________________
૪૯૮
ના
જન્મ : વિ.સં. ૧૮૮૦, માહ માસ, ભારોલી તીર્થ. ૮૦. માડુ મારું દીક્ષા : વિ.સં. ૨૦૨૩ પોષ સુદ-૧૪, મુરવાડ, મહારાષ્ટ્ર. વડી દીક્ષા : વિ.સં. ૨૦૨૩ મહાવદ-૧૦ લાલબાવા, મુંબઈ.
ગણિપદ : વિ.સં. ૨૦૫૦ કારતક સુદ-૧૧, ગોપીપુરા, સુરત. પંન્યાસ પદ : વિ.સં. ૨૦૫૨ વૈશાખ સુદ-૬ ભારોલ તીર્થ ઉપાધ્યાય પદ : વિ.સં. ૨૦૫૨ વૈશાખ સુદ-૬ ભારોલ તીર્થ આચાર્યપદ : વિસં.૨૦૫૨ વૈશાખ સુદ-૭ ભારોલ તીર્થ નિશ્રાવર્તી સાધુ : ૪૨
શ્રીમદ્ વિજય ગુણયશસૂરિજી મહારાજામાં વાત્સલ્ય. વિદ્વત્તા અને વિચક્ષણનો વિરલ ત્રિવેણી સંગમ જોવા મળે છે.
વર્ધમાનતપોનિધિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણયશસૂરિજી મહારાજાનું વ્યક્તિત્વ ઘેઘૂર વડલા જેવું વિરાટ અને શીતળ છાંયો આપનારું છે. આચાર્ય ભગવંતના સાંનિધ્યમાં નાનકડા બાળકથી લઈ જેના માથે પળિયા આવી ગયાં છે, તેવા વૃદ્ધને પણ એવી કુદરતી રીતે સાંત્વના થાય છે કે મારે માથે એક એવા વડીલની છત્રછયા છે કે, જેઓ મને સુખમાં અને દુઃખમાં, આંધીમાં અને તોફાનમાં સાથ આપશે, આપશે અને આપશે જ. સાધનાના વિકટ પથ ઉપર પા પા ડગલી માંડતા બાલ મુનિઓને આચાર્ય ભગવંતે જે કુનેહ, ધીરજ, સહિષ્ણુતા, સૌમ્યતા અને સંવેદનાથી સડસડાટ દોડતા કરી દીધા છે,તેના ઉપરથી લાગ્યા વિના રહેતું નથી કે સાધક અવસ્થામાં બાળમાનસના તેમના જેવા અચ્છા નિષ્ણાંત જૈન સંઘની બહાર દીવો લઈને શોધવા જઈએ તો પણ મળે મહિ. મોટી મોટી યુનિવર્સિટીના ચાઈલ્ડસાયકોલોજીના પ્રોફેસરો જો વર્ધમાન તપોનિધિ આચાર્ય ભગવંત પાસે આવે તો તેમને જરૂર બાળમાનસને ઘડવાની બાબતમાં અનેક નવા પાઠો શીખવા મળે.
જૈન શ્રાવક પોતાના પુત્રને ન છૂટકે જો વ્યાવહારિક શિક્ષણ આપતી શાળામાં અભ્યાસ કરવા મૂકે તો પણ આજની ભોતિકવાદી કેળવણીના વિષની અસરમાં તે દેવ, ગુરુ તેમજ ધર્મને ન ભૂલી જાય તે માટે વાલી તરીકે કેટલા સંચિત અને સાવધ રહેવું જોઈએ, તે દરેક માતા-પિતાએ આ આચાર્ય ભગવંત પાસેથી શીખવું જોઈએ. ત્રણ વર્ષના અબુધ બાળકને પ્રેરણા કરી, આયંબિલ તપ જેવો તપ કરાવવો હોય ત્યારે તેને પાર ઉતારવા માટે કેટલા વાત્સલ્ય અને કુનેહપૂર્વક બાળકમાં
Jain Education International
ધન્ય ધરા
શુભભાવોનો સંચાર કરવો જોઈએ, તેની કળા વર્ધમાન તપોનિધિ આચાર્ય ભગવંતને જાણે સહજ સિદ્ધ છે.
આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય ગુણયશસૂરિજી મહારાજાએ જૈનશાસનને જો કોઈ સૌથી મોટી ભેટ આપી હોય તો તે પ્રવચન પ્રભાવક આચાર્યદેવ શ્રીમદ્ કીર્તિયશસૂરિજી મહારાજા છે. આજે પ્રવચન પ્રભાવક તરીકે સમગ્ર જૈન સંઘમાં સમ્યજ્ઞાનનો અચિંત્ય પ્રકાશ પાથરી રહેલા આચાર્યદેવને બાલ્યવયમાં જે પ્રેરણાના પીયૂષ પાવામાં આવ્યાં, તેના કારણે આજે તેઓ નીડરતાથી અને નિશ્ચલતાથી શાસનની રક્ષા અને પ્રભાવનનાં ઐતિહાસિક કાર્યો કરી રહ્યા છે. પોતાના સંસારી પુત્રને સંયમને માર્ગે વાળવા માટે વર્ધમાન તપોનધિ આચાર્ય ભગવંતે જે મક્કમતા, ધીરજ, સંકલ્પબદ્ધતા અને અડગતાનું આચરણ કર્યું, તે જૈન સંઘમાં દરેક માતા-પિતાઓ માટે ઉદાહરણીય છે.
જૈનકુળમાં જન્મ ધારણ કરનાર બાળકને બચપણથી જ સાધુનાં દર્શન કરાવતી વખતે એક જ વાત કરવી જોઈએ કે, બેટા! તારે પણ એક દિવસ આવા સાધુ બનવાનું છે' અને પુત્ર જ્યારે મહાભિનિષ્ક્રમણને પંથે સંચરવા માટે થનગનવા માંડે ત્યારે તેના પંથમાં રહેલા અવરોધો કેવી ચતુરાઈ અને દૂરંદેશીના હલ કરવા, તે બાબતમાં પણ વર્ધમાન તપોનિધિ આચાર્ય ભગવંતશ્રી આ બાળમાનસને પારખીને સાધનાને પંથે ચડાવવાની
અદ્ભુત સૂઝનો લાભ તેમના સંસારી પુત્રને મળ્યો છે, તેવું પણ નથી. વર્ધમાન તપોનિધિના તારક ગુરુદેવ પૂજ્યપાદ ગચ્છાધિપતિશ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાએ તેમની આ વિશિષ્ટ શક્તિને પારખી અનેક બાળ મુનિઓના જીવન ઘડતરની ગંભીર જવાબદારી તેમને સોંપી હતી, જે તેમણે ટાંકણાં મારી મનોહર મૂર્તિનું ઘડતર કરતા શિલ્પીની ખૂબીથી નિભાવી
હતા.
આચાર્ય ભગવંતે સંવત ૨૦૨૩માં ભાગવતી દીક્ષા ગ્રહણ કરી, તે અગાઉથી જ આકરી તપશ્ચર્યાને પોતાનો જીવનમંત્ર બનાવ્યો હતો. દીક્ષાનાં પાંચ વર્ષ અગાઉ તેમણે દીક્ષા ન લેવાય ત્યાં સુધી છ વિગઈના ત્યાગનો ભીષ્મ સંકલ્પ કર્યો હતો. આ ગાળામાં તો તેઓ છઠ્ઠના પારણે છટ્ટ કરતા અને પારણામાં વળી આયંબિલનો તપ કરતા. આ રીતે ત્રણ દિવસે એક જવખત વાપરવા બેસતા. ત્યારે પણ તેઓ રોટલી અને ભાત જેવો તદ્દન લુખ્ખો આહાર ગ્રહણ કરતા. દીક્ષા પ્રાપ્ત થઈ તે પછી તેમણે વર્ધમાનતપની ૧૦૦ ઓળી ચિત્તની અત્યંત પ્રસન્નતા અને
For Private & Personal Use Only
www.jainelibrary.org