SearchBrowseAboutContactDonate
Page Preview
Page 541
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ ૫૨૧ પૂ. આ. શ્રી વિજયવિકાસચંદ્રસૂરિજી મહારાજના શિષ્યરત્ન મુનિરાજ શ્રી વિનયવિજયજી મહારાજ પાસે પ્રવ્રજ્યા અંગીકાર કરી મોહનભાઈ મુનિશ્રી ઇન્દ્રવિજયજી બન્યા. ત્યાર બાદ બીજોવામાં વડી દીક્ષા થઈ. દીક્ષા ગ્રહણ કરીને પૂજ્યશ્રી શાસ્ત્રાભ્યાસ, તપશ્ચર્યા અને ગુરુસેવામાં એકાકાર બની ગયા. સં. ૨૦૧૧ના ફાગણ વદ ૩ ને દિવસે સુરતમાં પૂ. આ. શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે મુનિ શ્રી ઇન્દ્રવિજયજી મહારાજને ગણિ પદવી પ્રદાન કરવામાં આવી. ત્યાર બાદ તેઓશ્રી સતત ૧૨ વર્ષ સુધી બોડેલી ક્ષેત્રનાં ગામોમાં વયોવૃદ્ધ મુનિશ્રી જિનભદ્રવિજયજી મહારાજ સાથે વિચરતા રહ્યા. ત્યાં પહેલાં જેઓ જૈન હતા, પણ વર્ષોથી કબીરપંથી બની ગયા હતા તેવા ૫૦,૦૦૦થી વધુ પરમાર ક્ષત્રિયોને જૈનધર્મી બનાવ્યા. દેરાસર, ઉપાશ્રય, પાઠશાળા બનાવવાની પ્રેરણા આપી. ઉપરાંત, આ પરમાર ક્ષત્રિયોમાંથી ૮૦ જેટલા ભાઈઓએ દીક્ષા અંગીકાર કરી જૈનશાસનનો જયજયકાર વર્તાવ્યો. પૂજ્યશ્રીનું આ ભગીરથ કાર્ય જૈનશાસનના ઇતિહાસમાં અદ્વિતીય ઘટના તરીકે લેખાશે. પૂજ્યશ્રીની આવી ઉત્કટ શાસનપ્રભાવનાના પ્રભાવે તેઓશ્રીને પંજાબકેસરી આચાર્યદેવ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજની જન્મશતાબ્દીની ઉજવણી પછી, વરલી દેરાસરજીની પ્રતિષ્ઠા પ્રસંગે સં. ૨૦૨૭ના મહા સુદ પાંચમ, તા. ૧-૨૧૯૭૧ના શુભ દિવસે પૂ. આ. શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજના વરદ હસ્તે આચાર્ય પદવી આપવામાં આવી. ત્યાર બાદ સં. ૨૦૧૮માં પ્રશાંતમૂર્તિ શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજનું સ્વાથ્ય બગડતાં પૂ. આચાર્યશ્રીએ ગચ્છાધિપતિ તરીકેનો ભાર પૂ. આ. શ્રી વિજયઇન્દ્રદિનસૂરીશ્વરને સોંપ્યો. પૂજયશ્રી શ્રમણ ભગવાન મહાવીરસ્વામીની ૨૫૦૦મી. નિર્વાણ- શતાબ્દી પ્રસંગે પૂ. પ્રશાંતમૂર્તિ આચાર્યભગવંત સાથે દિલ્હી પધાર્યા હતા અને ત્યાર બાદ પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ આદિ પ્રદેશોમાં વિહાર કરીને સંઘશાસનમાં સાતે ય ક્ષેત્રોનાં શાસનકાર્યો કર્યાં હતાં. પૂ. ગુરુદેવ સં. ૨૦૩૪માં કાળધર્મ પામતાં પૂજ્યશ્રીએ સમુદાયની સર્વ જવાબદારીઓ કુશળતાથી ઉપાડી લીધી. પૂજ્યશ્રીનાં ચરણકમળ ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પંજાબ, હરિયાણા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, કાશ્મીર આદિ વિવિધ પ્રદેશોમાં વિહર્યા છે. પૂજ્યશ્રી જયાં જ્યાં ગયા ત્યાં ત્યાં દીક્ષા મહોત્સવો, અંજનશલાકાપ્રતિષ્ઠાઓ, ઉપધાન તપ, યાત્રાસંઘો–એમ વિવિધ ધાર્મિ, ઉત્સવોની ધુમ મચી રહે છે. પૂજ્યશ્રીની દિનચર્યા, પ્રવચનશૈલી અને સૌમ્ય-મધુર વ્યક્તિત્વ અનેકોને પ્રેરણાદાયી બની રહ્યું છે. એવા એ સમર્થ શાસનપ્રભાવક આચાર્યદેવને અંતઃકરણપૂર્વક કોટિ કોટિ વંદના! સૌજન્ય : પ.પૂ. આ.શ્રી નિત્યાનંદસૂરિજી મ. સા.ની પ્રેરણાથી શ્રી ધર્મનાથ પાર્શ્વનાથ જૈન છે. દેવસ્થાન ટ્રસ્ટ, ખંડાલા-ફાલના (રાજસ્થાન) | તેજલ્દી શાસ્ત્રવેત્તા, મહાન તપસ્વી, યશસ્વી સૂરિવર પૂ.આ.શ્રી વિજયજગઢંદ્રસૂરીશ્વરજી | મ.સા. કલિકાલકલ્પતરુ સિદ્ધાંતમહોદધિ પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજે સુવિહિત શ્રમણોનું સર્જન કરવાનો ભેખ લીધો હતો. કુશળ ઝવેરી સમા એ મહાપુરુષ રત્નતુલ્ય વ્યક્તિઓની ઉત્તમતાને એક જ દૃષ્ટિમાં પારખીને તેમને સંયમમાર્ગે સંચરવા પ્રેરતા. પૂ. આચાર્યશ્રી વિજયજગચંદ્રસૂરીશ્વરજી મહારાજ પણ એમાંનું એક બહુમૂલ્યરન છે. પૂજ્યશ્રીનો જન્મ ઉત્તર ગુજરાતના કરબટિયા (વડનગર) ગામે શ્રાદ્ધવર્ય શ્રી કેશવલાલ માનચંદનાં ધર્મપત્ની ચંદનબહેનની કુક્ષિએ સં. ૧૯૮૫ના પોષ વદ અમાસને દિવસે થયો હતો માતાપિતાએ પુત્રનું નામ જયંતીલાલ પાડ્યું. બાલ્યકાળથી જ જયંતીલાલને ધાર્મિક શિક્ષણ અને ધાર્મિક અનુષ્ઠાનોમાં અત્યંત રસ હતો. શૈશવ દરમિયાન પાંચ પ્રતિક્રમણનાં સૂત્રો, અતિચાર, જીવવિચાર નવતત્ત્વ આદિ અનેરાં સૂત્રો કંઠસ્થ કરી લીધાં. જિનપૂજા, રાત્રિભોજન ત્યાગ, અભક્ષ્ય ત્યાગ આદિ કુટુંબદત્ત સંસ્કારો તેમના જીવનમાં સહજ વણાઈ ગયા હતા. સામાયિક, પૌષધ આદિ અનુષ્ઠાન કરવા બાળ જયંતીલાલ અનેક વાર ઉલ્લસિત બનતો. - જયંતીલાલ સં. ૨૦૦૮ના અષાઢ સુદ ૧૪ના દિવસે વાત્સલ્યવારિધિ પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં પૂ. મુનિરાજ શ્રી ભાનુવિજયજી મહારાજના શિષ્યરત્ન સમતામગ્ન પૂ. મુનિશ્રી પદ્મવિજયજી મહારાજના શિષ્ય બન્યા અને મુનિશ્રી જગચંદ્રવિજયજી તરીકે ઘોષિત થયા. દીક્ષા અંગીકાર કરીને પૂજ્યશ્રી સ્વાધ્યાયમગ્ન બની ગયા. ૪ પ્રકરણ, ૩ ભાષ્ય, ૫ કર્મગ્રંથ, “શ્રી તત્ત્વાર્થસૂત્ર', “વીતરાગસ્તોત્ર', યોગશાસ્ત્ર', “શ્રી દશવૈકાલિક સૂત્ર', “શ્રી ઉત્તરાધ્યયનસૂત્ર', ‘ઇન્દ્રિયપરાજય શતક', “ધર્મરત્ન પ્રકરણ’, ‘તર્કસંગ્રહ', “બૃહદ્ સંગ્રહણી', “સમકિતના ૬૭ બોલની સઝાય', સિદ્ધહેમ Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy