SearchBrowseAboutContactDonate
Page Preview
Page 428
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૬ ધન્ય ધરા: મુનિરાજ પ્રભાવવિજયજી મ.સાના સમાગમમાં રહેતા દીક્ષાનો ભાવ વધુ પ્રગટતા સં. ૨૦૦૭ના કારતક વદ-૬ના શુભ દિને અમદાવાદ સ્થિત કોકાભટ્ટની પોળમાં દીક્ષા ગ્રહણ કરી અને પ.પૂ. મુનિપ્રવર પ્રભાવવિજયજી મ.સા.ના શિષ્ય તરીકે જાહેર થયા. પૂ. આચાર્યશ્રી લાભસૂરિ મ.સા., પૂ. પંન્યાસચંદ્ર વિજયજી મ.સા. તથા ત્રિપુટી મ.સા.ની શુભ નિશ્રામાં વીરાસ્વામીમાંથી મુનિ હેમપ્રભવિજયજી મ.સા બન્યા. વિ.સં. ૨૦૨૦માં ખંભાત ચાતુર્માસ દરમ્યાન પૂ. દાદા ગુરુદેવશ્રી ચંદ્રસૂરીશ્વરજી મ.સા.ના અંતરના આશીર્વાદ અને પૂ. ગુરુદેવશ્રી પ્રવિચંદ્રસૂરીશ્વરજી મ.સા.ની પ્રભાવશાળી પ્રેરણાથી નિત્ય, પ્રવચનનો પ્રારંભ થયો! માતૃભાષા તેલુગુ હોવા છતાં પૂ. બને ગુરુદેવોની આશીષ અને અઅલિત ધારાએ વહેતી કૃપાવર્ષોથી પૂજ્યશ્રીએ કાવ્યમય અનોખી વિશિષ્ટ છતાં સરળ શૈલીમાં વ્યાખ્યાન દ્વારા ભાવિકોને ભીંજવ્યાં. પૂજ્યશ્રીનાં ચરણે ૨૦-૨૫ મુમુક્ષુ આત્માઓએ સંપૂર્ણ જીવન સમર્પિત કરી શિષ્યત્વ અપનાવ્યું છે અને પૂજ્યશ્રીના વરદ હસ્તે સ્વ-પર અનેક સમુદાયો-ગચ્છોમાં સેંકડો દીક્ષાઓ થઈ છે. ગુજરાત-મહારાષ્ટ્ર, કર્ણાટક – આંધ્ર - તામિલનાડુકેરાળા-ઓરિસ્સા, બિહાર-બંગાળ, યુ.પી.-એમ.પી., રાજસ્થાન આદિ વિવિધ પ્રદેશનાં અનેક ક્ષેત્રોમાં વિચરી અનેકવિધ પ્રતિષ્ઠાઓ, ચાતુર્માસ, ઉપધાન, દીક્ષાઓ આદિ અનેકવિધ આરાધના અનુષ્ઠાનોમાં સ્વ–પર કલ્યાણની પૂર્ણ યોગ્યતા ધરાવતા પૂજ્યશ્રી વિ.સં. ૨૦૩૨માં ગણિ પદથી, વિ.સં. ૨૦૩૫માં પંન્યાસ પદથી વિભૂષિત થયા અને પરાકાષ્ઠાની યોગ્યતાને ધરાવતા પૂજ્યશ્રી વિ.સં. ૨૦૪૪ માગ. સુ. ૬ના મંગલ દિને મુંબઈ વાલકેશ્વરમાં આચાર્ય જેવા ધુરંધર પદથી અલંકૃત થયા. પૂ. દાદા ગુરુશ્રી આ. વિ. ચંદ્રસૂરીશ્વરજી મ.સા. ના અંતિમ સ્વપ્નને સાકાર કરવા માટે જ પૂજય દાદા ગુરુની ભાવનાનુસાર જ, શાશ્વત તીર્થાધિરાજ શ્રી સિદ્ધાચલજી મહાતીર્થની પવિત્રતમ તળેટીમાં પાલિતાણા નગરે પ.પૂ. ગુરુદેવશ્રી પ્રવિચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ના વરદ હસ્તે ગિરિવિહાર સંસ્થાની સ્થાપના થઈ, જે સંસ્થામાં પૂજ્યશ્રીની પ્રેરણાથી શ્રમણપ્રધાન ચતુર્વિધ શ્રી સંઘની સુંદર સેવા ૩૦-૩૦ વર્ષથી અવિરત ધારાએ ચાલી રહી છે. આ સંસ્થા જ પૂજ્યશ્રીની કરુણા-સેવા-ગુણ વગેરે ઉમદા કેટલાય ગુણોની સાક્ષીભૂત છે! પૂ. ગુરુદેવશ્રી પ્રવિચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ની અંતિમ ભાવનાને સાકાર કરવા પૂજ્ય ગુરુદેવશ્રીના કથનાનુસાર શેત્રુંજી નદીના કિનારે, ડેમ પાસે ૨૫૦ વીઘા જમીનમાં ગિરિવિહાર ગૌશાળા, ગિરિવિહાર પાંજરાપોળની પ્રેરણા–દ્વારા સ્થાપના કરાવી છે, જેનું ટ્રસ્ટીઓ દ્વારા સુચારુ રૂપે સંચાલન થઈ રહ્યું છે. ગૌશાળામાં રહેલી ગાયોનાં દૂધ દ્વારા શત્રુંજય તીર્થાધિપતિ શ્રી આદિશ્વર દાદાના પક્ષાલ તેમ જ આણંદજી કલ્યાણજી પેઢી સંચાલિત મોતીશાની ટૂંકથી માંડીને પાલિતાણાનાં સર્વ જિનાલયોનાં પક્ષાલ માટે દૂધનો લાભ મળી રહ્યો છે, એટલું જ નહીં, દાદાના અખંડ દીપક માટે છેલ્લાં ૪ વર્ષથી અખંડપણે ગાયના શુદ્ધ ઘીનો ચતુર્વિધ સંઘને લાભ મળી રહ્યો છે. ગિરિવિહાર પાંજરાપોળમાં અનેક નિરાધાર-અબોલ-બિમાર એવાં પ્રાણીઓની ખૂબ જ સરસ સેવા અને સાચવણી થઈ રહી છે. અનુકંપા રૂપે અન્નક્ષેત્ર તથા છાશની નિઃશુલ્ક પાંચ-પાંચ પરબો ચાલી રહી છે. પૂજ્યશ્રીની પાવન નિશ્રામાં પાલિતાણાથી અજાહરા તીર્થનો, દહેગામથી આંતરસૂબાનો, બાર્શીથી અંતરિક્ષજીનો, હૈદરાબાદથી કુલ્પાકજીનો કાલિંદીથી નાકોડાજીનો આદિ વિવિધ છ'રીપાલિત સંઘો તેમ જ મદ્રાસ, કુંભાકોનમ્, વિજયવાડા, ચાસબોકારો, જબલપુર, સતના, કલકત્તા, પટના, પાલિતાણા, અજાહરા, અમદાવાદ આદિ અનેક સ્થળોમાં જિનાલયોની ભવ્ય પ્રતિષ્ઠાઓ તથા ભોપાલ નગરે શ્રી મહાવીરગિરિ ઉપર શ્રી મહાવીર સ્વામી મહાતીર્થની, વળી અમદાવાદ-ઓગણેજમાં શ્રી પંચજિનેશ્વર કૈવલ્યધામ મહાતીર્થોમાં મહામહોત્સવોપૂર્વક ભવ્ય અંજન-શલાકા–પ્રતિષ્ઠા-દીક્ષાઓ વગેરે કાર્યક્રમો થયેલ છે. પાલિતાણા ગિરિવિહારની જેમ જ ઓગણેજમાં પણ સમુદાય-ગચ્છાદિના ભેદભાવ વિના શ્રમણપ્રધાન શ્રી ચતુર્વિધ સંઘની અણમોલ સેવા-સુશ્રુષા સાથે બને સ્થળે ફક્ત ૧ રૂ|. ટોકનમાં ભોજનશાળા પૂજ્યશ્રીની સત્રેરણાથી ચાલી રહી છે. ધન્ય છે સાધર્મિક ભક્તિના રસિયા પૂજ્યશ્રીને. આ કાળ-ઝાળ મોંઘવારીમાં કેવી ઉમદા ભક્તિ! આવાં આવાં અદ્વિતીય-અજોડ સત્કાર્યો દ્વારા વિશ્વ પર શાસનપ્રભાવના કરતા પૂજ્યશ્રી વિવિધ તપશ્ચર્યા, વિહાર, તપ-ત્યાગ-વૈરાગ્યની ભૂમિકા પર “સ્વ” ની ઉચ્ચતમ સાધના કરી રહ્યા છે, સાથે સાથે ભવ્યોનાં હૈયાંને હલાવી, દિલડાંને ડોલાવી, હૃદયને ભીંજવી, અજ્ઞાનીઓને આકર્ષી, આત્માઓને જગાડી, જગત ઉપર અનેક પ્રકારે ધારાબદ્ધ ઉપકારોની વૃષ્ટિ કરી રહ્યા છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org For Private & Personal Use Only
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy