________________
શાશ્વત સૌરભ ભાગ-૧
મહાપુરુષોને મળ્યું છે. વર્ષો પૂર્વે કચ્છમાંથી વીસા-ઓસવાલ જ્ઞાતિના વણિકો અહીં આવીને વસેલા અને વ્યાપારાદિ માટે મુંબઈ અને આફ્રિકા આદિ દૂર દૂરના પ્રદેશોમાં પણ ગયેલા. પ્રાચીનતાના પુરાવા જેવા આ પ્રદેશને ધર્મવાણીથી નવપલ્લવિત રાખવાનું કલ્યાણકારી કાર્ય આ મહાત્માઓ દ્વારા થતું રહ્યું. અનેક મહાત્માઓ આ પ્રદેશમાંથી તૈયાર થયા, તેમાં પૂ. આ. શ્રી વિજયજિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પણ એક છે.
જૈનશાસનની જ્વલંત જ્યોતને અખંડિત રાખવામાં જે મહાપુરુષોનું જબ્બર યોગદાન છે તેવા મહર્ષિઓના સહાયક બની રહેવાની પૂજ્યોની પરંપરાને તેઓશ્રીએ પણ બરાબર જાળવી રાખી છે. ‘વીરશાસન’નામથી પ્રકાશિત થતા સાપ્તાહિકનું પ્રકાશન બંધ થતાં મહાવીરશાસન' નામથી સં. ૨૦૦૯માં પાક્ષિકનું પ્રકાશન, જે ખેતશીભાઈ વાઘજીભાઈ ગુઢકાના તંત્રીપદે પ્રારંભાયું તે જ ખેતશીભાઈ સં. ૨૦૧૦ના જેઠ સુદ ૧૧ને શુભ દિવસે પારમેશ્વરી પ્રવ્રજ્યા સ્વીકારી પૂ. મુનિવર શ્રી જિનેન્દ્રવિજયજી બન્યા અને ગુરુનિશ્રાએ જ્ઞાનાદિની આરાધના કરતાં ગુરુમુખે શાસનની મહાનતા, શાસનરક્ષક સૂરિપુરંદરોની ગૌરવકથાઓ અને રક્ષામંત્રની મહોપકારિતા સંભાળીને તેઓશ્રીએ પણ શાસનના અનેકવિધ પ્રશ્નોમાં કલમની કરામતથી સત્યનો સંદેશ જનમાનસ સુધી પહોંચાડવાનો પ્રારંભ કર્યો. તેઓશ્રીની સંયમની ઉત્કૃષ્ટ સાધના તેમ જ વિસ્તરતી જતી શક્તિ-ભક્તિથી આકર્ષાઈ પૂ. ગુરુદેવે તેઓશ્રીને પંન્યાસ પદવીથી અલંકૃત કરવા કહ્યું, પરંતુ દરમિયાન પૂ. ગુરુદેવ સ્વર્ગની વાટે સંચર્યા. ત્યાર પછી તેઓશ્રીના વડીલ ગુરુબંધુ પૂ. પં. શ્રી રાજેન્દ્રવિજયજી ગણિવરેપંન્યાસ પદવી આપી. ત્યારબાદ તેઓશ્રીને સં. ૨૦૩૮માં પૂ. આ. શ્રી વિજયસોમચંદ્રસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે જામનગરમાં શ્રી નમસ્કાર મહામંત્રના તૃતીય પદે—આચાર્ય પદે આરૂઢ કરાતાં પૂ. આચાર્ય શ્રી વિજયજિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ નામે પ્રસિદ્ધિ
પામ્યા.
‘શ્રી મહાવીરશાસન'ની જેમ જૈનશાસન' સાપ્તાહિક તેઓશ્રીના પ્રેરક બળથી આજે પ્રકાશિત થઈ રહ્યું છે. આગમાદિ પ્રાચીન ગ્રંથોના રક્ષણ માટે તેઓશ્રીની પ્રેરણા સાકાર થઈ રહી છે અને હસ્તલિખિત ગ્રંથોના સ્વ. પૂ. આ. શ્રી વિજયમાનતુંગસૂરીશ્વરજી મહારાજ પ્રેરિત નવસર્જનને વેગ મળી રહ્યો છે. અંજનશલાકા-પ્રતિષ્ઠા, નૂતન જિનમંદિરોનાં નિર્માણ, છ'રીપાલિત યાત્રાસંઘો આદિ શાસનપ્રભાવક કાર્યોની હારમાળા દ્વારા હાલારની પ્રજાને પણ ધર્મરક્ષા અને શાસનપ્રભાવનાના પાઠ
Jain Education International
૫૧૯
તેઓશ્રી ભણાવી રહ્યા છે. મૂળમાં હાલાર પ્રદેશના અને બહુતયા હાલાર પ્રદેશ (જામનગર જિલ્લા)માં વિચરતા પૂજ્યશ્રી હાલાર પ્રદેશમાં જૈનશાસનની જ્યોતને અણનમ બનાવી રાખવામાં સફળતાને વરેલા ‘હાલારકેશરી’ પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયજિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજને ભાવભરી શતશઃ વંદના! સૌજન્ય : હર્ષ પુષ્પામૃત જૈન ગ્રંથમાલા, જામનગર શિક્ષણ, સમાજ અને રાષ્ટ્રના નવોત્થાનના પ્રેરક, અહિંસા અને એકતાના સંદેશવાહક, ખાદીના હિમાયતી, રાષ્ટ્રીય સંત પૂ.આ.શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મ.સા. યુગવીર આચાર્યદેવ શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજે જૈનશાસનમાં એક નવો જ યુગ પ્રવર્તાવ્યો હતો. પૂ. ગુરુદેવે સાધર્મિક ક્ષેત્રે પ્રવર્તતી ઉદાસીનતા દૂર કરી, સાતેસાત ક્ષેત્રોને નવપલ્લિત કર્યાં હતાં. શિલ્પી ટાંકણાથી મૂર્તિ ઘડે તેમ તેઓશ્રીએ પોતાના શિષ્ય-પ્રશિષ્યોને ઘડ્યા
હતા. પૂજ્યપાદ આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ પણ એ જ ગુરુદેવશ્રીની શિક્ષા, સંસ્કાર અને પ્રેરણા ઝીલીને શાસનસેવામાં પ્રવૃત્ત રહેનાર આચાર્યશ્રી છે.
પૂજ્યપાદ આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરીશ્વરજી મહારાજ એટલે જેમણે અનુપમેય ગુરુભગવંત શ્રી વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજનાં પાવન ચરણોની અનન્યભાવે સેવા કરી હતી, જેમણે પૂ. ગુરુવર્યના અતલ જીવનસાગરને અવગાહવા પ્રયત્ન કર્યો હતો, જેમણે પૂ. ગુરુદેવની ગંભીર જીવનગંગામાંથી ઉદાત્ત ભાવનાઓ અને ઉત્તમ વિચારોનાં નિર્મળ નીર ખોબલેખોબલે પીધાં હતાં, જેમણે હંસ બનીને એ આરાધ્ય ગુરુના માનસરોવરમાંથી કિનારે આવતાં ધીરતા, સમતા, કાર્યદક્ષતા, દીર્ઘદર્શિતા અને સેવાભાવનારૂપી સાચાં મોતીનો ચારો ચર્યો હતો, એવા એ ઝળહળતી જ્યોત સમા આચાર્યદેવ શાસનના શણગાર હતા. પૂજ્યશ્રીનો જન્મ રાજસ્થાનના પાલી ગામમાં સં. ૧૯૪૮ના માગશર સુદ ૧૧ (મૌન એકાદશી)ના શુભ દિવસે ધારિણીદેવીની પવિત્ર કુક્ષિએ થયો હતો. પિતાનું નામ શોભાચંદ બાગરેચા મહેતા. પોતાનું સંસારી નામ સુખરાજ. બાળપણમાં જ માતાપિતાનું અવસાન થયું. એ સમયમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org