________________
૪૩૬
(૬) જૈનો ઉપરાંત હિન્દુ, પારસી, મુસલમાન, ખ્રિસ્તી વગેરે જનતાને પ્રતિબોધ પમાડીને જૈનધર્મ તરફ સન્મુખ કરી હતી. (૭) એક વચનસિદ્ધ મુનિ હતા. તેમનો પરચો જેમને મળ્યો તે કૃતાર્થ થઈ ગયા. શ્રી દેવકરણમૂલજીને પૂ.શ્રીની કૃપા ફળી હતી. તેઓ વંથલી ગામના વતની હતા.
(૮) હમણા પૂ.શ્રી મોહનલાલજી મ.નો એક રંગીન સ્વતંત્ર ફોટો જોવા મળે છે. ભારતમાં ફોટોગ્રાફી એટલી સુલભ ન હતી ત્યારે પૂ.શ્રીના ભક્ત એવા એક વહોરા જ્ઞાતિના ભાઈએ લીધો હતો અને તેની પ્રિન્ટ ઇંગ્લેન્ડમાં કઢાવી તેની દશ હજાર કોપી લાલબાગ–ઉપાશ્રયે વેચાણમાં મૂકતાં શેઠશ્રી દેવકરણમૂળજીએ બધી જ કોપી ખરીદીને સંઘના લોકોને દર્શનાર્થે ભેટ આપી હતી.
(૯) વિ.સં. ૧૯૬૦માં વાલકેશ્વર સ્થિત બાબુ અમીચંદ પનાલાલ આદીશ્વરજી જૈન દેરાસરની મૂળનાયકની પ્રતિષ્ઠા પૂ.શ્રીના વરદહસ્તે થઈ. તેનો શતાબ્દી મહામહોત્સવ ૧૦૮ દિવસીય મંગલમય કાર્યક્રમ આજથી બે વર્ષ પૂર્વે એટલે કે વિ.સં. ૨૦૬૦, તા. ૨૦-૧૧-૨૦૦૩ થી ૩૦-૧૧-૦૩ દરમિયાન શતાધિક પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોની ઉપસ્થિતિમાં ઊજવાયો હતો. ગવાક્ષમાં ગુરુમૂર્તિ પણ બિરાજમાન છે અને શિલાલેખ પણ ઉત્કીર્ણ છે. (યક્ષયક્ષિણીની મૂર્તિ નીચે.)
(૧૦) વિ.સં. ૧૯૬૩, ચૈત્ર વદ-૧૨ના વિજયમુહૂર્તે સુરત મુકામે પૂ.શ્રી સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા ત્યારે ચમત્કાર સર્જાયો હતો.
“વિના દાહે થાય, અગ્નિ સંસ્કારી, ગુરુદેવ મોહનલાલજી મહિમા ભારી'
પૂ.શ્રીની આ સંક્ષિપ્ત યશોગાથા જૈનઇતિહાસનું એક સુવર્ણપૃષ્ઠ છે.
સૌજન્ય : શ્રેષ્ઠીવર્ય મોહનલાલ પોપટલાલ મહેતા પરિવાર મુ. ઉમરગામ રોડ, જિ. વલસાડ (દ. ગુજરાત) પોતાના સમગ્ર કુટુંબને સંયમમાર્ગે વાળનાર પૂ. ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજ
સમગ્ર ભારતવર્ષ આઝાદી માટેના નારાઓથી ગુંજતું હતું ત્યારે જિનશાસનનાં કેટલાંક તીર્થસ્થાનોને આઝાદી અને
Jain Education International
ધન્ય ધરાઃ
આબાદીના પંથે લઈ જવામાં અગ્રણી એવા ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહારાજનો જન્મ થયો હતો. ઉત્તર ગુજરાતનું ગામ ઉનાળા, ઊંઝા પાસેનું મીરાદાતાર. ત્યાં પિતા નહાલચંદ અને માતા ખુશીબહેનને ઘરે સં. ૧૯૫૭ના ભાદરવા સુદ ૭ને દિવસે એક પુત્રનો જન્મ થયો. કુટુંબીજનોએ નામ રાખ્યું મૂલચંદભાઈ. મૂલચંદભાઈ બાળપણથી હોશિયાર હતા. અભ્યાસમાં અને અભ્યાસ પૂરો કરીને ધંધામાં સારી કુશળતા દર્શાવી. પરિણામે, ધંધાના વિકાસ અર્થે મુંબઈ ગયા, પણ મુંબઈ પહોંચતાં જ જીવનની દિશા ફરી ગઈ. અમદાવાદના શેઠ ભગવાનદાસ (પૂ. પં. શ્રી ભદ્રંકરવિજયજી) તથા શેઠ ચીમનલાલ (પૂજ્યશ્રીના દીક્ષાગુરુ) પૂ.આ. શ્રી ચંદ્રસાગરસૂરિજી આદિની મિત્રમંડળી રચાઈ. પૂ. શ્રી આનંદસાગર મહારાજ, પૂ. શ્રી વિજયલબ્ધિસૂરિજી મહારાજ, પૂ. શ્રી વિજયરામચંદ્રસૂરિજી મહારાજનાં વ્યાખ્યાનો નિયમિત સાંભળવા જવા લાગ્યા. આ મંડળીની સંખ્યા ૪૫ ઉપર પહોંચી. સાથે પ્રતિક્રમણ, સાથે પૂજા, સાથે સ્નાત્રપૂજા, સાથે પૌષધ આદિ જોઈને સૌના અચંબાનો પાર રહેતો નહીં. આ વાતાવરણમાં મૂલચંદભાઈને દીક્ષાની ભાવના જન્મી, પરંતુ એમાંયે માત્ર પોતાને એકલાને જ આ સન્માર્ગે લઈ જવાને બદલે આખા કુટુંબને આ માર્ગે લઈ જવાનો મનોરથ જાગ્યો. સૌ પ્રથમ પોતાના મોટા પુત્રને દીક્ષા અપાવી; તેઓ મુનિ શ્રી મહોદયસાગરજી મહારાજના નામે ઘોષિત થયા. ત્યાર પછી પોતે જામનગરમાં પૂ. શ્રી આનંદસાગરસૂરીશ્વરજી મહારાજના વરદ્ હસ્તે ૫. આચાર્યદેવ શ્રી ચંદ્રસાગરજી મહારાજના શિષ્ય તરીકે ધર્મસાગરજી નામે શાસનના અણગાર બન્યા. બે વર્ષ ચારિત્રપાલન, તપશ્ચર્યા, શાસ્ત્રાભ્યાસ આદિમાં ખૂબ પ્રગતિ સાધી ધર્મસાગરજી મ.ના પૂરા પરિવારે દીક્ષા લીધી. તેમાં પોતાની પત્ની ૨ પુત્રો ૧ પુત્રી અને ખુદ એમ પાંચની દીક્ષા થઈ તેમાં મહાન વિદ્વાન શિરોમણિ પ્રથમ નંબરનો પુત્ર મુનિ મહોદયસાગરજી મ.સા. દીક્ષાના અલ્પપર્યાયમાં અનેક સભાઓમાં ધર્મદેશના દ્વારા જિનશાસનના નામનો ડંકો વગાડ્યો હતો. તેમની પાછળ મુનિ દર્શનસાગરની પ્રભા નીખરી અને ધર્મસાગરજી તીર્થરક્ષાના કાયદાકોર્ટના કામોની આગેવાની લીધી હતી. તપસ્વી મહાન હતા. અઠ્ઠાઈના પારણે અજૈનને ત્યાંથી ગોચરી લાવી એકાસણાથી પારણા અને આયંબિલમાં કરિયાતુ આદિ ભેગુ કરી ૧૫-૨૦ મિનિટમાં વાપરી લેવું આ ત્યાગ ઉચ્ચો અનેરો હોવાથી એમને લોકો લાકડાના મહાદેવના ઉપનામથી પણ સંબોધી તપાનુમોદના કરતાં હતાં. આવા હતાં પૂ. ધર્મસાગરજી મ. અને પોતાના બીજા પુત્ર અમૃતકુમારને
For Private & Personal Use Only
www.jainelibrary.org