________________
૪૨૪
૨૦૧૬ના પોષ સુદ ૮ની રાત્રિના ૧૨-૦૦ વાગ્યા પછી સ્વર્ગારોહણ કર્યું ત્યારે પૂ. આચાર્યશ્રીનો વિશાળ શિષ્ય-સમુદાય આ મૃત્યુલોકમાં જીવોને ધર્મારોહણ પ્રતિ દોરી રહ્યો હતો. આ શિષ્યરત્નોમાં પૂ. આ. શ્રી વિજયમહેન્દ્રસૂરીશ્વરજી મહારાજ, આચાર્યશ્રી વિજયકલ્યાણસૂરીશ્વરજી મહારાજ, પં. શ્રી મંગળવિજયજી ગણિ, મુનિશ્રી સુમતિવિજયજી અને અન્ય મુખ્ય છે. આ સર્વના શિષ્યો અને પ્રશિષ્યોની યાદી તો ખૂબ વિસ્તૃત બને તેમ છે. આવા ધર્મધુરંધર, જિનાગમરહસ્યવેદી, સુવિહિત નામધેય પૂ. આચાર્યશ્રી વિજયહર્ષસૂરીશ્વરજી મહારાજનો જય હો! સૌજન્ય : શ્રી સિદ્ધાચલ શણગાર જૈન ટ્રસ્ટ- પાલીતાણા. પ્રશાંતમૂર્તિ : ભદ્ર પ્રકૃતિથી વિભૂષિત પૂ. આચાર્યશ્રી વિજયમહેન્દ્રસૂરીશ્વરજી
મહારાજ
પ.પૂ. આચાર્યશ્રી વિજયમહેન્દ્રસૂરીશ્વરજી મહારાજ પરમ તીર્થોદ્ધારક આચાર્યભગવંત શ્રી વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના પર પૂ. આચાર્યશ્રી વિજયહર્ષસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર હતા અને સમુદાયમાં પરંપરાએ ગચ્છાધિપતિ હતા. તેઓશ્રીનો જન્મ સં. ૧૯૫૩માં રતલામમાં થયો હતો. તેમનું સંસાર નામ મિસરીમલજી હતું. તેમણે ચાર વર્ષની વયે પિતા અને અગિયાર વર્ષની વયે માતા ગુમાવ્યાં. વ્યાવહારિક ચાર શ્રેણી હિન્દીનો અભ્યાસ કરી શ્રી યશોવિજયજી જૈન સંસ્કૃત પાઠશાળામાં મહેસાણા ચાર માસ સુધી પંચપ્રતિક્રમણાદિ ધાર્મિક અભ્યાસ કર્યો. સં. ૧૯૬૪માં પં. શ્રી સિદ્ધિવિજયજી ગણિના સંપર્કમાં આવતાં, તેમના હૃદયમાં વૈરાગ્યભાવના જાગૃત થઈ. ત્યાર બાદ સં. ૧૯૬૮માં વિસનગરમાં પૂ. શ્રી નીતિવિજયજી મહારાજના સંપર્કમાં આવતાં સં. ૧૯૬૯માં તેઓશ્રીના શિષ્ય શ્રી હર્ષવિજયજી મહારાજના શિષ્ય તરીકે દીક્ષા ગ્રહણ કરી. તેર વર્ષ સુધી પૂ. ગુરુમહારાજ પાસે રહી ન્યાય, વ્યાકરણ આદિ ગ્રંથોનો અભ્યાસ તેમ જ ઉત્તરાધ્યયન, આચારાંગ આદિ સૂત્રોના યોગોહન કર્યાં અને સં. ૧૯૯૯માં અમદાવાદમાં આચાર્યપદથી અલંકૃત થયા.
તેઓશ્રીની શુભ નિશ્રામાં પૂના, બાલાપુર, ભરૂચ, ગોહિલી, પાડીવ આદિ સ્થળે ઉપધાન આદિ વિવિધ તપોની સુંદર આરાધના થઈ હતી, તેમ જ સિદ્ધક્ષેત્ર, જામનગર, શિવગંજ, પાડીવ આદિ સ્થળોએ ભગવતી આદિ સૂત્રોની વાચનાઓ, ઉદ્યાપન, અષ્ટહ્નિકા મહોત્સવો, અંજનશલાકા,
Jain Education International
ધન્ય ધરાઃ
પ્રતિષ્ઠા, દીક્ષાઓ આદિ શાસનપ્રભાવક કાર્યો થયાં હતાં. પૂજ્યશ્રી સ્વભાવે અત્યંત શાંત, માયાળુ, સદૈવ જ્ઞાનધ્યાનમાં મગ્ન અને સરળતા, સૌમ્યતા આદિ ગુણોના ભંડાર હતા. સં. ૨૦૨૨માં ૫૩ વર્ષનો સુદીર્ધ દીક્ષાપર્યાય પાળી કાળધર્મ પામ્યા. પૂજ્યશ્રીના વિશાળ શિષ્યપરિવારમાં ઊડીને આંખે વળગે એવી પ્રતિભાના સ્વામી પ.પૂ. આચાર્ય દેવશ્રી વિજય હેમપ્રભ સૂરીશ્વરજી મ.સા. એક હતા. તેઓની દીક્ષા વિ.સં. ૨૦૧૭ના અષાઢ સુદ ૭ના દિવસે થયેલી. આ દીક્ષાનો પ્રસંગ જિનશાસનમાં ઉજ્જવલ ઇતિહાસમાં એક સુવર્ણ પૃષ્ઠનો ઉમેરો કરે છે.
પૂજ્યશ્રીનાં આજ્ઞાંકિત શિષ્ય તરીકે પંકાયેલા તે વખતે મુનિહેમપ્રભ વિજયરૂપે પ્રતિક્ષણ પૂજ્યશ્રીની નિકટ જ રહેતા. પૂજ્યશ્રીનાં અંતિમ આશીર્વાદને પ્રાપ્ત કરવા તેઓ બડભાગી બન્યા. એ આશીર્વાદની ફળશ્રુતી સ્વરૂપ આજે વિશાળ શિષ્ય સમુદાય સાથે વિચરતા વળી પરમેષ્ઠીનાં તૃતીય પદે બિરાજીને જિનશાસનની પ્રભાવનાનાં મહાન કાર્ય કરતાં વિચરી રહ્યા છે. પૂજ્યશ્રીના જવાથી જૈન સમાજને સુવિહિત આચાર્યની મોટી ખોટ પડી. એવા એ સમર્થ શાસનપ્રભાવક આચાર્યદેવને શતશઃ વંદના! સૌજન્ય : શ્રી સિદ્ધાચલ શણગાર જૈન ટ્રસ્ટ-પાલિતાણા. આજીવન જ્ઞાનોપાસક વિદ્યાપુરુષ
પૂ. આચાર્યશ્રી વિજયકલ્યાણસૂરીશ્વરજી
મહારાજ
પં.પૂ. આચાર્યશ્રી વિજયકલ્યાણસૂરીશ્વરજી મહારાજનો જન્મ રાધનપુરમાં સં. ૧૯૫૧માં થયો હતો. બચપણમાં જ માતાપિતાનું અવસાન થયું. આથી તેમનું લાલનપાલન કાકાને ત્યાં થયું. કાકાએ તેમને અભ્યાસાર્થે અમદાવાદમાં સદ્ગત શેઠ શ્રી મનસુખભાઈ ભગુભાઈ હાઇસ્કૂલમાં દાખલ કર્યા હતા. ત્યાં વ્યાવહારિક શિક્ષણ સાથે તેઓશ્રીએ જીવવિચાર, નવતત્ત્વ, દંડક, બે કર્મગ્રંથો તેમ જ પંચ પ્રતિક્રમણ સૂત્રાર્થ સહિતનો અભ્યાસ કર્યો. કાકાશ્રીએ પિતાનું સ્થાન યોગ્ય રીતે જાળવી રાખ્યું એટલે તેમને વ્યવહારજીવનમાં ઉપયોગી થવા માટે ઇચ્છા નહીં હોવા છતાં નાછૂટકે ઉપકારવશ અભ્યાસ છોડવો પડ્યો હતો છતાં અધૂરો રહેલો ધર્માભ્યાસ ફુરસદ મેળવીને તેઓશ્રીએ શ્રી બુદ્ધિસાગરજી પાઠશાળામાં પૂરો કર્યો હતો અને આજીવિકા માટે ધાર્મિક પાઠશાળામાં માસ્તરની નોકરી સ્વીકારી હતી. ભણનાર કરતાં ભણાવનારને અભ્યાસમાં વધુ ધ્યાન આપવું પડે
For Private & Personal Use Only
www.jainelibrary.org