________________
શાશ્વત સૌરભ ભાગ-૧
૫૩૫
શિલ્પકલામનિષી અને શ્રી સિદ્ધાચલ સ્થૂલભદ્ર પર જિનાલયની પ્રતિષ્ઠા વખતે દક્ષિણ ભારતના જૈનસંઘોની ઉપસ્થિતિમાં તથા શ્રી આણંદજી કલ્યાણજી પેઢીના અધ્યક્ષશ્રી શ્રેણિકભાઈ દ્વારા ગુરુદેવશ્રીના સાંનિધ્યમાં પૂજ્ય મુનિરાજશ્રીને ‘દક્ષિણ ભારત ધર્મપ્રભાવક' પદવીથી ઉદ્ઘોષિત કર્યા.
પૂજ્ય ગુરુદેવશ્રીના પુણ્યપ્રભાવ અને શિષ્યમાં ગુરુશક્તિ દ્વારા ભારતવર્ષનાં અજોડ, અદ્વિતીય, શિલ્પસ્થાપત્યના બેનમૂન દેવનહલ્લી ૧૦૮ પાર્શ્વતીર્થમાં પૂજ્ય ગુરુદેવશ્રીની ૫૧ દિવસીય સૂરિમંત્રની સાધનાથી અને પૂજ્ય મુનિરાજશ્રીને શ્રી વીરમાણિ-ભદ્રની દિવ્ય છાયા, દિવ્ય સંકેતનાં દર્શનથી પહાડ પર દક્ષિણ ભારતના બેનમૂન શ્રી સિદ્ધાચલ સ્થૂલભદ્રધામમાં મુખ્યમંદિર, બાવન જિનાલય, ઘેટી પાગ મંદિર, વર્ષીતપ મંદિર, લબ્ધિ દાદાવાડીનું નિર્માણ પૂજ્યશ્રીની અખંડ સાધનાનું પરિણામ છે. ચિપેટ (બેંગલોર) શ્રી આદિનાથ પ્રભુના મંદિરજીના જીર્ણોદ્ધારનો પ્રારંભ પૂજ્ય આચાર્ય ભગવંતની પ્રેરણાથી જ થયો. નવનિર્મિત જિનાલયમાં ૨૧મી સદીની ઐતિહાસિક શિલ્પકલા પૂજ્ય મુનિરાજશ્રીના માર્ગદર્શનનું સુફળ છે. દક્ષિણ ભારતની દેવનગરી (દેવનહલ્લી)માં ગુરુશિષ્યની સાધનાનું અપૂર્વ યોગદાન રહ્યું છે. ગુરુહૃદયમાં એમણે પોતાનું એક અપૂર્વ સ્થાન બનાવ્યું છે. ગુરુકૃપાએ અનેક શાસનસેવા-શક્તિઓનો પ્રાદુર્ભાવ થયો છે. - પૂજ્ય ગુરુદેવશ્રીનાં આધ્યાત્મિક પ્રવચનોના પ્રભાવે, ગુરુ પ્રેરણાના બળે તેઓ પણ પ્રવચન-પ્રભાવક બન્યા છે. ગુરુદેવશ્રીની પ્રેરણાથી નવનિર્મિત શ્રી ચંદ્રપ્રભ લબ્ધિધામ (અમદાવાદ), શ્રી શત્રુંજય તીર્થ (પોરુર–ચેન્નઈ) સહ ઈડર પોશીના તીર્થોના તીર્થોદ્ધારમાં એમનું અપૂર્વ યોગદાન છે. દક્ષિણ ભારતમાં એમને બધાં “કમ્યુટર માઇન્ડ' તરીકે જ ઓળખે છે. ચારિત્રમાં ઉચ્ચતા, કાર્યમાં કુશળતા, જિનશાસનનાં શાસનપ્રભાવક કાર્યોમાં તેમની રાતદિવસની સાધના સુવર્ણાક્ષરે અંકિત થઈ શકે એવી મહાન છે. સંઘર્ષો વચ્ચે સમન્વયતા અને શાસન પ્રતિ આયહડ શ્રદ્ધાથી મૈત્રીપૂર્ણ પણ શાસનનો જયજયકાર કરાવી શાસનનાં કાર્યો પ્રભાવક રીતે આયોજિત કરે છે. એમની અવિહડ સાધનાના પ્રતાપે દક્ષિણ ભારતના ઘર-ઘરમાં જૈનમ્ જયતિ શાસનમ્' નો દિવ્યનાદ ગુંજતો થયો છે. પ્રભકપા અને ગુરુકપાથી એમને વિ.સં. ૨૦પ૯, જેઠ સુદ એકમ, તા. ૦૧-૦૬-૨૦૦૩ના રોજ પૂજ્ય ગુરુદેવશ્રીએ ‘આચાર્ય પદથી અલંકૃત કર્યા છે. લબ્ધિ સમુદાયની
મહાશક્તિ, ગુરુ સ્થૂલભદ્રની કૃપાશક્તિ એટલે શાસનપ્રભાવક પૂજ્ય આચાર્યદેવ શ્રી ચંદ્રયશસૂરીશ્વરજી મ.સા.
સમસ્ત દક્ષિણ ભારતના જૈન સંઘો અને દશહજાર ઉપરાંત શ્રાવક-શ્રાવિકા જનસમૂહ વિ. ઐતિહાસિક પદવી સમારોહ આયોજિત કરી પોતાના શાસન પ્રભાવક, કાર્યશક્તિ વિષયાસક્તતા, દીર્ઘદૃષ્ટિ જેવા ગુણોથી પ્રભાવિત પૂજયશ્રી સ્થૂલભદ્રસૂરીજી મ.સા. પૂજ્યશ્રીને પંન્યાસ પદની અનુજ્ઞા અર્પણ કરી વિક્રમ સં. .......
દક્ષિણ ભારતમાં ગુરુદેવની ચિરવિદાય પછી ગુરુકૃપાથી શાસનનો, સમુદાયનો, મોટો કાર્યબાર ૩૯ વર્ષની ઉંમરે ગંભીરતા સાથે સંભાળી બે વર્ષમાં જ પંદર જિનાલયોની પ્રતિષ્ઠા એટલું જ નહીં ગુજરાત રાજ્યમાં ૨૦૬૨માં પાલિતાણા પધારી ઘણા તીર્થમાં ચોરાશી જિનાલયની વૈશાખ વદી ૧૧ના ૨૦૬૨ની ઐતિહાસિક અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો જેમાં દેશભરમાં એક લાખ વ્યક્તિઓએ કાર્યક્રમમાં ભાગ લીધો. અમદાવાદમાં એક સામૂહિક ચારસો જિનાલયમાં અભિષેકનું અનુષ્ઠાન પણ એક પ્રભાવ અને રાજનગરના ઇતિહાસમાં ઇતિહાસ સર્જક મહાભિષેકનું આરાધન થતાં સમસ્ત પાટનગરના સંઘોમાં પૂજ્યશ્રીનો અપૂર્વ પ્રભાવ પડ્યો. સાબરકાંઠા, મહેસાણા ઐતિહાસિક અભિષેક ઉત્સવ ઉજવીને ગુજરાત રાજ્યમાં એક અપૂર્વ પરમાત્મા ભક્તિનો મોટો મહેરામણ ઊભો કર્યો. જે વરસોડાના ઇતિહાસમાં ન થઈ શકે તે પૂજ્યશ્રીએ ૧૨ માસમાં શાસન પ્રભાવક કાર્યની શૃંખલા સર્જાવી. ઇડર નગરમાં આચાર્યપદવી મળી. પૂજ્યશ્રીનું પોતાના ગામમાં પ્રવેશ થતાં એક ઐતિહાસિક નગરપ્રવેશ અને ૨૭ દિવસનો દીક્ષામય મહોત્સવ ઉજવી માનવસેવા અનુકંપાના પ્રભાવક કાર્ય કરેલ છે.
૧. શ્રી પાર્શ્વનાથ જૈનમંદિર ટ્રસ્ટ, ગાંધીનગર, પૂ. ચંદ્રયશસૂરિજી મ.સા. ૨. શ્રી સિદ્ધાચલ સ્થૂલભદ્રધામ ટ્રસ્ટ, દેવનહલી, બેંગલોર, સ્થૂલભદ્રસૂરિજી મ.સા. ૩. શ્રી અરિહંત લબ્ધિ શાસન ચેરી. ટ્રસ્ટ, ઘણપ ચદ્રપ્રભ લબ્ધિધામ. એમ. પી. મેહતા. ૪. ચંદ્રપ્રભ સ્થૂલભદ્રસૂરિ પુણ્યપ્રભાવક ટ્રસ્ટ ઓકલીપુરમ્ વિક્રમસૂરિજી મ.સા. ૫. શ્રી સ્થૂલભદ્રકૃપા ઓમ ચંદ્રલબ્ધિ મહાસંઘ ગુજરાત, લબ્ધિસૂરિજી સૌજન્ય : સિદ્ધાચલ સ્થૂલભદ્રધામ, શાસનપ્રભાવક ટ્રસ્ટ
પારીવાલગુડા દેવનહલ્લી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org