________________
શાશ્વત સૌરભ ભાગ-૧
સદીના સમયજ્ઞ સંતો
સર્વસંસારના ત્યાગસહિત ઉગ્ર સંયમચર્યાઓના પાલન દ્વારા કાયા સુધીનાં તમામ પાત્રો પરની મમતા ઓગાળ્યા પછી પણ અહંની મમતા ઓગાળવાનું કાર્ય અતિ દુષ્કર છે. માન-મોભો અને પદ-પ્રતિષ્ઠાથી પર બનીને નિસ્પૃહપણે આત્મસાધનામાં રત રહેનારા ભદ્રપરિણામી સરળતા અને સૌમ્યતાથી શોભતા સંતજનો વિશેષ માનનીય અને પૂજનીય છે. ઊંડા ગ્રામ્યવિસ્તારોમાં કે રાજસ્થાન આદિ દૂરના પ્રદેશોમાં અનેક પ્રતિકૂળતાઓ વચ્ચે નિર્મળ અને સુવિશુદ્ધ સંયમયાત્રાના પાલન સાથે આંતરખોજમાં ગરકાવ બનેલા આ મહાત્માઓ આતમમસ્તીમાં મહાલતા હોય છે. માન અને અપમાનના ભેદોને ભૂંસી નાખી ઊંચી આધ્યાત્મિક સ્થિતિને પામેલા આવા પુણ્યપ્રભાવી મહાત્માઓ આજના આ વિષમકાળમાં પણ જૈન સંઘના પરમ વૈભવસમા શોભી રહ્યા છે.
પરમારાધ્ય પ્રકૃષ્ટ પુણ્યપ્રભાવી
પૂ. પંન્યાસ શ્રી ધર્મવિજયજી ગણિવર્ય (ડહેલાવાળા)
મહાપુરુષોની સ્વર્ણશૃંખલામાં પૂજ્ય પંન્યાસજી શ્રી ધર્મવિજયજી મહારાજનું નામ વર્ષોથી શુક્રતારકની જેમ ચમકી રહ્યું છે. પૂજ્યશ્રીએ સં. ૧૯૩૩ના પોષ વદ ૧૪ના દિવસે વાત્સલ્યમૂર્તિ પિતા માયાચંદભાઈની શીતળ છાયામાં શીલાદિ સંસ્કારોથી સુશોભિત માતા મીરાંતબાઈની કુક્ષિએ જન્મ ધારણ કરી થરા ગામને અલંકૃત બનાવ્યું હતું. પુત્રનાં લક્ષણ પારણામાં' એ ન્યાયે, ભવિષ્યમાં ધર્મધ્વજને ધારણ કરવાનો સંકેત જ રહે તેમ, સ્નેહઘેલાં માતાપિતાએ પુત્રનું નામ ધરમચંદ પાડ્યું. બાલ્યવયથી પૂર્વના ક્ષયોપશમ અને સતેજ બુદ્ધિના પ્રભાવે વ્યવહારયોગ્ય કેળવણી મેળવ્યા બાદ ધરમચંદને નૃત્ય-ગીત-સંગીતનો અનોખો શોખ જાગ્યો. તેમને શીલવતી કન્યા સાથે લગ્નગ્રંથિથી જોડી દીધા. સાંસારિક જવાબદારીઓ વધવા છતાં નાટકો જોવાનો શોખ ટકી રહ્યો. ભર્તૃહરિના સંસારત્યાગનો ખેલ જોયા પછી ભાઈશ્રી ધરમચંદનું અંતઃકરણ સંસારના રંગરાગથી છૂટવા અને વૈરાગ્યના રંગે રંગાવા જાગૃત બન્યું. દીપકની જ્યોતને વધુ દિવેલ મળતાં તેના પ્રકાશમાં વધારો થાય તેમ, અમદાવાદ– ડહેલાના ઉપાશ્રયની પાટપરંપરાના મુખ્ય નાયક પૂ. પંન્યાસજી શ્રી મોહનવિજયજી મહારાજનો પરિચય થતાં ધરમચંદની વૈરાગ્યજ્યોત વધુ પ્રકાશિત બની. પરિણામે ૧૯ વર્ષની ભરયુવાન વયે પૂર્ણ વૈરાગ્ય સાથે, સંસારના સ્નેહ–સંબંધોનો
Jain Education International
૫૦૧
ત્યાગ કરી સં. ૧૯૫૨ના અષાઢ સુદ ૧૩ના શુભ દિને શ્રી સિદ્ધાચલજી મહાતીર્થની છત્રછાયામાં, ચંચળ લક્ષ્મીનો સદુપયોગ કરવા માટે હાથીની અંબાડીએ બેસી વર્ષીદાન દેતાં, ભાગવતી દીક્ષા અંગીકાર કરી. ધરમચંદમાંથી ત્યાગી બનેલા મહાનુભાવે સંયમજીવનમાં મુનિ શ્રી ધર્મવિજયજી નામ ધારણ કરી, પ્રભુશ્રી મહાવીરસ્વામીના શાસનની ધર્મધ્વજાને ઉન્નત રાખવાના શ્રેષ્ઠ પુરુષાર્થ રૂપે જ્ઞાન-ધ્યાન અને તપ-ત્યાગ માટેની સાધનાનાં મંડાણ કર્યાં.
જીવનશિલ્પી રૂપે પ્રકૃષ્ટ પ્રતિભાવંત પૂ. પંન્યાસજી શ્રી મોહનવિજયજી મહારાજને સ્વીકાર્યા બાદ, અતૃપ્ત હૈયે અખંડ શ્રુતોપાસનામાં લીન એવા મુનિશ્રી ધર્મવિજયજી ઘણા ટૂંકા સમયમાં ઉત્કૃષ્ટ વિદ્વાન અને ઉચ્ચ સંયમી આત્મા તરીકે જૈનશાસનમાં તેજસ્વી હીરા સમાન ચમકવા લાગ્યા. સંયમદાતા ઉત્કૃષ્ટ ત્યાગ-વૈરાગ્યના રંગોથી રંગાયેલા મુનિશ્રીની આદર્શ પ્રતિભાથી આકર્ષાયેલા અનેક મહાત્માઓ સંયમમાર્ગના પથિક બન્યા. તેમના મુખ્ય શિષ્યોમાં પૂ. મુનિશ્રી ચમનવિજયજી, મુનિશ્રી ચારિત્રવિજયજી, મુનિશ્રી સુરેન્દ્રવિજયજી અને મુનિશ્રી અશોકવિજયજી મહારાજની ગણના થતી. બીજના ચંદ્રની જેમ આગળ વધેલા મુનિશ્રી ધર્મવિજયજી મહારાજને અનેક સંઘોએ તથા સમુદાયના સાધુભગવંતોએ અત્યંત આગ્રહ સાથે સં.૧૯૬૨માં મહામહોત્સવપૂર્વક ડહેલાના ઉપાશ્રયે પંન્યાસ પદથી વિભૂષિત કર્યા. સામુદાયિક ઉત્તરદાયિત્વ પૂર્ણ કરવા અંગે પંન્યાસ પદની સ્વીકૃતિ બાદ પરમેષ્ઠીના ત્રીજા પદ આચાર્ય પદ પર બિરાજમાન કરવામાં ડહેલાના ઉપાશ્રયના શ્રીસંઘનો અને પાટણ ખેતરવસી અને ગામોના શ્રીસંઘનો
For Private & Personal Use Only
www.jainelibrary.org