાં સુંદર પ્રગતિ કરી. તેના ફળસ્વરૂપે સંસ્કૃત ભાષામાં અનેક પરીક્ષાઓ આપી જેના
Jain Education International
ધન્ય ધરાઃ
અભ્યાસગ્રંથો પી.એચ.ડી.ના ગ્રંથો કરતાં પણ વધુ હતા અને સાગર સમુદાયના ‘રત્ન’ તરીકે પ્રસિદ્ધિ પામ્યા અને પૂ. પં. અભયસાગરજી મ. સાથે ઉત્તરોત્તર અનેક ચાતુર્માસ થયાં અને તેમાં અનેક આગમિક વિષયોનું અધ્યયન મળ્યું અને સાથે સાથે ગાઢ મિત્રતા બંધાઈ.
ગચ્છાધિતિ પૂ. આ. માણેકસાગરસૂરિજી પાસેથી પણ અપૂર્વ આગમ-શાસ્ત્રોનું અધ્યયન આદિ સુંદર લાભ મળ્યો. આમાં પણ પૂજ્યશ્રીએ બતાવેલા સાધનાના માર્ગે કરેલી આરાધના આ ફળ આપનારી બની, જેઓશ્રીએ ગુરુદેવને પાલિતાણામાં ઉપાધ્યાયપદ તથા આચાર્ય પદથી અલંકૃત કર્યા.
તેઓ આજે છેલ્લાં ૧૪ વર્ષથી ગચ્છાધિપતિ પદને શોભાવે છે અને વિશાળ સાગર સમુદાયનું સફળ સંચાલન કરે છે.
તેઓશ્રીના સંસારી સંબંધ ધરાવતા ૨૭ પુણ્યાત્માઓ સંયમસાધના કરી રહ્યા છે એ પણ એક આશ્ચર્યકારી ઘટના છે. પૂજ્યશ્રીના વરદ હસ્તે અનેક પ્રતિષ્ઠાઓ, અંજનશલાકા, ઉપધાન આદિ અનુષ્ઠાનો ઊજવાયાં છે. વંદન હજો એ પુણ્યવંતા પ્રભાવક આચાર્યપ્રવરને! સંકલન : ગુણરત્નસાગરજી મ.
સૌજન્ય : શ્રી જયેશભાઈ ગાંધી પરિવાર, ઇસનપુર-અમદાવાદ દક્ષિણ ભારતની સુષુપ્ત અને લુપ્ત ધર્મભાવનાને
જાગૃત અને ચેતનવંતી બનાવનાર પૂ.આ.શ્રી વિજયયશોભદ્રસૂરીશ્વરજી મ.
પૂ. આચાર્યશ્રી વિજયયશોભદ્રસૂરિજી મહારાજનું જીવન પણ એક દિવ્ય પ્રેરણાસ્રોત છે. કચ્છના સુથરી ગામમાં ધર્મપ્રેમી ઓસવાલ જ્ઞાતિનાં અનેક ઘર છે. એમાં શામજીભાઈ ઉકેડા નામના સાહસિક, શ્રીમંત અને પરગજુ ગૃહસ્થ વસતા હતા. એમનાં ધર્મપત્નીનું નામ સોનબાઈ હતું. સંવત ૧૯૬૪ના આસો સુદ ૧૩ને શુભ દિને સુલક્ષણા સોનબાઈએ પુત્રરત્નને જન્મ આપ્યો. પ્રથમ સંતાનની પ્રાપ્તિથી કુટુંબમાં આનંદ આનંદ પ્રસરી ગયો. એક સમયે શ્રી કસ્તુરવિજયજી મહારાજના શ્રીમુખેથી નીકળતી અમૃતવાણી શિવજીના હૃદયને ભીંજવી ગઈ! દેશમાં પાછા જવાને બદલે તેઓ તીર્થયાત્રાએ નીકળ્યા. તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચલજી અને શ્રી સમેતશિખરજીની યાત્રા કરી. તેમનું મન ધર્મથી પૂર્ણવાસિત બની ગયું. આવીને ગુરુદેવ પાસે દીક્ષાનો પ્રસ્તાવ મૂક્યો.
For Private & Personal Use Only
www.jainelibrary.org