________________
૫૧૦ "
ધન્ય ધરાઃ
છે. આજે ૮૮ વર્ષની ઉંમરે પણ પૂજ્યશ્રીને તપ-સ્વાધ્યાયનો અનુમોદનીય રસ છે. સં. ૨૦૩૨માં તપનો ઉલ્લાસ વધતાં છથી વરસીતપ કર્યું હતું. છઠ્ઠને પારણે આયંબિલ કરીને આસોચૈત્ર બને નવપદજીની આરાધના પણ ચાલુ રાખી. સં. ૨૦૪૨માં ગણિ પદવીથી અને સં. ૨૦૪૪માં પંન્યાસ પદવીથી વિભૂષિત થયેલા પૂજ્યશ્રીની સંયમનિષ્ઠા, સ્વાધ્યાયમગ્નતા, સુદીર્ધ સંયમપર્યાય, ગંભીરતા આદિની વિશેષ યોગ્યતા જાણી સં. ૨૦૪૭ના દ્વિ. વૈશાખ સુદ ૬ના શુભ દિવસે મુંબઈ–ભૂલેશ્વરમાં આચાર્યપદે આરૂઢ કરવામાં આવ્યા અને આચાર્યશ્રી વિજયચંદ્રોદય-સૂરીશ્વરજી મહારાજ નામે ઉદ્ઘોષિત થયા.
૨૦૫૪માં વર્ષીતપ કરેલ તે વખતે નાનાં નાનાં બે ઓપરેશન કરાવવાં પડ્યાં. ધર્મ પ્રત્યેની દઢ શ્રદ્ધા અને તપ પ્રત્યેના તીવ્ર અનુરાગને પ્રભાવે જ ધર્મનિષ્ઠ સુશ્રાવક ડો. પત્રાવાલાની સેવાભક્તિથી તપ નિર્વિદને પૂર્ણ કરેલ.
પૂજ્યશ્રીની શુભ નિશ્રામાં અનેક સ્થાનોમાં વિવિધ આરાધનાઓ, અનુષ્ઠાનો અને ભવ્ય ઓચ્છવ-મહોત્સવો અનેરી શાસનપ્રભાવનાપૂર્વક થયા છે. આવા પુણ્યપ્રભાવી પ્રશાંતમૂર્તિ પૂ. આ. શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજી મહારાજ હમણા થોડા સમય પહેલા કાળધર્મ પામ્યા.
સૌજન્ય : શ્રી બીવાદી જૈન સંઘ (જિ. પાલી)
રાજસ્થાન છે. સંઘવી ભરમલજી તુલસાજી પ્રશમરસતપોનિધિ અને ગુરુદેવની
અખંડ સેવાના ઉપાસક
પૂ. આચાર્યશ્રી વિજયજયકુંજરસૂરીશ્વરજી મહારાજ
સિદ્ધાંતમહોદધિ પૂ.આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજનો સુવિશાળ સાધુસમુદાય નજર સમક્ષ અંકિત થાય અને સિંહગર્જનાના સ્વામી, નીડર વક્તા પૂ. આ. શ્રી વિજય મુક્તિચંદ્રસૂરીશ્વરજી મહારાજની યાદ આવે ને આવે જ. એવા એ પૂ. આચાર્યદેવની પુણ્યસ્મૃતિ સાથે પડછાયાની જેમ સંકળાયેલું એક વ્યક્તિત્વ એટલે પૂ. આ. શ્રી વિજયજયકુંજરસૂરીશ્વરજી મહારાજ. અનેક વિશેષતાઓ ધરાવતા પૂજ્યશ્રીના જીવનની એક વિશેષતા તો વિરલાતિવિરલ વિશેષણ પામી જાય એવી છે. એ છે આજીવન અંતેવાસિત્વ. દીક્ષા ગ્રહણથી માંડીને પૂજ્યશ્રીએ પૂ. ગુરુદેવનાં દેહદિલની સાથે પડછાયાની જેમ જ સંલગ્ન રહેવાની એવી ‘સેવાવૃત્તિ’ સ્વીકારી
કે પૂ. ગુરુદેવશ્રીના સમાધિમૃત્યુની પળ સુધી એ સેવાવ્રત અખંડ જ રહ્યું!
પૂજ્યશ્રીનું સંસારી વતન તારંગાની તળેટીમાં વસેલું વાવ–સતલાસણા પાસેનું કોઠાસણા ગામ. ધંધાર્થે પ્રારંભમાં ટાંકેદઘોટી (મહારાષ્ટ્ર) અને પછી વર્ષોથી નાસિકમાં સ્થિર થયેલા. પૂજ્યશ્રીનો જન્મ સં. ૧૯૭૧ના પોષ વદ ૧ના ટાંકેદ ગામે થયો. પિતાનું નામ મોતીચંદ. માતાનું નામ દિવાળીબહેન અને તેમનું જન્મનામ જયચંદ અને લાડીલું નામ બાબુભાઈ હતું. નાસિક જૈનસંઘના અગ્રગણ્ય કાર્યકર સુધીના પદે પહોંચેલા શ્રી બાબુભાઈને કોઈ એવી પુણ્યપળે પૂ. શ્રી મુક્તિવિજયજી મહારાજનો ભેટો થયો કે, થોડા જ પરિચય પછી સંયમ સ્વીકારવાની ભાવનામાં રમતા એમણે અમુક મુદત સુધીમાં સંયમી ન બનાય તો છ વિગઈના ત્યાગની ભીષ્મ-પ્રતિજ્ઞા
સ્વીકારી. થોડાં વર્ષોમાં આ મુદત પૂરી થતાં આશીર્વાદ લેવા તેઓશ્રી પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજનાં ચરણોમાં જઈ પહોંચ્યા. મનના-મનોરથ વ્યક્ત કરીને આશીર્વાદની માંગ કરી, ત્યારે દીક્ષાના એ સિદ્ધહસ્ત દાનવીરે કહ્યું કે, “એકલા એકલા જ સંસારનો ત્યાગ કરવો છે? બે બાળકોને પણ સાથે લઈ લો. ભલે કદાચ થોડી દીક્ષા લંબાય, પણ બાળકોનું જીવન સુધરી જશે.” આ વચન બાબુભાઈનાં દિલમાં અસર કરી ગયું. એમણે પૂ. મુનિરાજ શ્રી મુક્તિવિજયજી મહારાજને બધી વાત કરી, અને થોડો સમય લંબાવીને બે બાળકો સાથે સંયમી બનવાનું નક્કી થયું. સગાવહાલાં આદિ સૌ સંમત હતાં, પણ બાબુભાઈ નાનાં બાળકો સાથે સંયમ સ્વીકારે એ ગામના અમુક વર્ગને ગમતું ન હતું. એથી અંતે સં. ૨૦૧૧ના વૈશાખ સુદ ૭ને દિવસે મુરબાડ પાસે નાનકડા ધસઈ ગામમાં ગુપ્ત રીતે શ્રી બાબુભાઈ પોતાનાં બે સંતાનો-પ્રકાશકુમાર (વય : ૯) અને મહેન્દ્રકુમાર (વય : ૭) સાથે સંયમી બન્યા અને તેઓ અનુક્રમે મુનિરાજ શ્રી જયકુંજરવિજયજી, મુનિરાજ શ્રી પૂર્ણચંદ્રવિજયજી અને મુનિરાજ શ્રી મુક્તિપ્રભવિજયજીના નામે જાહેર થયા.
પૂજ્યશ્રીનું “શ્રી જયકુંજરવિજયજી' નામ પડ્યું તે પણ ખૂબ જ અન્વર્થ છે. બાબુભાઈ દીક્ષા લેવાના હતા તે પૂર્વે પૂજ્યશ્રીના ગુરુદેવશ્રીને રાત્રે સ્વપ્ન આવ્યું કે એક હાથી પોતાના બે મદનિયાને લઈ પોતાની પાસે આવી રહ્યો છે અને સાચે જ સ્વપ્નમાં થયેલ સૂચન પ્રમાણે બાબુભાઈ પોતાનાં બે સંતાનો સાથે દીક્ષા લેવા પૂજ્યશ્રી પાસે આવ્યા. તેથી પૂજ્યશ્રીએ દીક્ષા સમયે બાબુભાઈનું નામ મુનિરાજ શ્રી જયકુંજરવિજયજી પાડ્યું. કુંજર એટલે હાથી અને જેને બધે વિજય મળવાનો છે એવો હાથી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org