________________
શાશ્વત સૌરભ ભાગ-૧
ભુવનભાનુસૂરીશ્વરજી મ., પૂ. પં. શ્રી પદ્મવિજયજી ગણિવર્ય, દાદા ગુરુદેવ પૂ. આ. શ્રી વિજયમિત્રાનંદસૂરીશ્વરજી મહારાજ તથા પિતા–ગુરુદેવ પૂ. આ. શ્રી વિજયમહાબલ-સૂરીશ્વરજી મહારાજનો ફાળો છે. સાડા ચાર વર્ષની બાળવયથી ઉપકારી પૂજ્યોએ અધ્યયન, સુસંસ્કારોનું વાવેતર, સંયમની રક્ષા, શાસ્ત્રાનુસારિતાનો વારસો વગેરે જે જે ઉપકારોની હેલી વર્ષાવી છે તેને પ્રસંગે પ્રસંગે તેઓશ્રીના પ્રવચનાદિમાં યાદ કર્યા વગર રહેતા નથી. આ તેઓશ્રીની જન્મસિદ્ધ કૃતજ્ઞતાનું પ્રતિબિંબ છે. પૂજ્યશ્રીના પૂ. મુનિરાજ શ્રી ભુવનભૂષણવિજયજી ગણિવર તથા પૂ. મુનિરાજ શ્રી વજ્રભૂષણવિજયજી ગણિવર આદિ પાંચ વિનીત શિષ્યો પ્રગુરુદેવ તથા ગુરુદેવની સુંદર સેવાભક્તિ સાથે જ્ઞાનાભ્યાસાદિપૂર્વક સંયમજીવનમાં આગળ વધી રહ્યા છે. પૂજ્યશ્રીની યોગ્યતા જોઈને સં. ૨૦૪૨ના મહા સુદ ૨-ના દિવસે પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયરામચન્દ્ર-સૂરીશ્વરજી મહારાજે અમદાવાદ-શ્રી શાંતિનાથની પોળમાં ગણિ પદે આરૂઢ કર્યા. ત્યારબાદ સં. ૨૦૪૪ના ચૈત્ર વદ ૪ ના દિવસે પિતા ગુરુદેવ સાથે જ તેઓશ્રીને પણ પંન્યાસ પદે પ્રસ્થાપિત કર્યા અને એ જ પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રીના વરદ હસ્તે સંયમજીવનના ૩૬મા વર્ષના અંતિમ દિવસે ૩૬ ગુણોથી વિભૂષિત એવા આચાર્ય પદથી અલંકૃત કરવામાં આવ્યા. વળી એ જ પુણ્યદિને પદપ્રદાતા પૂ. ગચ્છાધિપતિ પણ આચાર્ય પદના ૫૬મા વર્ષમાં પદાર્પણ કરી રહ્યા હતા એ કેવો ભવ્યતમ યોગાનુયોગ!
આજે જ્યારે લોકહેરીનો પ્રચંડ પવન ચારે બાજુ ફૂંકાઈ રહ્યો છે, જ્યાં ત્યાં જમાનાવાદનું તાંડવનૃત્ય આંખે ચડે છે, ભલભલા પણ જમાનાવાદની નાગચૂડમાં ભીંસાતાં જોવા મળે છે, ત્યારે જેની અતિ આવશ્યકતા છે એવા શાસ્રસંમત માર્ગને શાસ્ત્રીય નીતિથી સમજાવનારા દુર્લભ થતા જાય છે, ત્યારે પૂજ્યશ્રી એ શાસ્ત્રસંમત માર્ગને બાળભોગ્ય રીતે સુંદર શૈલીમાં સમજાવી શકે છે. તેઓશ્રીને આ કળા સાજિક વરી છે. આવી આગવી કળાના સ્વામીને જ્યારે સાંભળીએ ત્યારે ભાવિકોને સ્વ. પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયરામચન્દ્રસૂરીશ્વરજી મહારાજ સ્મૃતિમાં આવ્યા વિના રહેતા નથી. જિનશાસનની આરાધના, રક્ષા અને પ્રભાવનામાં તત્પર પૂજ્યશ્રીની વાણી સાંભળવી એ જીવનનો એક લહાવો છે. ‘વાત્સલ્યભર્યાં વચન’ અને ‘પ્રભાવકતાસભર પ્રવચન' આ બંનેના સુભગ મિલને પિતા–પુત્ર, ગુરુ-શિષ્યની આ બેલડીનાં પાવન પગલાં જ્યાં જ્યાં મંડાય છે ત્યાં ત્યાં ઐતિહાસિક શાસનપ્રભાવના સર્જાય
Jain Education Intemational
૫૨૦
છે, અશાસ્ત્રીયતા દૂર થાય છે, ક્લેશોનો શાસ્ત્રીય ઉકેલ આવે છે, શ્રીસંઘ લોકોત્તર મધુરતાનો અનુભવ કરે છે. આવા પૂજ્ય આચાર્યશ્રીનાં પાદારવિંદમાં શતશઃ વંદના!
સૌજન્ય : શ્રી ભભૂતમલજી સુરતમલજી સંઘવી, કોલ્હાપુર,
૫.પૂ. આચાર્યશ્રી નરદેવસાગરસૂરિજી મહારાજ સાહેબ
પૂ. આગમોદ્ધારકશ્રીના શિષ્યરત્ન માલવદેશોદ્ધારક આચાર્યશ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી મહારાજના શિષ્ય વાત્સલ્યસિંધુ, પ્રશાંત ચારિત્રમૂર્તિ ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી દેવેન્દ્રસાગર-સૂરીશ્વરજી મહારાજના વિદ્વાન અને સરળહૃદયી શિષ્યરત્ન પૂ. આચાર્ય શ્રી નરદેવસાગરસૂરીશ્વરજી મહારાજનો જન્મ બનાસ-કાંઠાના વાવ ગામે સં. ૧૯૯૮માં ચૈત્ર વ૦-૧૧ના દિને થયો હતો. પિતાનું નામ ભૂધરભાઈ, માતાનું નામ મણિબહેન અને તેમનું જન્મનામ સેવંતીલાલ હતું. સં. ૨૦૧૦માં પૂ. સાધ્વીશ્રી મહોદયશ્રીજીના સૌહાર્દપૂર્ણ સૂચનથી સેવંતીલાલ પૂ. આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરિજી મહારાજના પરિચયમાં આવ્યા અને પૂર્વભવના પુણ્યોદયે સં. ૨૦૧૨ના વૈશાખ સુદ ૩ના દિવસે શ્રી શત્રુંજય તીર્થની છત્રછાયામાં સંયમમાર્ગનો સ્વીકાર કર્યો. દીક્ષા પછી થોડા જ સમયમાં ક્ષયોપશમની તીવ્રતાથી વ્યાકરણ, ન્યાય, કર્મગ્રંથ આદિનો પૂ. ગુરુદેવશ્રીની નિશ્રામાં સુંદરતમ અને તલસ્પર્શી અભ્યાસ કર્યો. ત્યારથી સ્વ-પર સમુદાયના સાધુસાધ્વીઓને વાચનાની વિશિષ્ટ શૈલી દ્વારા આગમનાં અનુપાન કરાવવા નિમિત્તભૂત બન્યા છે.
અત્યાર સુધીની ૫૧ વર્ષની સંયમયાત્રામાં, અનેકવિધ શાસનપ્રભાવનાનાં પ્રસંગોમાં લગભગ ૩૫ ઉપરાંત સ્થળોએ પ્રતિષ્ઠા કરાવી છે. ખાપર તથા પાંડુરના-હૈદ્રાબાદનાં આ ત્રણ સ્થળો પર અંજનશલાકા-પ્રતિષ્ઠા ૧૦૮ છોડનાં ઉજમણાં સહ થયેલ છે. ૨૧થી વધુ ઉદ્યાપનમહોત્સવ સહ ઉપધાન તપ ઊજવાયાં છે. સુરત, કતારગામ, વિસનગર, ઉવસગ્ગહર તીર્થ, કલકત્તા, બારડોલી, નાગપુરા, યેવલા, શિરપુર ટીંડોઈ, સિકંદરાબાદ, કોલ્હાપુર આદિ સ્થળોમાં ઉપધાનતપની આરાધનાઓ થયેલ છે. પૂજ્યશ્રીની પ્રેરણા પામી અનેક પુણ્યાત્માઓએ દીક્ષા પ્રાપ્ત કરી છે. પૂનાના ૧૭૫ વર્ષ પ્રાચીન શ્રી ગોડીજી પાર્શ્વનાથ જિનાલયના જીર્ણોદ્ધાર માટે પૂજ્યશ્રીની એક માત્ર પ્રેરણા પામી શિલ્પકળાસમૃદ્ધ જિનાલય થયેલ છે, જેની પ્રતિષ્ઠા સં. ૨૦૪૭માં થઈ. આવું જિનાલય આખા મહારાષ્ટ્રમાં બીજું નથી તથા શ્રી કુલપાકજીમાં ચૌમુખજી
For Private & Personal Use Only
www.jainelibrary.org