SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ ઊતર્યા, અભ્યાસમાં બુદ્ધિપ્રતિભાના ચમકારા દેખાવા લાગ્યા, થોડા વખતમાં પંચપ્રતિક્રમણ અને નવસ્મરણ સુધી પહોંચી ગયા. યૌવનના આગમન સાથે મોહનલાલમાં તપશ્ચર્યાની વસંત ખીલી. વિધિસહિત વીસસ્થાનક તપ, ચોસઠપહોરી પૌષધ, ચાર વરસ સમોસરણ તપ, સિંહાસન તપ આદિ તપશ્ચર્યા કરીને દીર્ઘ તપસ્વી બની ગયા. એવામાં પૂ. આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજ સમી પધાર્યા. મોહનભાઈ પર વૈરાગ્યની અસર પ્રબળ બની. એમનો પવિત્ર આત્મા જાગૃત બની ગયો. એમને સંયમજીવન સ્વીકારવાનો ઉત્સાહ થયો. સમીના સંઘની ભાવનાથી પોતાના પનોતા પુત્ર મોહનભાઈની દીક્ષાનો મહોત્સવ સમીમાં જ ઊજવાયો. સં. ૧૯૫૭ના મહા વદ ૧૦ને દિવસે પૂ. આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજે સંઘ સમક્ષ દીક્ષા પ્રદાન કરી. સભાજનોએ ચોખાથી વધાવ્યા. પૂ. ગુરુદેવે મોહનલાલને મુનિશ્રી ભક્તિવિજયજી તરીકે પોતાના શિષ્ય બનાવ્યા. મુનિશ્રી ભક્તિવિજયજી મહારાજ પણ શાસ્ત્રવિશારદ, જૈનધર્મના સમર્થ શાંતા કાશીવાળા આચાર્યદેવ શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મહારાજની સેવા ભક્તિભાવથી કરતા રહ્યા અને જ્ઞાન તપના માર્ગે આગળ વધતા રહ્યા. અનેક મહારોગનાશક અને સર્વસિદ્ધિદાયક શ્રી આયંબિલ તપ દ્વારા વર્ધમાનતપની જીવનભર આરાધના અને પ્રેરણા કરતા રહ્યા. વિદ્યાભ્યાસમાં શાસ્ત્ર અને વ્યાકરણાદિમાં પારંગત થયા. પૂ. ગુરુદેવ તો કાશી પધાર્યા હતા અને ત્યાં વિદ્વાનો તૈયાર કરવાની ભાવનાથી ‘શ્રી યશોવિજયજી પાઠશાળા'ની સ્થાપના કરી હતી. મુનિશ્રી ભક્તિવિજયજીને પૂ. ગુરુદેવનાં દર્શનની ભાવના થતાં તેઓશ્રી લાંબો વિહાર કરીને કાશી પહોંચ્યા અને ત્યારે ગુરુશિષ્યનું હૃદયંગમ મિલન થયું હતું. પ્રત્યેક જગ્યાએ આયંબિલ ખાતાં શરૂ કરાવવાં અને તપોભાવનાની સંવૃદ્ધિ કરવી એ પૂજ્યશ્રીનાં આગવાં ધર્મકાર્યો હતાં. સં. ૧૯૭૫ના અષાઢ સુદ બીજના શુભ દિવસે કપડવંજમાં પૂ. આ. શ્રી વિજયવીરસૂરીશ્વરજીએ તેઓશ્રીને ગણિ પદથી અને પાંચમને દિવસે પંન્યાસ પદથી વિભૂષિત કર્યા. સં. ૧૯૮૯માં શેઠ જીવતલાલ પ્રતાપશી તથા શેઠ નગીનદાસભાઈ આદિ આગેવાનોની વિનંતીને માન આપી મુંબઈ પધાર્યા. તે સમયે ભૂલેશ્વર-લાલબાગનું ચાતુર્માસ યાદગાર બની રહ્યું. સં. ૧૯૯૨માં શિષ્યસમુદાય સહિત પાલિતાણા પધાર્યા ત્યારે વીરમગામ, સમી આદિ સંઘના આગેવાનોની આગ્રહભરી વિનંતીથી પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજયસાગરાનંદસૂરીશ્વરજી મહારાજે પૂજ્યશ્રીને વૈશાખ સુદ ૪ને શનિવારે પ્રાતઃકાળે વિશાળ Jain Education International. ૪૯૧ માનવસમુદાયની ઉપસ્થિતિમાં આચાર્ય પદથી અલંકૃત કર્યા. આ ઉપરાંત, ઉપરિયાળા તીર્થની તીર્થકમિટી તથા ઘણાં ગામોના આગેવાનોની ભાવનાથી પૂજ્યશ્રીનો અર્ધશતાબ્દી મહોત્સવ ધામધૂમપૂર્વક ઊજવાયો. યથા નામ તથા ગુણ એવા આચાર્યશ્રી મહાન તપોનિધિ હતા. દસ ચીજો વાપરવાનો નિયમ કડકપણે પાળતા. રાજસ્થાન, ગુજરાત, ઉત્તર પ્રદેશ, મુંબઈ આદિ પ્રદેશોમાં વિચરી, સમેતશિખરજી, ગિરનારજી, શત્રુંજય આદિ તીર્થોની ઘણી યાત્રાઓ કરી; કલકત્તા, બનારસ, મુંબઈ આદિ અનેક ક્ષેત્રોમાં દીર્ઘ ચારિત્રપર્યાયમાં કુલ ૫૮ ચાતુર્માસ કરી, શાસનનાં અનેક કાર્યો સુસંપન્ન કર્યાં. તેઓશ્રી નિત્ય પ્રાણવલ્લભ શંખેશ્વર દાદાનું સ્મરણ કરતા. વિહારમાં વારંવાર શંખેશ્વર તીર્થની યાત્રા પણ કરતા. પૂજ્યશ્રીએ અંતિમ ચાતુર્માસ સમીમાં કર્યું. ૮૫ વર્ષની વૃદ્ધાવસ્થાએ કર્મોદયવશ માંદગીએ ઘેરી લીધા, છતાં પણ આત્મવિશ્વાસ પ્રબળ કરીને પૂજ્યશ્રીએ અંતિમ સાધના શ્રી શંખેશ્વર મહાતીર્થમાં કરવાની ભાવના દર્શાવી. પોતાનો નશ્વરદેહ શંખેશ્વર તીર્થધામમાં છોડવાની ઇચ્છા વ્યક્ત કરી. ડૉક્ટરોની ના હોવા છતાં અપૂર્વ આત્મબળ દર્શાવી, શિષ્યો-પ્રશિષ્યો સાથે શંખેશ્વર પધાર્યા. પૂજ્યશ્રીનાં શિષ્યરત્નો-પૂ. પં. શ્રી પ્રેમવિજયજી ગણિ, પૂ. પં. શ્રી સુબોધવિજયજી ગણિ, (વર્તમાનમાં સર્વ આચાર્યશ્રીઓ) આદિએ ઘણી સેવા કરી. પૂજ્યશ્રીને હાથમાં ઉપાડીને શંખેશ્વર દાદાનાં દર્શન કરાવ્યાં. પૂજ્યશ્રીએ ભાવભીની પ્રાર્થનાથી અંતિમ ઇચ્છા દર્શાવી કે, “હે દાદા! ભવોભવ તારું શરણ, તારું શાસન પ્રાપ્ત થજો' અને માળા હાથમાં લઈ મહામંત્રનો જાપ જપતાં જપતાં તલ્લીન થઈ ગયા. સં. ૨૦૧૫ના પોષ સુદ ૩ને પવિત્ર દિને વિજય મુહૂર્તે, પાંચ મણકા બાકી રહેતાં નશ્વરદેહનો ત્યાગ કરી, સ્વર્ગગામી બન્યા. ૩૦ વર્ષ પછી પૂજ્યશ્રીનું સ્વપ્ન સાકાર થયું : પૂજ્યશ્રીની સ્મૃતિના સ્મારક રૂપે શ્રી પાર્શ્વનાથ ભગવંતની ભક્તિ અને મહિમાની વૃદ્ધિ સ્વરૂપે ‘શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિવિહાર મહાપ્રાસાદ’ નિર્માણ થવા પામ્યું. પૂજ્યશ્રી વચનસિદ્ધ મહાપુરુષ, વર્ધમાનતપના પ્રે૨ક, ધર્મભાવનાના દ્યોતક, ઐક્યના અનુરાગી, ઉપરિયાળા તીર્થના ઉદ્ધારક, ઘણા રાજપુરુષોના પૂજ્ય અને વિશાળ શિષ્ય સમુદાય ધરાવતા હતા. ૨૧ શિષ્યો, ૪૨ પ્રશિષ્યો અને ઘણાં જ સાધ્વીજીઓનો સમુદાય વર્તમાનમાં વિચરી રહ્યો છે એવા પૂજ્યપાદ શાસનપ્રભાવક ગુરુદેવશ્રીને કોટિશઃ વંદન! સૌજન્ય : શ્રી ગુરુ લબ્ધિકૃપાપાત્ર પૂ.પં.પ્રવરો શીલરત્નવિજયજી મ.સા. ની પ્રેરણાથી સમીનિવાસી કુસુમબેન હીરાલાલ શાહ પરિવાર, અમદાવાદ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy