SearchBrowseAboutContactDonate
Page Preview
Page 426
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૪ પૂ. આ. શ્રી વિજયભદ્રંકરસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં સં. ૨૦૩૩માં મૈસૂર મુકામે ચાતુર્માસ દરમિયાન શ્રી ભગવતીસૂત્રના યોગોદ્દહન સાથે સૂત્રનું વાચન કર્યું. સં. ૨૦૩૪ના કારતક વદ ૬ના દિવસે ભવ્ય મહોત્સવપૂર્વક ગણિ-પંન્યાસ પદવી થઈ. ત્યાંથી કાયમ માટે ત્રણ વિગઈનો ત્યાગ કર્યો. બદામ, કાજુ અને દ્રાક્ષ સિવાય મેવો અને માવાનો ત્યાગ, પાંચ તિથિ ઘી, લીલોતરી, મિષ્ટાન્નનો ત્યાગ, પાકાં કેળાં સિવાય અન્ય ફળોનો ત્યાગ. ચોમાસામાં અઠ્ઠાઈ અને બાર તિથિ અને શેષકાળમાં પાંચ તિથિ અને અઠ્ઠાઈમાં લીલોતરીનો ત્યાગ. દીક્ષા પછી તેરમા વર્ષથી બિયાસણાં, દહેરાસરમાં દેવવંદન, દરેક પ્રતિમાજીને નમો જિણાણં, પાષાણની પ્રતિમાજીને ત્રણ ત્રણ ખમાસમણાં ચૈત્યવંદન, લગભગ ૧૫૦ લોગસ્સનો કાઉસ્સગ્ગ અને તેટલાં જ ખમાસમણાં પ્રાયઃ ઊભાં ઊભાં, શ્રી નવકારમંત્રનો અરિહંત સિદ્ધિપદ સિદ્ધિચક્ર નમો માણસ્સનો કરોડ ઉપરનો જાપ હજુ ચાલુ છે. શ્રી વર્ધમાન તપની ૮૪મી ઓળી (સં. ૨૦૪૭), રાત્રે સંથારા સમયે જીવનમાં લાગેલા દોષની ગુર્જા અને આરાધનાની અનુમોદના પૂ. આ. શ્રી વિજયભદ્રંકરસૂરીશ્વરજી મહારાજની આજ્ઞા અને વાસક્ષેપ દ્વારા સં. ૨૦૪૩ના પોષ વદ ૧ના દિવસે દોડ બાલાપુરમાં આચાર્ય પદે આરૂઢ કરવામાં આવ્યા. ત્યારથી પૂજ્ય આચાર્યશ્રી વિજયઅશોકરત્નસૂરીશ્વરજી મહારાજ નામથી પ્રસિદ્ધ થયા. પૂજ્યશ્રીની નિશ્રામાં દીક્ષા, વડી દીક્ષા, ઉપધાન તપ, ભવ્ય અંજનશલાકા-પ્રતિષ્ઠા મહોત્સવો થઈ રહ્યા છે. ૪૦ વર્ષથી બેંગલોર અને મદ્રાસ, દક્ષિણનાં નાનાં નાનાં ગામડાંઓમાં વિચરીને અને ત્યાં ચાતુર્માસ કરીને શાસનપ્રભાવના કરી રહ્યા છે. સૂરિમંત્રની આરાધના કરીને ઉલ્લાસપૂર્વક રત્નત્રયીની આરાધનામાં ઉજમાળ રહ્યા છે. એવા એ પરમ શાસનપ્રભાવક સૂરિવર નિરામય દીર્ધાયુ પામી સુદીર્ધ શાસનસેવા કરતા રહો એવી પ્રાર્થના સાથે પૂજ્યશ્રીને કોટિશઃ વંદના! * સંવત ૨૦૫૩, વૈશાખ વદ ૧૧ના સો ઓળી પારણું બેંગલોર પૂજ્ય રાજયશસૂરીશ્વરજી મ.સા. આદિ સમુદાય સાથે. * ગચ્છાધિપતિ પદ, ટુમકુર, કર્ણાટક, આસો સુદ ૧, સંવત-૨૦૫૭, અનેક સંઘોએ તથા સમુદાય મળી. * દક્ષિણદિવાકરની પદવી : સંવત ૨૦૬૦ ના અષાઢ સુદ બીજને રવિવાર, બેંગલોર આદિ ૧૮ સંઘોની ઉપસ્થિતિમાં ચાતુર્માસ પ્રવેશ વખતે, હિરીપુરનાં ચાતુર્માસ પ્રવેશદિન. સૌજન્ય : શાહ સંપતરાય સુરેશકુમાર કટારિયા પરિવાર, દીપક એન્ટરપ્રાઈઝ—બેંગલોર Jain Education Intemational ધન્ય ધરાઃ પૂજ્યપાદ વર્તમાન ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજય જયઘોષસૂરીશ્વરજી મહારાજ —મુનિ મહાબોધિ વિજય પૂજ્યપાદ સિદ્ધાંતદિવાકર ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ્વિજયજયઘોષસૂરીશ્વરજી મહારાજ એટલે ગુણોનો ઘૂઘવતો મહાસાગર. આ મહાસાગરમાં મરજીવા બનીને ઊંડા ઊતરીએ તો અનેક ગુણરત્નો હાથમાં આવ્યા વગર ન રહે. અહીં આપણે એમના પાંચ વિશિષ્ટગુણોનો આસ્વાદ કરીએ. ૧. પરોપકારવૃત્તિ : સમસ્તવિશ્વ આજે દિન-પ્રતિદિન વધુને વધુ સ્વાર્થી બનતું જાય છે ત્યારે આ મહાપુરુષના લોહીના પ્રત્યેક બુંદમાં પરોપકારની વૃત્તિ વણાયેલી છે. નાનામાં નાના સાધુને કઈ વસ્તુની જરૂરિયાત હશે એનો ઉપયોગ તેઓશ્રીને સતત રહેતો હોય છે. તેઓશ્રી ઘણીવાર કહેતા હોય છે.....“આજના દીક્ષિત સાધુને પણ આપણે ગૌતમસ્વામીના રૂપમાં જોવાના છે. સાધુને જે વસ્તુ આપવી હોય તે ઉત્તમકક્ષાની આપવી. હલકી, વધારાની કે અદલાબદલી રૂપે પણ કોઈ વસ્તુ સાધુને આપીએ તો આપણને ઘોર લાભાંતરાય કર્મ બંધાય છે.'' એકવાર સ્વ. ગુરુદેવશ્રીએ પિંડવાડામાં એમને લખવા માટે નવી–સારી પેન આપી. સાથે કહ્યું : “આ પેન માત્ર તારે વાપરવાની.” એ વખતે પૂર્ણનમ્રતા સાથે પૂજ્યશ્રીએ કહ્યું : “ગુરુદેવ! એવી રીતે આ પેન હું નહીં રાખી શકું. કોઈ માંગશે, કોઈને ગમશે તો આપી દઈશ.” આચાર્યભગવંતે સહર્ષ અનુમતિ આપી. ૨. આગમજ્ઞાતા : વર્તમાનકાળના તમામ આગમોના પૂજ્યશ્રી વિશિષ્ટજ્ઞાતા છે. વિશિષ્ટ એટલા માટે કે આગમોના માત્ર શબ્દાર્થ કે વાક્યાર્થ ન કરતાં છેક ઐદંપર્યાર્થ- સુધી તેઓશ્રી પહોંચતા હોય છે. આનો અનુભવ પૂજ્યશ્રીની પાસે આગમગ્રંથોની વાચના લેનારા મહાત્માઓને ઘણીવાર થયો છે. જિંદગીમાં ક્યારેય છાપું નહીં વાંચનારા આ મહાપુરુષ સાધુઓને દિવસમાં છ-છ કલાક સુધી આગમગ્રંથો-પ્રકરણગ્રંથો અને કર્મસાહિત્યમાં પાઠો આપતા હોય છે. સમુદાયનો ભેદભાવ રાખ્યા વગર શ્રુતજ્ઞાનની આ ગંગાને તેઓ નિરંતર વહાવી રહ્યા છે. સંઘ અને સમુદાયની અનેકવિધ જવાબદારીઓથી For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy