________________
૪૪૬
વયના હેમચંદ્રને સંસારમાં પાછા લઈ આવવા માટે શ્વસુરપક્ષ સફળ થયો. આખરે પિતાએ પુત્રનો દંઢ મનોભાવ જાણી લીધો. પિતા તરફથી સંમતિ મળતાં હેમચંદ્રે લીંબડી આવીને ગુરુદેવશ્રી વેરસાગરજી મહારાજ પાસે, ૧૬-૧૭ વર્ષની ઉંમરે, સં. ૧૯૪૭ના મહા સુદ પાંચમે દીક્ષા લીધી. બંને પુત્રો પાછળ પિતાએ પણ દીક્ષા લીધી. પૂ. ગુરુદેવના સાંનિધ્યે સંયમની સાધના સાથે તપ, જ્ઞાનાભ્યાસ, ધ્યાન, ભક્તિ, વિનય, વૈયાવચ્ચ આદિ ઉલ્લાસથી કરવા લાગ્યા અને પં. શ્રી કમલવિજયજી મહારાજ પાસે વડી દીક્ષા પામ્યા.
કોઈ ભવિતવ્યતાના યોગે પૂજ્યશ્રીના ફક્ત છ માસના દીક્ષાકાળમાં જ ગુરુમહારાજ વેરસાગરજી કાળધર્મ પામ્યા. ગુરુદેવ પાસે રહીને સતત સ્વાધ્યાય કરવાની ઇચ્છા મનમાં રહી ગઈ. અગાઉ સિદ્ધાંતનિક વ્યાકરણ' ત્રણ જ માસમાં કંઠસ્સ કરીને પોતાની સ્વાધ્યાયની તીવ્ર રુચિની પ્રતીતિ કરાવી હતી. વળી, કોઈ પણ હિસાબે રોજ ૫૦૦ શ્લોકોનું વાંચન કરવું એવો તેઓશ્રીનો અટલ નિર્ધાર હતો. પૂ. ગુરુદેવના વિરહને મનમાં સમાવી ફરી પાછા શાસ્ત્રાભ્યાસમાં લીન બની ગયા. વ્યાકરણ, કાવ્ય, ન્યાય આદિનો અભ્યાસ કર્યો અને પ્રાંતે આગમોના નવાવતાર માટે જીવન સમર્પણ કર્યું. શાસ્ત્રના યોગોન આવશ્યક છે. સં. ૧૯૬૦માં ભાવનગરમાં પૂજ્યશ્રી નેમિવિજયજી મહારાજ અને મુનિશ્રી આનંદસાગરજી મહારાજ યોગોહન કરતા હતા, ત્યારે અમદાવાદના શ્રીસંઘને મુનિશ્રી આનંદસાગરજી મહારાજને પદવી આપવાના મનોરથ થયા. શ્રી સંઘે વિનંતી કરી. મંગલ મુહૂર્તે પં. મિવિજયજી મહારાજે શ્રી ભગવની યોગમાં પ્રવેશ કરાવ્યો. ગણિપદ અને પંન્યાસપ આપવાનું મુહૂર્ત કાઢી આપ્યું. સં. ૧૯૬૦ના જેઠ સુદ ૧૦ને દિવસે પૂ. આનંદસાગરજી મહારાજ પંન્યાસપદથી વિભૂષિત થયા. ત્યાર પછી અનેક સ્થળોએ વિહાર કરતાં તેઓશ્રી અનેક પ્રકારની શાસનોદ્યોતકર પ્રવૃત્તિઓથી રચ્યાપચ્યા રહેતા. ખાસ કરીને જૂના–પુરાણા, હસ્તલિખિત, ખવાઈ ગયેલા, અગોચરઅપ્રાપ્ય આગમગ્રંથો શોધી-સંમાર્જિન કરી-પ્રકાશિત કરવાની પ્રવૃત્તિ સતત હાથ ધરવાને લીધે સજ્જન આત્માઓએ પૂજ્યશ્રીને ‘આગમાંહારક' ઉપપદથી સંબોધવાનું આરંભ્યું હતું. પૂજ્યશ્રીનાં આ કાર્યોથી પ્રભાવિત થઈને સુરતના શ્રીસંઘને આચાર્યપદ પ્રદાન કરવાની ભાવના થઈ હતી. પૂજ્યશ્રીની અનિચ્છા છતાં મુહૂર્ત કાઢવામાં આવ્યું. વિ. સં. ૧૯૭૪ના વૈશાખ સુદ ૧૦ ને દિવસે મહામહોત્સવપૂર્વક, સુરતના ચતુર્વિધ સંઘના હર્ષોલ્લાસ વચ્ચે તપોનિષ્ઠ આચાર્યદેવ શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહારાજની
Jain Education International
ધન્ય ધરાઃ
નિશ્રામાં અને અસંખ્ય સાધુ-સાધ્વીઓની ઉપસ્થિતિમાં નંદિની વિધિ, સાત ખમાસમણાં, સાત આદેશો, બૃહદ્ નંદીસૂત્ર શ્રવણ આદિએ કરીને આચાર્યપદથી અલંકૃત કરવામાં આવ્યા. પૂછ્ય ગુરુદેવે કહ્યું કે, 'આજથી તમારું નામ આચાર્યશ્રી આનંદસાગરસૂરિજી છે' પરંતુ ભાવિકો તો તેઓશ્રીને ‘સાગરજી મહારાજ' ના ઉદ્બોધનથી જ ઓળખાવતા રહ્યા.
આગમગ્રંથોનો ઉદ્ધાર કરીને તો પૂજ્યશ્રીએ અમર નામના પ્રાપ્ત કરી અને પેઢી દર પેઢીના ભાવિકો માટે જ્ઞાનભંડાર સમૃદ્ધ કરી આપ્યા, પણ ‘આગમ-મંદિરો'ના નિર્માણકાર્યથી તો આગમવાણીને યાવચ્છંદ્રદિવાકરી અમર કરી દીધી. સાઠ વર્ષના સુદીર્ધ દીશાપર્યાયમાં અવિરત અને અવિરામ કાર્યરત રહેતા પૂજયશ્રી સં. ૨૦૦૬માં સુરતમાં સ્થિરતા હતી ત્યારે સ્વાસ્થ્ય કથળ્યું. વૈશાખ વદ પાંચમની બપોરે પૂજ્યશ્રી અર્ધપદ્માસને નવકારમંત્ર ગણતા હતા, શિષ્યો અતિ શરણે પવજ્જામિ' સંભળાવતા હતા અને ચતુર્વિધ સંઘ નમસ્કાર મહામંત્ર સંભળાવતા હતા, ત્યારે ધ્યાનસ્થ પદ્માસન અવસ્થાએ જીવનદીપ બુઝાય. ૧૦૦થી અધિક સાધુઓ અને ૩૦થી અધિક સાધ્વીજીનોનો વિશાળ પરિવાર ધરાવતા દિવંગત આચાર્યભગવંતને તેમના પર શ્રી માળિયસાગરસૂરીશ્વરજી મહારાજશ્રીની નિશ્રામાં ચતુર્વિધ સંઘે દેવવંદન કર્યું. પૂ. ગુરુભગવંતના અગ્નિસંસ્કાર સ્થળે રમણીય ગુરુમંદિરની રચના કરવામાં આવી. સં. ૨૦૦૭ના મહા સુદ ૩ ને દિવસે ગુરુમૂર્તિની સ્થાપના કરવામાં આવી.
આગમિક તથા સાહિત્યને યોગદાન : ૧.૮ લાખ શ્લોકપ્રમાણ ૧૮૦ ગ્રંથોનું સંપાદન. ૨. રા લાખ શ્લોકપ્રમાણ ગ્રંથોનું વાચનાદાન. ૩. ૭૦ હજાર શ્લોકપ્રમાણ આગમિક ગ્રંથોનું સર્જન. ૪. ૭૦ હજાર શ્લોકપ્રમાણ અનેક વિષયના ગ્રંથોનું મૌલિક સર્જન. ૫. ૧૫ હજાર શ્લોકપ્રમાણ સંસ્કૃત પ્રસ્તાવનાઓં ૮૦ ગ્રંથો પર. ૬. ૪૦ હજાર ફૂલસ્કેપ કાગળ પ્રમાણ ગુજરાતી ભાષામાં આમિક આદિ ગ્રંથોના પદાર્થોનું વર્ણન. ૭. આગમ તથા પ્રકરણગ્રંથોનું સંગેમરમર, પાપાણ નધાતાપપત્રમાં કંડરાવી દીર્ઘાયુષ્યપ્રદાન. ૮. ભિન્ન ભિન્ન સ્થાનમાં સાત વખત આગમવાચના (દરેક વાચના લાગટ છ માસ સુધી.)
અન્ય શાસન પ્રભાવના : યથાનામગુણ પૂજ્યશ્રી આગમના મહો. ઉદ્ધારક બન્યા, તે જ તેઓશ્રીના જીવનની મહાન સિદ્ધિ છે. બાલ્યકાળથી તત્ત્વજ્ઞાનમાં રસ હતો જ. સંયમજીવન સ્વીકારીને શાસ્ત્રોનો અભ્યાસ પ્રત્યે ઔર લગની
For Private & Personal Use Only
www.jainelibrary.org