________________
૪૩૮
મોરચો માંડ્યો. એક-બે નહીં, પાંચ-સાત નહીં, જુદી જુદી ભાષામાં જુદી જુદી દલીલોથી પચીસ-પચીસ પુસ્તકો બહાર પાડ્યાં. “ઓ વિજ્ઞાનીઓ! તમે સાચા નથી. તમારી માન્યતામાં કંઈક મણા છે. ધર્માચાર્યોને જૂઠા બોલવાની કોઈ જરૂર નથી. વિશ્વના ધર્મો અને તત્ત્વજ્ઞાનમાં ભારતીય ધર્મો અને તત્ત્વજ્ઞાન શ્રેષ્ઠ કોટિના છે. એ પ્રતિપાદિત સત્ય સાથે ભારતનાં શાસ્ત્રો, ભૂગોળ અને ખગોળ વિજ્ઞાનમાં પણ ઉચ્ચ કોટિની માહિતી ધરાવે છે અને તેથી ભારત અવકાશક્ષેત્રે તેમ જ ભૌગોલિક ક્ષેત્રે વિજ્ઞાનમાં પણ મોખરે છે” એવી એવી દલીલો દ્વારા ભારતીય તત્ત્વજ્ઞાનની સિદ્ધિ અને સાર્થકતા સાબિત કરી, વિશ્વભરના વિજ્ઞાનીઓને આશ્ચર્યમાં મૂકી દીધા. પૂ. પંન્યાસ શ્રી અભયસાગરજી ગણિવર જૈનશાસનના ગૌરવ રૂપ હતા.
ગુજરાતના મહેસાણા જિલ્લામાં ખાબોચિયા જેવડું ઉનાવા (મીરાદાતાર) ગામ તે પૂજ્યશ્રીનું જન્મસ્થાન. પિતા મૂલચંદભાઈ (ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજ), માતા મણિબહેન (સાધ્વીશ્રી સદ્ગુણાશ્રીજી મહારાજ)ના એ લાડીલા સંતાન. જન્મનામ અમૃતકુમાર. ભાઈ મોતીલાલ (મુનિશ્રી મહોદય-સાગરજી મહારાજ) અને બહેન સવિતા (સાધ્વીશ્રી સુલસાશ્રીજી મહારાજ) સાથે લાડકોડથી ઊછરતા હતા. સં. ૧૯૮૧ના જેઠ વદ ૧૧ના પુનિત પ્રભાતે જન્મેલા આ પનોતા પુત્રના આગમન પછી માતાપિતાની ધર્મભાવના ઉત્તરોત્તર વધતી ચાલી. સદ્ગુરુનાં ચરણોમાં જીવન વિતાવવાની તાલાવેલી જાગી. માતાપિતાના આ સંસ્કારો નાનકડા અમૃતલાલને વારસામાં મળ્યા. તેમની ધર્મભાવના વિકસી અને આગળ જતાં, દીક્ષાની ભાવના દૃઢ થઈ. તેમણે માતાપિતા પાસે પ્રવજ્યાના પુનિત પંથે પ્રયાણ કરવાની અનુજ્ઞા માંગી. તે જમાનામાં બાળદીક્ષાનો પ્રબળ વિરોધ હતો. અમૃતલાલના માર્ગમાં અણકલ્પ્યા અંતરાયો ઊભા થયા પરંતુ અંતે અંતરની ઇચ્છાનો વિજય થયો. પૂજ્યપાદ આગમોદ્ધારક શ્રી સાગરાનંદસૂરિજી રાહબર બન્યા. સાડા છ વર્ષની ઉંમરે સં. ૧૯૮૮ના માગશર વદ ૧૧ને પુણ્ય દિને શ્રી શંખેશ્વર મહા-તીર્થની છાયામાં બાલદીક્ષાનો મહોત્સવ ઊજવાયો. સિદ્ધચક્રારાધક તીર્થોદ્ધારક પૂજ્ય આચાર્યદેવ શ્રી ચંદ્રસાગરસૂરિજી મહારાજના શિષ્યરત્ન પૂ. ઉપાધ્યાયશ્રી ધર્મસાગરજી મહારાજના શિષ્ય મુનિશ્રી અભયસાગરજી બન્યા. માતા અને બહેન તથા ભાઈ પણ દીક્ષિત બન્યાં હતાં. આમ, પિતાપુત્ર ગુરુ-શિષ્ય બન્યા.
મુનિશ્રી ધર્મસાગરજીએ બાલમુનિમાં સંસ્કારો સાથે જ્ઞાનવૃદ્ધિ થાય તેવા પ્રયત્નો આદર્યા. ન્યાય, વ્યાકરણ, સાહિત્ય,
Jain Education International
ધન્ય ધરા
આદિના અધ્યયન સાથે જૈનધર્મનું અગાધ જ્ઞાન પ્રાપ્ત કરાવ્યું. પરિણામે, તેઓશ્રી જૈનધર્મના ગણનાપાત્ર શાસ્ત્રવેત્તા તરીકે સિદ્ધ-પ્રસિદ્ધ થયા. ‘જ્ઞાન વિામાં મોક્ષઃ’ એ જૈનધર્મના સૂત્ર પ્રમાણે જ્ઞાન અને ક્રિયા એક જ રથનાં બે ચક્રો છે. મુનિશ્રીએ બંને ચક્રોને સુસાધ્ય બનાવી દીધાં. સં. ૨૦૨૨માં જેઠ વદ ૧૧ને દિવસે કપડવંજ મુકામે ગચ્છાધિપતિ પૂજ્યપાદ શ્રી માણિક્યસાગર-સૂરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે ગણિપદથી અલંકૃત કરવામાં આવ્યા અને સં. ૨૦૨૯ના મહા સુદ ૩ને દિવસે સકલ સંઘની વિનંતીથી નરોડા તીર્થ-અમદાવાદમાં પૂ. ઉપાધ્યાયજી શ્રી ધર્મસાગરજી મહારાજની નિશ્રામાં પંન્યાસપદે આરૂઢ કરવામાં આવ્યા. તે સમયે પૂજ્યશ્રીના નામમાં પણ ફેરફાર કરવામાં આવ્યો. પૂ. ગુરુદેવને અરુણોદયસાગર’નો ઉચ્ચાર ફાવતો ન હતો, તેથી પંન્યાસ શ્રી અભયસાગરજી' નામકરણ થયું.
ભૂગોળ-ખગોળના પ્રશ્નોને પૂજ્યશ્રીએ વીતરાગી વાણીની સચોટતાથી અને નિર્ણાયકતાથી વ્યક્ત કર્યા. ‘ભૂ-ભ્રમણ શોધ સંસ્થાન' નામની સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થા સં. ૨૦૨૪થી મહેસાણામાં કાર્યરત છે. પૂજ્યશ્રીએ આ અંગે દેશવિદેશના વિજ્ઞાનીઓ સાથે પત્રવ્યવહાર કર્યો. પરિણામે, તેઓશ્રીને વિશ્વની અનેક સંસ્થાઓએ સભ્યપદ એનાયત કર્યાં. આવી સંસ્થાઓમાં—
અમેરિકાની નેશનલ જ્યોગ્રોફિકલ સોસાયટી, મુંબઈની એશિયાટિક સોસાયટી, દિલ્હીની ઓલ ઇન્ડિયા સાયન્સ ટીચર્સ એસોસિયેશન અને હૈદ્રાબાદની ડેક્કન ઇન્સ્ટિટ્યુટ ઓફ ઓબ્ઝર્વેટરી જેવી જાણીતી અનેક સંસ્થાઓએ પૂજ્યશ્રીને સભ્યપદ આપીને સમ્માન્યા હતા. તેઓશ્રીએ ઘણાં વર્ષો જંબૂતી પ, જૈન ખગોળ અને આધુનિક શોધખોળો વચ્ચે શું તફાવત છે તે દર્શાવવામાં ગાળ્યાં હતાં. અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત, ગુજરાતી વગેરે ભાષાઓમાં પુસ્તકો પ્રગટ કરીને પોતાની માન્યતાઓનો બહોળો પ્રચાર કરાવ્યો. યુનિવર્સિટીઓ, કોલેજો, હાઇસ્કૂલો આદિમાં પ્રવચનો આપી, વિજ્ઞાને આપેલા આઘાતોને ધર્મશ્રદ્ધાની ભૂમિકા પર સુનિશ્ચિત કર્યા.
આવી અવિરત ચાલતી વિશ્વવ્યાપી વિશાળ પ્રવૃત્તિઓ વચ્ચે પણ તેમની તપસાધના અને ધર્મ-આરાધના અખંડ ચાલ્યા કરતી. ધર્મશાસ્ત્રોના અવિરામ અધ્યનનમાં તેઓશ્રી એક્કા હતા. શાસ્ત્રાધ્યયન માટે ગુજરાતી, હિન્દી, પ્રાકૃત, અર્ધમાગધી, સંસ્કૃત, ઉર્દૂ, અંગ્રેજી, મરાઠી આદિ ભાષાઓ પર તેમનું પ્રભુત્વ હતું.
For Private & Personal Use Only
www.jainelibrary.org