________________
શાશ્વત સૌરભ ભાગ-૧
કરાવવામાં પૂજ્યશ્રી નિમિત્ત બન્યા, જેના પ્રભાવે શ્રી સંઘની આરાધનાભવન બનાવવાની ભાવના પરિપૂર્ણ થઈ.
સમગ્ર જિનશાસનની યશોગાથારૂપ મહાતીર્થ સ્વરૂપ જિનમંદિર, પ્રભુભક્તિ કરીને પૂજ્યશ્રીએ પુણ્યાનુબંધી પુણ્ય ઉપાર્જન કર્યું હતું કે જે કદાચ તીર્થંકર નામ-કર્મ બંધાવે.....મોટી શાંતિ સાંભળીને પાટણના એક ઝવેરી એટલા બધા સુપ્રસન્ન થઈ ગયા હતા કે બીજે દિવસે નવગ્રહની માળા-મણિઓનો ડબો લઈને આવ્યા અને પૂજ્યશ્રીને કહ્યું કે ‘આમાંથી જે કાંઈ ખપ હોય તે લઈ લ્યો!' પૂજ્યશ્રીએ તે શ્રાવકને એટલી જ પ્રસન્નતાથી ‘ના’ પાડી. શાસ્રસિદ્ધાંતના નીતિનિયમોમાં સતત જાગ્રત અને ગુરુપ્રેરિત કાર્યોમાં સતત કાર્યરત પૂજ્ય આચાર્યદેવ દીર્ઘકાળસુધી શાસનપ્રભાવનાનાં કાર્યો કરતા રહો એ જ પ્રાર્થના...!
સૌજન્ય : પૂ. પં.શ્રી શિવસાગરજી મ.સા. તથા બાલમુનિ શ્રી ઋષભસાગજી મ.સા.ની પ્રેરણાથી શ્રી સીમંધરસ્વામી જિનમંદિર કાર્યાલય, ઓસીયાજી નગર, પો. નંદીગ્રામ, જિ. વલસાડ શ્રી સૂરિમંત્ર સમારાધક સ્તવના પૂ. આ. શ્રી શ્રેયાંસપ્રભસૂરિજી મ.સા.
આરાધનાનું સમુત્થાન અને પૂજ્યશ્રી
રાધનપુરના વતની દોશી ભૂદરભાઈ સૂરજમલ પરિવારના ચંદ્રકાંતભાઈ અને સુશીલાબહેનના પ્રથમ સંતાનરૂપે જન્મેલા શ્રીકાંત નામને ધરનારા પૂજ્યશ્રી બાલ્યવયથી જ વૈરાગી બની ૧૬ વર્ષની કુમળી વયે સંયમ પામ્યા અને પોતાનાં બા મહારાજ સા. શ્રી સદ્ગુણાશ્રીજી મ.સા.ના પગલે પગલું મૂકી પૂ. મુ. શ્રી મુક્તિપ્રભવિજયજી મ.સા. (હાલ આ.ભ.)ના શિષ્ય પૂ. મુ. શ્રી શ્રેયાંસપ્રભવિજયજી મ.સા. તરીકે જાહેર થયા. ગુરુ નિશ્રાએ જ્ઞાન-ધ્યાન અને તપ-ત્યાગમાં આગળ વધી, ગુરુદેવો અને ‘સૂરિરામ’ચન્દ્ર આદિ વડીલોના અનન્ય કૃપાપાત્ર બન્યા અને તેથી જ લઘુવયમાં ગણિ-પંન્યાસઉપાધ્યાય પદ પામી સૂરિ પદને પણ પામ્યા. લઘુવયમાં જ વિશિષ્ટ પ્રવચન શક્તિને ધારણ કરતા આ મહાપુરુષ ‘પ્રસિદ્ધ પ્રવચનસાર’ અને છોટેરામ' તરીકેની પ્રસિદ્ધિ પામી અનેક આત્માઓના ઉદ્ધારક બન્યા અને વિશાળ શિષ્ય સંપદાના સ્વામી બન્યા. વળી પોતાનાં આલંબન અને માર્ગદર્શન દ્વારા સંસારી ૬-૬ બહેનોને સંયમ પંથે વાળી ઉપકારનું ઋણ જાણે અદા ન કરતા હોય તેમ પોતાના પિતાશ્રી ચંદ્રકાંતભાઈને પણ આજથી ૧૮ વર્ષ પૂર્વે સંસારસાગરથી ઉદ્ધર્યા અને પૂ. મુ. શ્રી
Jain Education International
૪૬૫
ચારિત્રસુન્દરવિજયજી મ.સા. તરીકેની સંયમની આરાધનામાં લયલીન કર્યા! તેઓશ્રીની નિશ્રામાં આજ સુધી અનેક દીક્ષાપ્રતિષ્ઠા-અંજનશલાકા સ્વરૂપ પ્રભાવક પ્રસંગો ઊજવાયા છે અને ઊજવાય છે. તેથી તેઓશ્રીના જીવનમાં પ્રભાવકતા તો છે જ પરંતુ પ્રભાવકતા સાથે જ આરાધકતા પહેલેથી જ જોવા મળે છે. તે એક અનોખી વાત છે, કેમ કે માત્ર ૩૨ વર્ષની લઘુ વયમાં ૧૦૦ ઓળી પૂર્ણ કરવાની ભાવનામાં રમતા પૂજ્યશ્રી વર્ષમાં સાડાદસ મહિના આયંબિલ તપની આરાધના કરતા હતા, પરંતુ તે ભાવના સ્વાસ્થ્યની પ્રતિકૂળતાને કારણે પૂર્ણ ન થવા છતાં આજ સુધી એકાસણાંના તપને વળગી રહેવા દ્વારા શ્રમણસંઘને મોટો આદર્શ આપી રહ્યા છે. ચારિત્રનિષ્ઠા પણ આ પુણ્ય પુરુષની અજબ-ગજબની છે. એનું એક જ દૃષ્ટાંત લઈએ તો વલ્લભીપુર જેવા નાનકડા ગામમાં એકાએક હાર્ટએટેક જેવા જોખમી મહારોગનો પ્રવેશ થયો, ત્યારે પણ વાહનનો ઉપયોગ નહીં કરવાનો દૃઢ સંકલ્પ કરીને આ મહાપુરુષે જોખમ ખેડીને પણ ત્યાં જ ઉપચારો કરાવ્યા. ડોળી કે વ્હીલચેર કે વાહનોને જરાય મહત્ત્વ ન આપ્યું. આ રીતે એક સુંદર આદર્શ ઊભો કર્યો. સમર્પિતતા-નિસ્પૃહતા–નિખાલસતાસરળતા-વડીલો પ્રત્યે અહોભાવ-નમ્રતા આદિ ગુણોની ખીલવણી પણ પ્રશંસનીય છે. આજથી ૪૦૦ વર્ષ પૂર્વે જૂના ડીસા મુકામે પૂજ્ય હીરસૂરીશ્વરજી મહારાજાએ ત્રણ-ત્રણ મહિના સૂરિમન્ત્રની સાધના કરેલી અને શાસનદેવી પ્રત્યક્ષ થયાં હતાં. વિ.સં. ૨૦૫૩માં સૂરિપદ પામ્યા પછીના બીજા વર્ષે વિ.સં. ૨૦૫૫માં તેજ જૂના ડીસા મુકામે ૮૪ દિવસના મૌન અને એકાંતવાસપૂર્વક સૂરિમંત્રની પાંચે પ્રસ્થાનોની સળંગ આરાધના કરવા દ્વારા તે ઇતિહાસનું પુનરાવર્તન કર્યું હતું.
આ રીતે પ્રથમ વાર વિશિષ્ટ આરાધના કર્યા પછી વિ.સં. ૨૦૫૬માં પ્રસંગવિશેષ રાધનપુર જવાનું થતાં પૂજ્યશ્રીનાં સંસારી માતુશ્રી સુશીલાબહેનનું સ્વાસ્થ્ય અસ્વસ્થ થવાથી પૂજ્યશ્રીએ તક ઝડપી લઈને પોતાના સંસારી પક્ષે પિતા મુનિશ્રી ચારિત્રસુંદર-વિજયજી મ.સા. સાથે ૧૦ દિવસ સુધી નિર્યામણા કરાવતાં-કરાવતાં પૂજ્યશ્રીએ આ સૂરિમંત્ર પંચપ્રસ્થાનની આરાધના ફરી એકવાર સળંગ અથવા છૂટીછૂટી કરવા સંભળાવ્યું હતું અને તે સાંભળીને અનુમોદના કરી પૂજ્યશ્રીના શ્રીમુખેથી જ અરિહંતનું શ્રવણ અને રટણ કરતાં– કરતાં પરલોકની વાટે સંચર્યાં. પૂજ્યશ્રીએ સમાધિપ્રદાન સ્વરૂપ શાંતિનો શ્વાસ લીધો. હવે તે સંભળેલી આરાધના અવસરને જોતાં આજે પાંચ વર્ષ પછી તે ઋણ અદા કરવા પૂજ્યશ્રી
For Private & Personal Use Only
www.jainelibrary.org